________________
જ્ઞાનમંજરી
મૌનાષ્ટક - ૧૩
૩૯૯
ઉત્તર ઃ- અપર્યાપ્તા સર્વે જીવો પોતાનામાં સંભવતા કોઈ પણ એક યોગસ્થાનક ઉપર જઘન્યથી અને ઉત્કૃષ્ટથી પણ એક જ સમય રહે છે. બીજા જ સમયે અસંખ્યાતગણો યોગ વધે છે. માટે અપર્યાપ્તા જીવોમાં કોઈ પણ યોગસ્થાનક એક સમયથી વધારે કાલ સંભવતું નથી. પરંતુ પર્યાપ્તા જીવો પોતાનામાં સંભવતા યોગસ્થાનકોમાં પ્રારંભના કેટલાક યોગસ્થાનકોમાં ઉત્કૃષ્ટથી ચાર સમય, ત્યાર પછીના કેટલાંક યોગસ્થાનકોમાં પાંચ સમય, ત્યાર પછીના કેટલાંક યોગસ્થાનકોમાં છ સમય, ત્યાર પછીના કેટલાંક યોગસ્થાનકોમાં સાત સમય, ત્યાર પછીના કેટલાંક યોગસ્થાનકોમાં આઠ સમય એમ પછી પછીનાં યોગસ્થાનકોમાં સાત-છ-પાંચ-ચાર-ત્રણ અને બે સમય સુધી રહી શકે છે. આમ આ ઉત્કૃષ્ટકાળ જાણવો. અને આ પર્યાપ્તા જીવો પોતાને સંભવતા સર્વે પણ યોગસ્થાનકોમાં જઘન્યથી એક સમય વર્તે છે. આ રીતે પર્યાપ્તા જીવોને યોગ્ય યોગસ્થાનકોમાં જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી ચાર સમયથી આઠ સમય અને આઠ સમયથી બે સમય સુધીનો કાળ જાણવો.
પ્રશ્ન :- સૂક્ષ્મ એકેન્દ્રિયાદિ સાત પર્યાપ્તા અને સાત અપર્યાપ્તા એમ ૧૪ જીવસ્થાનકોમાં શું સમાન યોગ હોય ? કે હીનાધિક યોગ હોય ? અને જો હીનાધિક યોગ હોય તો કોનાથી કોનો યોગ વધારે હોય અને કોનાથી કોનો યોગ ઓછો હોય ?
ઉત્તર ઃ- સર્વે પણ જીવસ્થાનકોમાં યોગની હીનાધિકપણે તરતમતા હોવાથી તે યોગનું અલ્પબહુત્વ પાંચમા શતક નામના કર્મગ્રંથમાં ૫૩-૫૪ એમ બે ગાથામાં કહેલું છે તેના આધારે અનુક્રમે આ પ્રમાણે સમજવું.
सुहुमनिगोआइखणप्पजोगबायरविगलअमणमणा ।
अपज्जलहु पढमदुगुरु, पज्जहस्सियरो असंखगुणो ॥ ५३ ॥
असमत्ततसुक्कोसो, पज्जजहन्नियरु एव ठिइठाणा । अपज्जेयरसंखगुणा, परमपज्जबिए असंखगुणा ॥५४॥
इत्यष्टाविंशतिभेदाल्पबहुत्वमवगन्तव्यम् । योगबाहुल्ये बहुकर्मग्राही, मन्दत्वे अल्पपुद्गलग्राही इत्येवं या योगानां पुद्गलग्रहणरूपा प्रवृत्तिः, तस्याः रोधः मौनमुत्तमम् । किं सतृष्णस्य बाह्ययोगरोधेन ? तस्मात् सकलविमलज्ञानाद्यनन्तगुणगणमाहात्म्यपरमात्मभावरसिकैः आत्मनो योगप्रवृत्तिः पुद्गलानुगतया रोधनीया નૃત્યુપવેશ: છા
સૂક્ષ્મનિગોદીયા અપર્યાપ્તા જીવનો ઉત્પત્તિના પ્રથમસમયે જઘન્યયોગ સર્વથી અલ્પયોગ હોય છે. તેનાથી બાદર અપર્યાપ્તા એકેન્દ્રિય, ત્રણ વિકલેન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય