________________
૩૯૦ મૌનાષ્ટક - ૧૩
જ્ઞાનસાર પુરુષો ! તે દેવ જ પરમદેવ છે એમ જાણો, જે તે અન્ય દેવને (જેવા તેવા અન્ય દેવને) તમે ન નમો. ///
આત્મજ્ઞાન વડે જ આત્મસ્વરૂપની સિદ્ધિ થાય છે માટે કરણકારક પણ આત્મા જ છે. પ્રાપ્ત કરવા લાયક સાધ્ય પણ પૂર્ણ આત્મજ્ઞાન જ છે. તેથી કર્મકારક પણ આત્મા જ છે. કર્તા કારક તો આત્મા છે જ. એમ સર્વકારકચક્ર આત્મામાં જ છે. જે પૂર્ણ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા લાયક છે. તે બાબતમાં જ જુદા જુદા દર્શનકારો વિવાદ કરે છે. યોગીઓ તે આત્મતત્ત્વ મેળવવા રેચક-પૂરક અને કુંભક ઈત્યાદિ પ્રાણાયામની સાધના કરે છે. મૌનવ્રત ધારણ કરે છે. પર્વતોની અને વનોની ગુફાઓમાં ફરે છે. બાવા, જતિ, જોગી, જટાધારી, ભગવાં વસ્ત્રોવાળા, ઈત્યાદિ અનેક જાતના સન્યાસીઓ સંસારવાસનો ત્યાગ કરીને ઉપરોક્ત સાધના કરતા દેખાય છે. તો પણ શ્રી વીતરાગ સર્વજ્ઞ અરિહંત પરમાત્મા દ્વારા પ્રરૂપણા કરાયેલા આગમશાસ્ત્રોના નિરંતર શ્રવણ કરવા વડે પ્રાપ્ત થયેલી સ્યાદ્વાદવાળી શુદ્ધ દૃષ્ટિથી સ્વતત્ત્વ અને પરતત્ત્વની પરીક્ષા કરવા પૂર્વક પરીક્ષા કરાયેલા એવા આત્મતત્ત્વના મૂલસ્વરૂપાત્મક સ્વભાવનો બોધ કર્યા વિના તેઓને કાર્યસિદ્ધિ થતી નથી (મુક્તિ પ્રાપ્ત થતી નથી). આ કારણથી જ્યારે જ્યારે અવસર પ્રાપ્ત થાય ત્યારે ત્યારે અનંત ગુણાત્મક અને અનંત પર્યાયાત્મક એવું તે આત્મજ્ઞાન જ આ આત્મામાં પૂર્વ-પ્રાપ્ત આત્મજ્ઞાન દ્વારા પ્રાપ્ત કરવા યોગ્ય છે. શાસ્ત્રમાં કહ્યું છે કે –
અનાદિકાળના આત્મતત્ત્વના અજ્ઞાનથી પ્રાપ્ત થયેલું જન્મ-જરા-મરણાદિ દુઃખ આત્મતત્ત્વના જ્ઞાન વડે જ હણાય છે (દૂર થાય છે). તત્ = તેથી કરીને તેન-તે આત્મતત્ત્વનો તથા = તેવા પ્રકારનો વિશિષ્ટ ઉષ્યર્ચ અભ્યાસ કરવો જોઈએ કે ચેન = જેના વડે આ આત્મા જ્ઞાનમયો ભવેત્ = જ્ઞાનમય બને છે. ૧II //પી.
यथा शोफस्य पुष्टत्वं, यथा वा वध्यमण्डनम् । तथा जानन् भवोन्मादमात्मतृप्तो मुनिर्भवेत् ॥६॥
ગાથાર્થ :- જેમ સોજાથી શરીરનું પુષ્ટપણું અથવા જ્યારે ફાંસી આપવાની હોય ત્યારે તેના શરીરને શણગારવું-આભૂષણ પહેરાવવાં તે સુખ આપનાર નથી પણ દુઃખ જ આપનાર છે. તેવું જ સંસારનું સ્વરૂપ છે આમ જાણતા મુનિ આત્મસ્વરૂપમાં જ તૃપ્ત થાય છે. દી.
ટીકા - “યથા શોતિ યથા-ચેન પ્રજરેT, શોપસ્થ પુષ્ટવંશરીરસ્થીત્યું न पुष्टत्वे इष्टम्, वा-अथवा, यथा वध्यस्य मारणार्थं स्थापितस्य मण्डनं