________________
૩૫૮ નિઃસ્પૃહાષ્ટક - ૧૨
જ્ઞાનસાર હીરા-માણેક-મોતી અને સોના-રૂપાના ઢગલા કરે તો પણ તેને તે સઘળી વસ્તુઓ કાંકરા બરાબર લાગે છે. ઉલટું આવી કિંમતી વસ્તુઓથી તે દૂર જ રહે છે. કારણ કે આ કિંમતી વસ્તુઓનો સંગ્રહ એ એક પ્રકારનું મોટું બંધન છે, ફસાવનાર છે, રાગ કરાવનાર છે. ચોર, લુટારા આદિનો ભય ઉપજાવનાર છે. માટે તે જોઈએ જ નહીં. આવો પાકો નિર્ણય કરીને નિઃસ્પૃહ રહે છે.
પરપદાર્થોની ઈચ્છાથી મુક્ત બનેલા નિગ્રંથ મુનિને આખું ય આ જગત તૃણતુલ્ય અર્થાત્ સાર વિનાનું દેખાય છે. પોતાના આત્માનું સ્વરૂપ અને તેની નિરંતર રમણતા એ જ સાર દેખાય છે. આત્મતત્ત્વની લગની જેને લાગેલી છે તેવા જીવને કોઈપણ જાતનાં પદ્ગલિક સુખો ગમતાં નથી, રુચતાં નથી. તેમાં ખુશી ઉપજતી નથી. આ માટે સંતાપ્રવીuf ro ગ્રંથની ગાથા ૪૮ આ પ્રમાણે છે -
तिणसंथारनिसण्णो, मुणिवरो भट्ठरागमयमोहो । तं पावइ मुत्तिसुहं, कत्तो तं चक्कवट्टी वि ॥४८॥ आयसहावविलासी, आयविसुद्धो वि जो निए धम्मे । नरसुरविसयविलासं, तुच्छं निस्सारं मन्नंति ॥१॥
તૃણના સંથારા ઉપર બેઠેલા (એટલે કે જેણે સાંસારિક તમામ પોલિક સુખશય્યાનો ત્યાગ કર્યો છે) એવા અને જેણે પોતાના જીવનમાંથી રાગ, મદ અને મોહનો નાશ કર્યો છે (મોહના તમામ પ્રકારોને જેણે જીવનમાંથી દૂર કર્યા છે) એવા મુનિવર પુરુષ નિર્લોભદશાના (ત્યાગના) અનુપમ સુખને જે પ્રાપ્ત કરે છે તે સુખ ચક્રવર્તી પણ બોજાવાળો હોવાથી) ક્યાંથી પામી શકે?
જે મનુષ્ય આત્મતત્ત્વની સ્વભાવદશામાં જ આનંદ માનનારો છે. તેથી જ જેનો આત્મા અત્યન્ત વિશુદ્ધ છે. તથા પોતાના આત્મધર્મમાં જ તલ્લીન છે. તે મનુષ્ય માનવભવ સંબંધી અને દેવભવસંબંધી વિષયોના વિલાસને અસાર અને તુચ્છ માને છે. જીરા
छिन्दन्ति ज्ञानदात्रेण, स्पृहाविषलतां बुधाः । मुखशोषं च मूर्छा च, दैन्यं यच्छति यत्फलम् ॥३॥
ગાથાર્થ - પંડિતપુરુષો જ્ઞાનરૂપી દાતરડા વડે સ્પૃહા રૂપી વિષની વેલડીને છેદે છે. જે સ્પૃહારૂપી વિષ વેલડી મુખનું શોષાવું, મૂછ અને દીનતા રૂપી ફળો આપે છે. Irall