SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૦ નિલેપાષ્ટક - ૧૧ જ્ઞાનસાર (૫) અહીં આઠ પ્રકારના સ્પર્શોમાં સ્નિગ્ધ અને રુક્ષ નામના જે સ્પર્શી આવે છે તેને સ્કન્ધ થવામાં કારણ ન સમજવા. કારણ કે સ્પર્શ એ સ્કંધ કરવામાં ઉપાદાનકારણ નથી, તથા સ્નિગ્ધ-રુક્ષ નામના બન્ને રસો પણ સ્કંધહેતુ ન સમજવા. કારણ કે રસ એ તો આસ્વાદનનું કારણ છે. આ કારણથી પૂરણ-ગલન પામવાપણાના જે સ્નિગ્ધ-રૂક્ષ ગુણો છે તેને સ્કન્ધના કારણ સમજવા અને તેના અવિભાગોમાં વયધિકતા આદિ જે રહેલી છે તે રાધિકતા આદિ સ્નિગ્ધ-રૂક્ષ સ્પર્શની સાથે ભળી છતી સ્કંધનું કારણ જાણવું. આ કારણથી પુદ્ગલો જ પુદ્ગલોની સાથે લેવાય છે. પણ હું તો જીવ દ્રવ્ય છું માટે લેવાતો નથી. अहं निर्मलानन्दचिद्रूपः, न पुद्गलाश्लेषी, अतः शुद्धात्मा पुद्गलैर्न लिप्यते, वस्तुवृत्त्या पुद्गलात्मनोस्तादात्म्यसम्बन्ध एव नास्ति । संयोगसम्बन्धस्त्वौपाधिकः 'चित्राञ्जनैर्न व्योम इव इति ध्यायन् न लिप्यते । यथा व्योम-आकाशं चित्रैरञ्जनैः संलिप्यमानमपि न लिप्यते तथा अहमपि अमूर्तात्मस्वभावः पुद्गलैः एकक्षेत्रावगाडैः न लिप्ये । यो हि आत्मस्वभाववेदी स्ववीर्यं ज्ञानादिशक्तिमात्मनि व्यापारयन् अभिनवकर्मग्रहणैर्न लिप्यते । यावती आत्मशक्तिः परानुयायिनी तावानाश्रवः, स्वरूपानुयायिनी स्वशक्तिः संवरः इति रहस्यम् । अत्र च आत्मज्ञानमात्रसन्तुष्टा रागद्वेषप्रविष्टाः सम्यग्दर्शनादिगुणभ्रष्टाः आत्मानमबन्धतया जानन्ति ते निरस्ताः, उक्तञ्चोत्तराध्ययने હું (મારો આત્મા) નિર્મલ આનંદરૂપ છું તથા ચિપ (જ્ઞાનમય-ચેતન્યમય) છું, મારું સ્વરૂપ પુલોની સાથે સંબંધવાળું (જોડાણવાળું) નથી, હું ચેતન, એ જડ, હું જ્ઞાનાનંદ સ્વભાવી, એ વર્ણાદિમય, હું અવિનાશી દ્રવ્ય, એ વિનાશી દ્રવ્ય, આટલી બધી મારે અને પુગલદ્રવ્યને વિષમતા છે. તેથી હું તેની સાથે કેમ લેપાઉ ? આ કારણથી શુદ્ધાત્મા પુદ્ગલદ્રવ્યોની સાથે લપાતો નથી. વાસ્તવિકપણે સૂક્ષ્મદેષ્ટિએ જો વિચાર કરીએ તો આત્માનો અને પુગલનો તાદાભ્યસંબંધ (અભેદસંબંધ) જ થતો નથી. પરિણામિકભાવે બન્ને દ્રવ્યો ભિન્ન ભિન્ન હોવાથી જેમ ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાયનો તાદાભ્ય સંબંધ નથી તેમ આ બને દ્રવ્યોનો પણ તાદાભ્ય સંબંધ નથી, માત્ર સંયોગસંબંધ જ છે અને તે પણ પાધિક ૧. વિર્ભોમીગ્નવિ આ પાઠને બદલે ઘણી પ્રતોમાં તથા પૂ. રમ્ય રેણુશ્રીજી દ્વારા સંપાદિત થયેલા પુસ્તકમાં ચિત્રવ્યોમાનેનૈવ આવો પાઠ છે. પરંતુ ચિત્ર શબ્દનો સંબંધ સૂન શબ્દ સાથે હોવાથી વચ્ચે વ્યોમ શબ્દ મુકવાથી સમાસ થવો શક્ય નથી. માટે તે પાઠ અશુદ્ધ હોય એમ લાગે છે.
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy