________________
૩૦૮ તૃપ્યષ્ટક - ૧૦
જ્ઞાનસાર “આ બધું મારું છે, શરીર મારું, ઘર મારું, ધન મારું” ઈત્યાદિ રૂપે સમારોપ (બ્રમ) જ્ઞાની આત્માને સંભવતો નથી, ઘટતો નથી, ઉચિત નથી.
જેમ પર-સ્ત્રીને પોતાની સ્ત્રી નથી મનાતી, પર-ધનને પોતાનું ધન નથી મનાતું, પરઘરને પોતાનું ઘર નથી મનાતું, તેમ પરપદાર્થોને પોતાના માનવા એ ઉચિત નથી. તે પરપદાર્થોમાં મોહાલ્પતા કરવી ઉચિત નથી. માટે તત્ત્વજ્ઞાની આત્માને ઘર-ધન-વસ્ત્ર-ભોજનસ્વજન વગેરે પર-પદાર્થોમાં મારાપણાની માન્યતારૂપ ભ્રમ કે તેના દ્વારા તૃપ્તિ અથવા આનંદ હોતો નથી.
भावना च सम्यग्ज्ञानी तु यथार्थावबोधी आत्मधर्ममेव आत्मनि अङ्गीकरोति, परं परत्वेनैव वेत्ति, परधर्मं परे स्थापयति, स्वधर्मं स्वत्वे स्थापयति । अतः सम्यग्दृष्टिः पौद्गलिकोपचये न रज्यते । पुद्गलास्वादनेन सुखावभास एव
मिथ्याज्ञानम् । उक्तञ्च
तवइ तवं चरइ चरणं, सुअंपि नवपुव्व जाव अब्भसइ । जा परसुहे सुहत्तं, ता नो सम्मत्तविण्णाणं ॥१॥ પુન: શ્રીહરિમપૂર્વે:सुअवं शीलवं चाई, जिणमग्गायरणारई । परं वा परसंगं वा, धम्मं मन्नड जो जडो ॥२॥ यच्च आत्मनः स्वरूपं सहजं ज्ञानादि, तदेव धर्म इति तत्त्वम् ॥५॥
ટીકાકારશ્રીનો કહેવાનો ભાવાર્થ એવો છે કે - યથાર્થ તત્ત્વનો અવબોધ કરનારો એટલે કે જે વસ્તુ જેવા સ્વરૂપે છે તે વસ્તુને તેવા સ્વરૂપે સમજનારો સમ્યજ્ઞાની મહાત્મા આત્મધર્મને જ (જ્ઞાનાદિ ગુણોને જ) પોતાના આત્મામાં અંગીકાર કરે છે અને તે આત્મધર્મને જ પોતાનું તત્ત્વ છે એમ માને છે. અને પરના ધર્મને (વર્ણ-ગંધ-રસ-સ્પશદિને) પરપણે જ જાણે છે. તે પરના ધર્મને પરમાં જ સ્થાપિત કરે છે અને પોતાના આત્મધર્મને (પોતામાં-) આત્મામાં જ સ્થાપિત કરે છે. અર્થાત્ સમ્યગ્દષ્ટિ આત્મા સ્વદ્રવ્ય, સ્વધર્મ, પરદ્રવ્ય અને પરધર્મ એમ સકલ વસ્તુને જાણે છે. સર્વ વિષયનું જ્ઞાન કરે છે. પરંતુ સ્વધર્મો સ્વમાં અને પરધર્મો પરમાં જ છે એમ યથાર્થ વિભાગ કરીને યથાર્થપણે જાણે છે. પણ સ્વધર્મો (જ્ઞાનાદિ) સ્વમાં અને પરમાં એમ બન્નેમાં છે એવું મિથ્યાજ્ઞાન કરતો નથી તેવી જ રીતે પરધર્મો (વર્ણાદિ) સ્વમાં અને પરમાં એમ બન્નેમાં છે એવું મિથ્યાજ્ઞાન પણ કરતો નથી. કારણ કે