________________
૨૮૨ ક્રિયાષ્ટક - ૯
જ્ઞાનસાર એવી જ રીતે ચંડરૂદ્રાચાર્યના શિષ્યને ગુરુની ભક્તિથી ઘનઘાતી કર્મોનો નાશ થયો અને કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઈ. આ શિષ્ય ગુરુને પોતાના ખભા ઉપર ઉંચકીને વિહાર કરતા હતા, પણ ભૂમિ ઘણા જ ખાડા-ટેકરાવાળી હોવાથી પગ ઉંચા-નીચા પડતા હતા. તેથી ખભા ઉપર બેઠેલા ગુરુજી ગુસ્સે થતા હતા. માથામાં દાંડાના ઘા મારતા હતા. છતાં ગુરુ પ્રત્યેની અતિશય ભક્તિ હૃદયમાં હોવાથી બધું જ સહન કરતા આ શિષ્ય ઘણા જ સમતાભાવમાં રહ્યા અને ગુરુની ભક્તિને જ હૃદયમાં વિચારી, જેથી ગુરુ ગુસ્સામાં અને શિષ્ય સમભાવમાં વર્યા, શિષ્ય કર્મો ખપાવ્યાં અને કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું. પછી પશ્ચાત્તાપથી ગુરુએ પણ કર્મ ખપાવ્યાં.
આ પ્રમાણે અનેક મુનિ મહાત્માઓને આવા પ્રકારની સમ્યક ક્રિયાથી “પરમાનન્દની પ્રાપ્તિ થયેલી છે એમ આગમશાસ્ત્રોમાં સંભળાય છે. પા.
क्षायोपशमिके भावे, या क्रिया क्रियते तया । पतितस्यापि तद्भावप्रवृद्धिर्जायते पुनः ॥६॥
ગાથાર્થ :- ક્ષાયોપથમિકભાવમાં જે ધર્મક્રિયા કરાય છે તે ક્રિયા વડે ગુણોથી પતિત થયેલા આત્માને પણ ફરીથી તે ગુણોની વિશેષ વૃદ્ધિ થાય છે. llી
ટીકા :- “સાયોપશમ તિ", વરિત્રાનુપાવીર્થક્ષયપાને નાતે થી ક્રિય वन्दननमनादिका क्रियते, तया क्रियया पतितस्यापि-गुणपराङ्मुखस्यापि जीवस्य पुनः तद्भावप्रवृद्धिः-सम्यग्ज्ञानादिगुणभावप्रवृद्धिः जायते । उक्तञ्च -
खओवसमिगभावे, दढजत्तकयं सुहं अणुढाणं । परिवडियं पि हु जायइ, पुणोवि तब्भाववुड्ढिकरं ॥३४॥
(જ્ઞીશોકરVT-રૂ-૨૪) વિવેચન :-ચારિત્રમોહનીય કર્મનો ક્ષયોપશમ થયે છતે સાંસારિક સુખો ઉપર રાગ અને દુઃખો ઉપરનો દ્વેષ ઓછો થાય છે. અને વૈરાગ્યભાવની વૃદ્ધિ થયે છતે જીવમાં ક્ષાયોપથમિકભાવનું ચારિત્ર આવે છે. જે દેશવિરતિ-સર્વવિરતિરૂપ બે પ્રકારનું છે. તેના ઉત્તરભેદો અસંખ્ય છે. તથા વિર્યાન્તરાયકર્મના ક્ષયોપશમથી આત્મામાં વિર્યની પ્રાપ્તિ (પ્રાદુર્ભાવ) થાય છે. આ રીતે ક્ષયોપશમભાવથી પ્રાપ્ત થયેલું વીર્ય જ્યારે ચારિત્રમોહનીય કર્મના ક્ષયોપશમથી પ્રાપ્ત થયેલા ચારિત્રગુણને અનુસરનારું બને છે. એટલે કે ત્યાગ-તપવૈરાગ્ય-સંવેગ-નિર્વેદ આદિ ગુણોને અનુસરનારું વીર્ય બને છે ત્યારે વંદન-નમન-પૂજન આદિ