________________
જ્ઞાનમંજરી
ત્યાગાષ્ટક - ૮
૨૬૧
સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન, સમ્મચારિત્ર અને સભ્યતા સ્વરૂપ સાધનાના બળ વડે, અનાદિકાળથી સંયોગીભાવને પામેલા કર્મપુદ્ગલો રૂપ દ્રવ્યકર્મ અને કાષાયિક પરિણામો રૂપ ભાવકર્મનો ત્યાગ કરવા દ્વારા પોતાના શુદ્ધ સ્વરૂપનું જ જ્ઞાન કરવા પડે અને તેની જ રમણતાનો અનુભવ કરવા વડે નવા નવા કર્મોના અગ્રહણ રૂપ સંવરભાવ દ્વારા પોતાના આત્માના સ્વરૂપની સાથે જ એકતા-તન્મયતા પ્રાપ્ત કરવા રૂપ ધ્યાનથી પૂર્વે બાંધેલા કર્મોની નિર્જરા કરવા દ્વારા આ આત્મા શુદ્ધ-બુદ્ધ થાય છે અને સર્વ પ્રકારની પૌલિક ઉપાધિથી રહિત જ્યારે બને છે ત્યારે જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય, અગુરુલઘુ, અવ્યાબાધ સુખ, અસંગતતા, અમૂર્તતા, પરમદાન, પરમલાભ, પરમભોગ, પરમઉપભોગ, અક્રિયત્વ અને સિદ્ધત્વ વગેરે અનંત ગુણો કે જે ગુણો પોતાના અસંખ્યાત આત્મપ્રદેશોમાં વ્યાપીને વ્યાપકપણે રહેલા છે. તેવા અનન્તગુણો વડે આ આત્મા અતિશય શોભા પામે છે. કાદવમાં પડેલા સ્ફટિકના ગોળાની ચારે બાજુ લાગેલો કાદવ દૂર કરાયે છતે જેમ સ્ફટિકનો ગોળો પોતાની સ્વયં ઉજ્વલતાથી ચમકે છે તેમ આ આત્મા પુદ્ગલદ્રવ્યથી પર બન્યો છતો પોતાના સ્વાભાવિક ઉજ્વલ ગુણો વડે શોભે છે - ચમકે છે.
ગ્રન્થકારશ્રી આ જ વાત સમજાવતાં બીજું સુંદર એક ઉદાહરણ આપે છે કે - કિમિવ = કોની જેમ આ આત્મા શોભે છે?
વાદળના સમૂહથી રહિત એવા ચંદ્રમાનું રૂપ સ્વતઃ જ જેમ ચમકે છે. તેમ પરભાવમાં પોતાનાપણું” જેણે માન્યું હતું. આવી ખોટી મોહાધ માન્યતાને જેણે ત્યજી દીધી છે તેવો અર્થાત્ ત્યાગી છે આત્મા જેનો એવા મોક્ષમાર્ગની સાધના કરનારા સાધક આત્માનું રૂપ સ્વયં ગુણાત્મક હોવાથી પરદ્રવ્યનો સંયોગ દૂર થયે છતે વાસ્તવિકપણે જેવું મૂલસ્વરૂપ છે તેવું અકૃત્રિમ શુદ્ધ મૂલસ્વરૂપ ચમકે છે - શોભે છે.
જેમ અભ્રસમૂહથી રહિત એવા ચંદ્રનું સ્વરૂપ નિર્મલ થાય છે તેમ જ્ઞાનાવરણીયાદિ અષ્ટવિધ કર્યોરૂપી વાદળથી રહિત શુદ્ધાત્માનું સ્વરૂપ સ્વતઃ ઉજ્વળ અને નિર્મળ શોભે છે.
___अत एव बाधकपरिणतिहेतुतां संत्यज्य साधकत्वमवलम्ब्य, साधकत्वेऽपि विकल्परूपाचीनापवादसाधनां त्यजन्, उत्सर्गसाधनां गृह्णन्, पुनः (तामेव) त्यजन्, पूर्णगुणावस्थां श्रयन् एवमनुक्रमेण त्यागयोग्यं त्यजन् आत्मा सकलसंसर्गभावनिरावरणेन निर्मल-निष्कलङ्क-असङ्ग-सर्वावरणरहितः सच्चिदानन्दरूपः आत्मा आत्यन्तिक-ऐकान्तिक-निर्द्वन्द्व-निष्प्रयास-निरुपचरितसुखपूर्णो भवति ।