________________
જ્ઞાનમંજરી ત્યાગાષ્ટક - ૮
૨૩૩ संयतात्मा श्रयेच्छुद्धोपयोगं पितरं निजम् । धृतिमम्बाञ्च पितरौ, तन्मां विसृजत ध्रुवम् ॥१॥
ગાથાર્થ - સંયમી આત્માએ એટલે સંયમને અભિમુખ બનેલા આત્માએ શુદ્ધોપયોગ રૂપ પિતાનો અને સ્વભાવદશામાં સ્થિરતાત્મક વૃતિ રૂપી માતાનો આશ્રય કરવો જોઈએ. તેથી હે (લૌકિક) માતા-પિતા ! તમે મારો ત્યાગ કરો. મને મારું કલ્યાણ કરવામાં અનુકુળ થાઓ. /૧
ટીકા :- “સંયતત્મિ' તિ-સંયતીત્મ-સંયમfમમુવી, શબ્દોપયો નિવતર श्रयेत्, रागद्वेषरहित आत्मज्ञानं श्रयेत्-आश्रयेत् । धृतिम्-आत्मरतिरूपाम्, अम्बांजननीं श्रयेत् । तेन आहारपर्याप्तिनामकर्मोदयाद् यत्र उत्पन्नः, सा माता, तद्भोगी पिता इति लौकिकसम्बन्धः । तान् वक्ति तौ पितरौ ! मां विसृजत-त्यजत, नाहं वां पुत्रः, न युवां मम जनकौ इति, अयं हि लोके एव मार्गः । अत्र दृष्टान्तः --
વિવેચન - સંયતાત્મા એમ મૂળ શ્લોકમાં શબ્દ છે તેનો અર્થ સંયમ પ્રાપ્ત કરેલ આત્મા એવો અર્થ થાય છે. પરંતુ જેણે સંયમ પ્રાપ્ત કરી લીધો છે તેણે તો માતા-પિતાનો ત્યાગ કરી જ લીધો છે. તેથી માતાપિતાને કહેવાનું રહેતું જ નથી કે હે માતપિતા ! તમે મારો ત્યાગ કરો. અર્થાત્ મને રજા આપો. માટે સંયમી આત્મા એવો અર્થ ન કરતાં સંયમ લેવાને ઉદ્યમશીલ બનેલ આત્મા એટલે કે સંયમને અભિમુખ થયેલ આત્મા આવો અર્થ કરવો.
જે આત્મા સંયમ લેવાને (ત્યાગી જીવન જીવવાને) સન્મુખ થયો છે તેને મનમાં સમજાયું છે કે જ્ઞાન દર્શન-ચારિત્ર-તપ-વીર્ય અને ઉપયોગ ઈત્યાદિ જે આત્મગુણો છે તે જ મારું સાચું સ્વરૂપ છે. તે જ મારું કુટુંબ છે. સંસારી જે મારું કુટુંબ છે તે તો આ ભવ પૂરતું જ છે અને તે પણ નામકર્મના ઉદયથી પ્રાપ્ત થયેલું છે. માટે ઔદયિકભાવ છે, ઔપચારિક છે. તેની સાથે શારીરિક સંબંધ હોવાથી લોકવ્યવહારમાં કુટુંબ કહેવાય છે. પરંતુ મોહ-હેતુ હોવાથી ત્યાજ્ય છે અને ગુણાત્મક કુટુંબ સદાકાલ રહેનાર છે. પોતાનું વાસ્તવિક સ્વરૂપ છે અને કર્મક્ષયનું કારણ છે. માટે મોહહેતુવાળા કુટુંબનો ત્યાગ કરવો એ જ મારું કર્તવ્ય છે. આમ સમજે છે તેથી સંયતાત્મા અર્થાત્ સંયમ લેવાને અભિલાષી બનેલ આત્મા “શુદ્ધોપયોગ” સ્વરૂપ પોતાના પિતાનો અને “વૃતિ” સ્વરૂપ પોતાની ગુણાત્મક માતાનો આશ્રય સ્વીકારે છે.