SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ઈન્દ્રિયજયાષ્ટક - ૭ જ્ઞાનસાર વિવેચન :- એક એક ઈન્દ્રિયના વિષયમાં આસક્ત બનેલા જીવો પણ જો દુઃખ જ પામે છે તો પાંચે ઈન્દ્રિયોમાં જે આસક્ત બને છે. તે જીવનું શું થાય ? અર્થાત્ તે જીવ ઘણાં જ દુઃખો પામે. આ વિષય સમજાવવા ગ્રંથકારશ્રી કહે છે કે - ૨૨૨ પતંગીયું દીવાની જ્યોતમાં એટલે રૂપમાં આસક્ત થયું છતું ઉપર નીચે ઉડતું ઉડતું છેવટ દીવામાં જ બળી મરે છે. માછલું તેને પકડવા માટે મચ્છીમારે નાખેલી જાળમાં રાખેલા માંસના રસાસ્વાદમાં આસક્ત થયું છતું તે જાળમાં જ ફસાય છે અને મચ્છીમાર દ્વારા હણાય છે. ભમરો ગંધમાં આસક્ત થયો છતો કમલમાં ઉંડો ઉંડો પ્રવેશે છે અને સૂર્ય આથમતાં કમલ મીંચાતાં મુંઝાઈને મૃત્યુ પામે છે. હાથી સ્પર્શનેન્દ્રિયમાં આસક્ત થયો છતો પકડાય છે. હાથીને કબજે કરવા લાંબો-પહોળો અને ઉંડો ખાડો કરવામાં આવે છે અને તેમાં બનાવટી હાથણીને રાખવામાં આવે છે. તેના ઉપરના સ્પર્શસુખની આસક્તિથી હાથી ખાડામાં પડે છે. બહાર નીકળવાની જગ્યા ન રહેતાં તે હાથી પકડનારાના હાથમાં ફસાય છે. સારંગ એટલે હરણ, શબ્દમાં આસક્ત થયું છતું મૃત્યુ પામે છે. વાંસળી આદિ વાજીંત્રોના શબ્દો સાંભળવામાં એકલીન બનેલું હરણ પાછળ છુપાઈને ઉભેલા પુરુષથી બાણ વડે મરાય છે. આમ આ પાંચે પ્રાણીઓ ફક્ત એક એક ઈન્દ્રિયના વિષયસુખમાં જ આસક્ત બનેલા છે. પાંચે ઈન્દ્રિયના વિષયમાં આસક્ત બન્યા નથી, તો પણ માત્ર એક જ ઈન્દ્રિયના વિષયાસક્તિના દોષથી દુર્દશાને પામ્યા છે. દુર્દશા એટલે દુષ્ટ દશા (દુષ્ટ અવસ્થા) અથવા દીન (લાચાર) દશાને પામ્યા છે. તો પછી દુષ્ટ એવી તે પાંચે ઈન્દ્રિયો (ની આસક્તિ) વડે શું ન થાય ? કયું દુ:ખ ન આવે ? અર્થાત્ સર્વ દુઃખ આવે જ. આ કારણથી મહાન ચક્રવર્તી રાજાઓ, વાસુદેવો, મંડલિક રાજાઓ (દેવિશેષના ખંડીયા રાજાઓ) તથા કંડરીકાદિ પાંચે ઈન્દ્રિયોના વિષયોમાં વ્યામોહિત ચેતનાવાળા થયા છતા નરકગતિમાં જઈને દીન-દયાપાત્ર-લાચાર અવસ્થાને પામ્યા છે. માટે ઘણું શું કહીએ ? હે ભવ્યજીવો ! આ વિષયોરૂપી વિષનો સંગમ તમે ન કરો. IIII विवेकद्विपहर्यक्षैः, समाधिधनतस्करैः । इन्द्रियैर्न जितो योऽसौ, धीराणां धुरि गण्यते ॥८॥ ગાથાર્થ :- વિવેકરૂપી હાથીનો નાશ કરવામાં સિંહતુલ્ય અને સમાધિ રૂપી આત્મધન લુંટવામાં ચોરની તુલ્ય એવી પાંચ ઈન્દ્રિયો વડે જે નથી જિતાયો તે પુરુષ ધીરુપુરુષોમાં અગ્રેસર ગણાય છે. ટા ટીકા :- ‘‘વિવેòતિ’’-વિવે: સ્વપવિવેદ્યનમ્, સ વ દ્વિપ:-ઽ:, તક્રિયાને
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy