________________
૨૧ ૨ ઈન્દ્રિયજયાષ્ટક - ૭
જ્ઞાનસાર જલથી ભરપૂર ભરેલા એવા ક્યારા તુલ્ય આ ઈન્દ્રિયો છે. અર્થાત્ ક્યારા જેમ પાણીથી ભરપૂર ભરેલા હોય છે તેમ ઈન્દ્રિયો લોભની અપરિમિત વૃદ્ધિથી ભરેલી છે. તે કારણથી તૃષ્ણાથી પ્રેરાયેલી આ પાંચે ઈન્દ્રિયો જીવને વિષયોમાં જ આસક્ત કરીને વિષયોને ભોગવવા તરફ જ સતત દોડાવે છે. તૃષ્ણાનું અનંતપણું નીચે પ્રમાણે શાસ્ત્રમાં કહેલું છે -
કદાચ સોના અને રૂપાના કૈલાસ પર્વતતુલ્ય અસંખ્યાતા પર્વતો થઈ જાય તો પણ લોભી મનુષ્યને તે કંઈ નથી એમ જ દેખાય છે. કારણ કે ઈચ્છા (લોભ-તૃષ્ણા) આકાશની સમાન અનંતી છે. (ઉત્તરાધ્યયન સૂત્ર-૯-૪૮)
અનંતીવાર સર્વે જીવો વડે ભોગવી ભોગવીને જે વમન કરાયેલા છે, ધીરપુરુષો વડે જે દૂરથી જ ત્યજાયા છે તેવા જગતની એંઠતુલ્ય ભોગો ભોગવવાને તૃષ્ણાથી ભરેલો જીવ ઈચ્છે છે. |.
તૃષ્ણાથી આકુળ-વ્યાકુલ અને અતિશય ભોગાસક્ત એવા જીવને જ ભોગો રમણીય લાગે છે અને તે તૃષ્ણાનો અનાદિકાલથી અભ્યાસ છે માટે જ વૃદ્ધિ પામે છે. વિષયોની પ્રાપ્તિ થવાથી ઈન્જનથી જેમ આગ વધે તેમ તૃષ્ણા વધે છે. આ કારણે ઈન્દ્રિયોના વિષયોનો ત્યાગ કરવો યોગ્ય છે. વિષયભોગથી તૃષ્ણા વધે છે માટે પાંચે ઈન્દ્રિયોને તે તે વિષયોથી દૂર રાખવી એ જ કલ્યાણકારી માર્ગ છે. ગમે તેટલા ભોગો આ જીવ ભોગવે તો પણ ઈન્દ્રિયો ક્યારેય તૃપ્ત થવાની નથી. વળી આ ભોગો અનંત જીવો વડે વારંવાર ભોગવી ભોગવીને મુકાયેલા છે. એટલે જગતની એંઠતુલ્ય છે. માટે જ સંતપુરુષો રાજપાટ છોડીને સાધુ થાય છે. ગામ છોડીને અરણ્યવાસ સ્વીકારે છે. લોકસંપર્ક છોડીને નિર્જન વનમાં વસે છે. માટે ઈન્દ્રિયોને વિષયોથી દૂર જ રાખવી હિતાવહ છે. રા.
सरित्सहस्रदुष्पूर-समुद्रोदरसोदरः । तृप्तिमान्नेन्द्रियग्रामो भव तृप्तोऽन्तरात्मना ॥३॥
ગાથાર્થ - હજારો નદીઓથી પણ દુઃખે દુઃખે પૂરાય તેવા અર્થાત્ ન પૂરાય તેવા સમુદ્રના મધ્ય ભાગ સરખો આ પાંચે ઈન્દ્રિયોનો સમૂહ છે. તે ક્યારેય તૃપ્તિમાન થવાનો નથી. માટે હે ભવ્ય જીવ ! તું આત્માની અંદર રહેલા પોતાના ગુણાત્મક સ્વરૂપ વડે તૃપ્ત થા. ||all
ટીકા :- “રત્નતિ"- ભવ્ય ! દ્રિયગ્રામ: તૃપ્તિમાન ર, લાપ न तृप्तिं लभते । यतः "अभुक्तेषु ईहा, भुज्यमानेषु मग्नता, भुक्तपूर्वेषु स्मरणम्" इति त्रैकालिकी अशुद्धा प्रवृत्तिः इन्द्रियार्थरक्तस्य । तेन तृप्तिः का ? कथम्भूतः