________________
જ્ઞાનમંજરી ઈન્દ્રિયજયાષ્ટક - ૭.
૨૧૧ માત્મવાર્તઃ = વૃક્ષની આજુબાજુ પાણી રોકવા માટે કરાતી માટીની વાડ અર્થાત્ પાણીના ક્યારા.
તુચ્છામ્ = અતિશય ઘણી વૃદ્ધા = વૃદ્ધિ પામેલા-મોટા થયેલા તૃUTગન્નાપૂર્વો = તૃષ્ણારૂપી જલથી ભરપૂર ભરેલા. ન્દ્રિઃ = વિષયભોગની અંદર અત્યન્ત રસિક. વિવાવિષપીપર = પાંચ ઈન્દ્રિયોના વિકારો એ જ વિષવૃક્ષો છે.
છત્તિ = આપે છે. મુંઝવણ કરે છે. મોહબ્ધ બનાવે છે.
ઘરના ચોકમાં કોઈ વિષનું વૃક્ષ ઉગ્યું હોય તો તેને ઉખેડીને દૂર કરી નાખવું જોઈએ કે જેથી તે વૃક્ષ મોટું ન થાય અને ભાવિમાં વિશ્વની અસર કરે એવી મૂછ-બેહોશતા ન આપે પરંતુ તેને બદલે જે મનુષ્યો ચોકમાં ઉગેલા વિષવૃક્ષને મોટું કરવા માટે તેની ચારે બાજુ પાણી ટકી રહે તે માટે ક્યારો કરે અને તે ક્યારાને પાણીથી સદા ભરપૂર-ભરેલો રાખે તો તે ક્યારામાં રહેલા પાણીનું પાન કરી કરીને વૃદ્ધિને પામેલું એવું તે વિષવૃક્ષ ઘટાદાર છાયાવાળું બને જ, તેને કોઈ રોકી શકતું નથી. પછી તે વૃક્ષની છાયામાં જે કોઈ મનુષ્ય આવે તેને તે વૃક્ષ (અથવા) વૃક્ષીય છાયા બેહોશ કરે-મૃત્યુ પણ પમાડે તેમાં કંઈ આશ્ચર્ય નથી. કારણ કે વિષવૃક્ષનો તો આ સ્વભાવ જ છે.
તેની જેમ પાંચ પ્રકારના વિષયભોગમાં અત્યન્ત આસક્ત એવી જે ઈન્દ્રિયો છે તે ક્યારા તુલ્ય છે. તે ઈન્દ્રિયો રૂપી ક્યારા દ્વારા અતિશય વૃદ્ધિને (મોટાઈને) પામેલા એટલે કે ફાલ્યાફલ્યા થયેલા એવા ચિત્તમાં ઉઠેલા વિકારો-વાસનાદિ રૂપ વિષનાં વૃક્ષો તેની અંદર આવનારાને અતુચ્છ (અતિશય ઘણી) મૂછ આપે છે. સારાંશ એમ છે કે – અનાદિકાલથી નિશ્ચયદૃષ્ટિએ આ આત્મા શુદ્ધ છે. તથા શુદ્ધ આત્મસ્વરૂપથી યુક્ત છે. એટલે કે પરભાવની રમણતા રૂપ અભોગ્યભાવને ભોગવવા માટે અયોગ્ય છે ચેતના જેની એવા આત્માઓને પણ (એટલે કે શુદ્ધ આત્માને પણ) આ વિકારો રૂપી વિષવૃક્ષો વિષયોમાં આસક્ત એવી સ્પર્શનાદિ પાંચ ઈન્દ્રિયો રૂપી ક્યારાઓ વડે વૃદ્ધિ પામ્યાં છતાં મહામોહને કરે છે, મોહાધતા લાવે છે. મૂચ્છ ઉત્પન્ન કરે છે. આ વિકારો ઈન્દ્રિયો દ્વારા જીવને મૂર્ષિત કરે છે.
આ ઈન્દ્રિયો રૂપી ક્યારા કેવા છે? તૃષ્ણા રૂપી જલથી ભરપૂર ભરેલા. અર્થાત્ લોભની અધિકતા, લોભરૂપી તરંગો, લાલસા, વસ્તુ પ્રાપ્ત કરવાની અતિશય ભૂખ, તે રૂપી