SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ જ્ઞાનાષ્ટક - ૫ સમયે પણ અનંતજીવોનું સમાન એક જ અધ્યવસાયસ્થાન હોય છે પ્રથમસમયે અને તે પ્રથમસમયવર્તી જીવોના અધ્યવસાય કરતાં અનંતગુણ વિશુદ્ધ બીજાસમયે હોય છે. બીજા સમય કરતાં ત્રીજા સમયનું અને ત્રીજા સમય કરતાં ત્રીજાસમયે ચોથા સમયનું એમ પ્રતિસમયે અનંતગુણ વિશુદ્ધિ વડે વધતું પણ એક ચોથાસમયે એક અધ્યવસાયસ્થાન હોય છે. તેથી તે “મુક્તાવલી’” મોતીના પાંચમાસમયે હારની જેમ આકારવાળાં અધ્યવસાયસ્થાનો થાય છે. - જ્ઞાનસાર છ ૦ 0 ત્રણે કરણોમાં પ્રથમસમયથી બીજા સમયમાં અને બીજા સમયથી ત્રીજા સમયમાં અને ત્રીજા સમયથી ચોથા સમયમાં અધ્યવસાયસ્થાનો કેટલાં ? અને કેવી વિશુદ્ધિવાળાં છે ? તે ઉપરના ચિત્રમાં સમજાવવામાં આવ્યું છે. પરંતુ એક એક સમયમાં પ્રથમના બે કરણોમાં જે અસંખ્યાતલોકાકાશ પ્રદેશપ્રમાણ અધ્યવસાયસ્થાનો હોય છે તે તિર્થાં કેવા પ્રકારની વિશુદ્ધિવાળાં હોય છે ? દાખલા તરીકે ઉપરના ચિત્રમાં યથાપ્રવૃત્તકરણના પ્રથમ સમયમાં O ૦ ૦ ૦ સ્થાનો લખ્યાં છે તે પરસ્પર કેવી વિશુદ્ધિવાળાં છે ? બીજા સમયમાં ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ જે લખ્યાં છે તે પરસ્પર કેવી વિશુદ્ધિવાળાં છે ? તેને “તિધ્ન’” કેવાં છે ? એ હવે કહેવાય છે. કોઈપણ એકસમયવર્તી અધ્યવસાય સ્થાનો કરતાં તેના પછીના સમયવર્તી અધ્યવસાયસ્થાનો એમ ઉપર ઉપર વિચારીએ તો પ્રતિસમયે અનંતગુણી વિશુદ્ધિ વડે વધતાં તે અધ્યવસાયસ્થાનો છે. પરંતુ તિધ્ન વિચારીએ તો એટલે કોઈપણ એકસમયવર્તી જે અધ્યવસાયસ્થાનો છે તે સર્વને માંહોમાંહે વિચારીએ તો તે પ્રતિસમયે જઘન્યથી ઉત્કૃષ્ટ સુધી છ પ્રકારની વિશુદ્ધિની વૃદ્ધિવાળાં અને ઉત્કૃષ્ટથી જઘન્ય તરફ ગણીએ તો વિશુદ્ધિની હાનિવાળાં છે. એમ ષગુણ વૃદ્ધિ-હાનિવાળાં એટલે કે ષસ્થાન પતિત છે. પ્રથમસમયમાત્રવર્તી અસંખ્યાત અધ્યવસાયસ્થાનોમાં સૌથી જઘન્યવિશુદ્ધિવાળા પ્રથમ અધ્યવસાય કરતાં તેની પાસેનાં કેટલાંક અનંતભાગઅધિક, ત્યાર પછીનાં કેટલાંક અસંખ્યાતભાગ અધિક, ત્યાર પછીનાં કેટલાંક સંખ્યાતભાગ અધિક, ત્યાર પછીના કેટલાંક સંખ્યાતગુણ અધિક, ત્યાર પછીના કેટલાંક અસંખ્યાતગુણ અધિક અને ત્યાર પછીના કેટલાંક અધ્યવસાયસ્થાનો અનંતગુણ અધિક વિશુદ્ધિવાળા હોય છે. આમ ષટ્ચાનપતિત કહેવાય છે. इह कल्पनया द्वौ पुरुषौ युगपत्करणप्रतिपन्नौ विवक्ष्येते, तत्रैकः सर्वजघन्यया श्रेण्या प्रतिपन्नः, अपरः सर्वोत्कृष्टया विशोध्या । प्रथमजीवस्य प्रथमसमये मन्दा, द्वितीयसमयेऽनन्तगुणा, तृतीयेऽनन्तगुणा, एवं यावत् येषां यथाप्रवृत्तकरणस्य सङ्ख्येयो भागो गतो भवति, ततः प्रथमसमये द्वितीयस्य जीवस्योत्कृष्टं विशोधिस्थान
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy