________________
૧૧૪
મોહત્યાગાષ્ટક - ૪
पुनस्तदेव भावयति = ફરીથી આ જ વાત વધારે સ્પષ્ટપણે સમજાવે છે. शुद्धात्मद्रव्यमेवाहं, शुद्धज्ञानं गुणो मम । નાચોડ્યું, ન મમાચે, શ્વેત્યો મોહાસ્ત્રમુત્બરમ્ IIII
જ્ઞાનસાર
ગાથાર્થ :- શુદ્ધ આત્મદ્રવ્ય એ જ અને શુદ્ધ જ્ઞાન એ જ મારો ગુણ છે. એ વિના અન્ય હું કોઈ નથી અને મારું કોઈ નથી. આવા પ્રકારનું તત્ત્વચિંતન-તત્ત્વમનન એ જ મોહને મારનારું પ્રબળ શસ્ત્ર છે. ॥૨॥
ટીકા :- ‘“શુદ્ધેતિ’’-શુદ્ધ:-નિર્મત:-સલઘુદ્રત્તાશ્ર્લેષરહિત: જ્ઞાનવર્શનચારિત્રवीर्याव्याबाधामूर्ताद्यनन्तगुणपर्याय नित्यानित्याद्यनन्तस्वभावमयः, असङ्ख्य प्रदेशी, स्वभावपरिणामी, स्वरूपकर्तृत्वभोगकर्तृत्वादिधर्मोपेतः आत्मा शुद्धात्मा, तदेव शुद्धात्मद्रव्यमेवाहम्, अनन्तस्याद्वाद - स्वसत्ताप्राग्भावरसिकः, अनवच्छिन्नानन्दपूर्णपरमात्मा, परमज्योतीरूपः अहम्,
शुद्धं निरावरणं सूर्यचन्द्रादिसहायविकलप्रकाशं, एकसमये त्रिकालत्रिलोकगतसर्वद्रव्यपर्यायोत्पादव्ययध्रौव्यावबोधकं ज्ञानं मम गुणः, अहं कर्त्ता ज्ञानस्य, मे कार्यं ज्ञानम्, ज्ञानकरणान्वितः ज्ञानपात्रः ज्ञानाद् जानन् ज्ञानाधारः अहम्, ज्ञानमेव मम स्वरूपम्, इत्यवगच्छन् अन्ये धर्माधर्माकाशपुद्गलास्ततोऽन्यो जीवपदार्थ:, जीवपुद्गलसंयोगजपरिणामः अन्यः सर्वः, अहं न, मत्तः भिन्ना एव एते पूर्वोक्ता भावाः, मम द्रव्यादिचतुष्टयेन भिन्नत्वात् ।
વિવેચન :- હું શુદ્ધ આત્મદ્રવ્ય જ છું. શુદ્ધ એટલે અત્યન્ત નિર્મળ, સર્વ પ્રકારના પુદ્ગલોના આલિંગનથી રહિત, અલ્પ પણ નથી પુદ્ગલનો સંબંધ જેને એવો કેવલ એકલો મારો આત્મા એ જ હું છું. જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય, અવ્યાબાધસુખ, અમૂર્તતા વગેરે વગેરે અનંત ગુણ-પર્યાયવાળો હું છું, આવા પ્રકારના સ્વાભાવિક અનંત ગુણો અને સ્વાભાવિક અનંત પર્યાયો એ જ મારું સ્વરૂપ છે, પુદ્ગલોની સાથે જોડાવું એ મારું સ્વરૂપ નથી. દ્રવ્યથી નિત્ય અને પર્યાયથી અનિત્ય, ગુણ-ગુણીભાવે ભિન્ન અને તાદાત્મ્યસંબંધથી અભિન્ન, આમ નિત્યાનિત્ય, ભિન્નાભિન્ન, એકાનેક, વાચ્યાવાચ્ય, સામાન્ય-વિશેષ, અસ્તિ-નાસ્તિ ઈત્યાદિ પરસ્પર વિરુદ્ધ દેખાતા પણ વિવિધ નયોની અપેક્ષાએ સમન્વય પામતા એવા અનંત સ્વભાવમય હું છું. તથા લોકાકાશપ્રમાણ અસંખ્ય આત્મપ્રદેશોવાળો હું આત્મા છું. શુદ્ધ નિશ્ચયનયની દૃષ્ટિએ હું મારી સ્વભાવદશામાં જ પરિણામ પામનારો પદાર્થ છું. (વિભાવદશા