________________
ગણધરવાદ
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ અને ઈન્દ્રિયો પુદ્ગલના સંઘાતસ્વરૂપ (સમૂહાત્મક) હોવાથી તેનો કોઈક સ્વામી છે. જેમ ઘરનો સ્વામી તેનો માલીક છે તેમ શરીરાદિનો જે સ્વામી છે તે જીવ છે. ૧૫૬૯
વિવેચન - હવે આત્માની સિદ્ધિમાં ચોથું અનુમાન જણાવે છે. તે આ પ્રમાણે છે - “હેટ્વિીનાં વશિત્ મોવત્તાતિ, મોલ્વી, મસ્તસ્ય નર રૂવ' જેમ શાલિ-દાળ-વૃતતંબોલ આદિ અનેક પ્રકારનું ભોજન તથા વસ્ત્ર અલંકારાદિ પદાર્થો ભોગ્ય (ભોગવવા લાયક) હોવાથી અવશ્ય તેનો કોઈક દેવદત્તાદિ ભોક્તા છે. જે જે ભોગ્ય હોય છે તેનો કોઈ ને કોઈ ભોક્તા હોય જ છે. જેમકે ભોજન-વસ્ત્રાદિનો ભોક્તા પુરુષાદિ છે અને જેનો કોઈ ભોક્તા નથી, તે ભોગ્ય પણ હોતું નથી. જેમકે આકાશ પુષ્પ, ખરવૃંગાદિ. અહીં શરીર એ ભોગ્ય છે, ઈન્દ્રિયો પણ ભોગ્ય છે. તો આ બન્ને પદાર્થોનો કોઈક ભોક્તા હોવો જોઈએ. જે ભોક્તા છે તે જ જીવ છે.
હવે પાંચમું અનુમાન જણાવે છે - તેહાલીનાં કર્થી (સ્વાપી) ફ્લેવ, સતિરૂપત્ની, પૃહાનાં વત્તાવિવત્ = જેમ ઘર, હાટ, વસ્ત્ર-અલંકારો વગેરે પદાર્થો પુગલના સંઘાતસ્વરૂપ છે. એટલે કે પુદ્ગલોની સુંદર રચના સ્વરૂપ-ઉત્તમઘાટ સ્વરૂપ છે. માટે તેનો કોઈક સ્વામી છે. તેની જેમ શરીર અને ઈન્દ્રિયો પણ વ્યવસ્થિતપણે પુગલોની સુંદર રચના સ્વરૂપ છે. માટે અવશ્ય તે શરીરાદિનો કોઈક સ્વામી છે. જે સ્વામી છે તે જ જીવ છે. જે જે પદાર્થ સ્વામીવાળો હોતો નથી, તે તે પદાર્થ પુગલોના સંઘાતાત્મક પણ હોતો નથી. જેમકે આકાશ, આકાશપુષ્પ ઈત્યાદિ.
અહીં ચણુક-ચણક-ચતુરણુક આદિ સૂક્ષ્મસ્કંધો પણ પુગલના સંઘાતાત્મક છે. પરંતુ વિદ્યમાન સ્વામીવાળા નથી. તેથી હેતુ સાધ્યના અભાવમાં (વિપક્ષમાં) પણ વર્તે છે. તેથી અન્નકાન્તિક હેત્વાભાસ થાય છે. તો પણ તે અનૈકાન્તિકતા અટકાવવા માટે મૂર્તિમન્વત્ ન્દ્રિયવાન્ અને રક્ષણવત્ વગેરે સંભવતાં વિશેષણો હેતુમાં કહેવાં. સારાંશ કે શરીર અને ઈન્દ્રિયો પુગલના સમૂહાત્મક અવશ્ય છે. પરંતુ તે સમૂહ મૂર્તિમાન છે. (દશ્ય છે), ઈન્દ્રિયગોચર છે અને ચક્ષુથી ગોચર છે. જ્યારે રાણકાદિ પુગલના સૂક્ષ્મસ્કંધો સંઘાતસ્વરૂપ અવશ્ય છે. પરંતુ દેશ્ય નથી. ઈન્દ્રિયગ્રાહ્ય નથી અને ચક્ષુર્ગોચર નથી. તેથી અનૈકાન્તિકતા થતી નથી. જે જે દેશ્ય એવો સંઘાત હોય, ઈન્દ્રિયગ્રાહ્ય એવો સંઘાત હોય અને ચક્ષુર્ગોચર એવો સંઘાત હોય, તે તે સંઘાત વિદ્યમાનસ્વામી વાળા હોય છે. જેમ ગૃહાદિનો સ્વામી દેવદત્તાદિ હોય છે. તેવી જ રીતે શરીરાદિ પણ દેશ્યસંઘાતરૂપ, ઈન્દ્રિયગ્રાહ્યસંઘાતરૂપ અને ચક્ષુર્ગોચરસંઘાતરૂપ છે. માટે તેનો કોઈક સ્વામી હોવો જોઈએ. જે સ્વામી છે તે જ જીવ છે. ચણક આદિ સૂક્ષ્મસ્કંધો પુદ્ગલના સંઘાતસ્વરૂપ છે પરંતુ ઉપરોક્ત વિશેષણયુક્ત