SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ ગણધરવાદ સાધવામાં આવે છે. તેને ન્યાયશાસ્ત્રમાં “અનુમાનપ્રમાણ” કહેવાય છે. જ્યાં સુધી વસ્તુ પ્રત્યક્ષ જણાતી હોય છે. ત્યાં સુધી તો અનુમાનની જરૂર હોતી નથી. પરંતુ પ્રત્યક્ષ ન જણાય ત્યારે અનુમાન કલ્પવામાં આવે છે. જેમકે મહાનસમાં (રસોડામાં) વહ્નિ સાક્ષાત્ નજરે દેખાય જ છે એટલે ત્યાં અગ્નિનું અનુમાન કરાતું નથી. પરંતુ પર્વતોની ખીણમાં લાગેલ અગ્નિ ચક્ષુ આદિથી સાક્ષાત્ જણાતો નથી તેથી ધૂમ દ્વારા અગ્નિનું અનુમાન કરાય છે. તેમ પોતાના શરીરમાં આત્મા “સદં-મર્દ" ના પ્રત્યક્ષથી કથંચિત્ પ્રત્યક્ષ અનુભવાય છે. આ વાત ૧૫૫૪ થી ૧૫૬૩ માં સમજાવી છે. પરંતુ બીજાના શરીરમાં આત્મા છે. તે આપણને પ્રત્યક્ષપ્રમાણથી અનુભવાતું નથી. તેથી અનુમાન દ્વારા સમજાવવામાં આવે છે. આ અનુમાનપ્રમાણની રીતભાત સમજવા માટે કેટલાક પારિભાષિક શબ્દો સમજવા પડે તેમ છે તો જ આગળ-આગળ આવતો વિષય સમજાય તેમ છે. તેથી તે પારિભાષિક શબ્દોના અર્થ આ પ્રમાણે છે - (૧) જે સ્થાનમાં વસ્તુ સમજાવવી હોય તેને પક્ષ કહેવાય છે. જેમકે પર્વતમાં વહ્નિ સમજાવવી છે તો પર્વતને પક્ષ કહેવાય છે. તેમ અહીં પરના શરીરમાં આત્મા સમજાવવો છે. તેથી પરનું શરીર એ પક્ષ બને છે. (૨) કોઈપણ સ્થાનમાં જે વસ્તુ સમજાવવી હોય છે તેને સાધ્ય કહેવાય છે. જેમકે પર્વતમાં વહ્નિ સમજાવવો છે. તેથી વહ્નિ એ સાધ્ય છે તેમ પરના શરીરમાં આત્મા સમજાવવો છે. તેથી આત્મા એ સાધ્ય કહેવાય છે. (૩) જે લિંગ દ્વારા વસ્તુ સમજાવવામાં આવે છે તે લિંગને હેતુ કહેવાય છે. જેમકે પર્વતમાં સમજાવાતા વહ્નિ માટે ધૂમ એ હેતુ છે અને પરશરીરમાં સમજાવાતા આત્મા માટે વિજ્ઞાનાદિમયત એ હેતુ છે. આવા પ્રકારના હેતુ અનેક પણ હોય છે. એક જ હેતુ હોય એવો નિયમ નથી. (૪) જ્યાં જ્યાં લિંગ (હેતુ) હોય છે ત્યાં ત્યાં લિંગી (સાધ્ય) હોય જ છે. એવા પ્રકારના નિયમને, બન્નેનું જે સાથે રહેવાપણું છે તેને, તથા આવા અવિનાભાવસંબંધને અન્વયવ્યાપ્તિ કહેવાય છે. જેમકે જ્યાં જ્યાં ધૂમ હોય ત્યાં ત્યાં વહ્નિ હોય જ, તેવી રીતે જ્યાં જ્યાં સ્મરણ-જિજ્ઞાસા આદિ જ્ઞાનાદિગુણો હોય ત્યાં ત્યાં આત્મા નામનું દ્રવ્ય હોય જ. તે અન્વયવ્યાપ્તિ કહેવાય છે. (૫) અન્વયવ્યાપ્તિને અનુસરનારું જે ઉદાહરણ હોય તેને અન્વયદેષ્ટાન્ત કહેવાય
SR No.009132
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2009
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy