________________
ગણધરવાદ
અગિયારમા ગણધર - પ્રભાસ
૫૭૫
સર્વવ્યાપીપણું (વ્યાપકત્વ) વગેરે ધર્મો પણ આકાશની જેમ મુક્તાત્મામાં ઘટી શકશે. “વ્યત્વે સત્યમૂર્તીત્' આ હેતુથી આકાશ અને મુક્તાત્માને સમાન માનીને જેમ આકાશ નિત્ય છે તેમ મુક્તાત્મા પણ નિત્ય છે આમ આપ કહો છો. તેવી જ રીતે આ જ હેતુથી જેમ આકાશ સર્વવ્યાપી છે. કર્માદિનો અકર્તા-અભોક્તા છે. તેમ જીવાત્મા પણ સર્વવ્યાપી અને અકર્તા-અભોક્તા સિદ્ધ થઈ જશે.
ઉત્તર - આ પ્રશ્ન બરાબર નથી. સર્વગતત્વ (સર્વવ્યાપિત)ની સાથે બાધા આપે તેવું પ્રતિસ્પર્ધી અનુમાન વિદ્યમાન છે. માટે સર્વવ્યાપત્ય સિદ્ધ થતું નથી. તે અનુમાન આ પ્રમાણે છે -
जीवः त्वक्पर्यन्तदेहमात्रव्यापकः, तत्रैव तद्गुणोपलब्धेः स्पर्शनवत् ५ यामी સુધીના શરીરમાં જ માત્ર વ્યાપક છે. (પરંતુ સર્વ જગતમાં વ્યાપ્ત નથી.) કારણ કે ત્યાં જ (શરીરમાત્રમાં જ) તેના ગુણો દેખાય છે. જેમ સ્પર્શનેન્દ્રિય દ્વારા સ્પર્શ ગુણ ત્યાં જ અનુભવાય છે તેમ જીવના ગુણો ચૈતન્યાદિ શરીરમાં જ અનુભવાય છે. તેથી જીવ શરીરમાત્ર વ્યાપી છે પણ જગવ્યાપી નથી. જીવના “સર્વવ્યાપિ૦”નો બાધ કરે તેવું આ અનુમાન પ્રમાણ વિદ્યમાન હોવાથી જીવનું સર્વવ્યાપિત સિદ્ધ થતું નથી.
આ જ પ્રમાણે આત્માને પ્રથમ અનુમાનમાં આકાશના જેવો કહ્યો, એટલે કોઈ આ આત્માને આકાશની જેમ કર્મોનો અકર્તા અને અભોક્તા નીચેના અનુમાનથી કદાચ કહે તો તેનું ખંડન પણ ઉપરોક્ત દલીલોથી સ્વયં કરી લેવું.
નીવ: ર વધ્યતે નાપિ પુષ્ય, કવ્યત્વે સત્યમૂર્તત્વ, નમોવત્ = આ જીવ કર્મોથી બંધાતો પણ નથી અને કર્મોથી મુકાતો પણ નથી. દ્રવ્યસ્વરૂપ હોતે છતે અમૂર્ત હોવાથી આકાશની જેમ. આ અનુમાનથી કોઈ આત્માને કર્મોનો અબંધક અને તેથી ન મુકાનાર કદાચ માને અને આ કારણે કર્મોનો કર્તા અને કર્મોનો નાશક આત્મા છે આવું માનનારા જૈનદર્શનને કદાચ કોઈ દૂષણ આપે તો તેને નીચે લખેલા આવા પ્રતિસ્પર્ધી અનુમાનથી ઉત્તર આપવો. પ્રતિસ્પર્ધી અનુમાન આ પ્રમાણે છે -
जीव: पुण्यपापकर्मणा बध्यते, दानादि-हिंसादिक्रियाणां सफलत्वात्, कृष्यादिક્રિયાવત્ = જીવ પુણ્ય અને પાપ કર્મોથી બંધાય છે. કારણ કે જીવ વડે કરાતી જેમ ખેતીની ક્રિયા ફળને આપનારી છે તેમ દાનાદિ શુભ ક્રિયાઓ અને હિંસાદિ અશુભ ક્રિયાઓ પણ અવશ્ય કંઈક ને કંઈક ફળને આપનારી છે. તે દાનાદિ અને હિંસાદિ ક્રિયાઓનું જે ફળ છે તે જ પુણ્ય-પાપ કર્મોનો બંધ છે. માટે જીવ કર્મોનો બંધક છે. આ