________________
૫૪૮ દેશમાં ગણધર - મેતાર્ય
ગણધરવાદ જ્ઞાન-દર્શન શક્તિનો વપરાશ. જીવમાં વર્તતી જે જ્ઞાન-દર્શનરૂપ શક્તિ છે તેના વપરાશને ઉપયોગ કહેવાય છે. આ જ્ઞાનદર્શનાત્મક ઉપયોગ રાગ-દ્વેષ-કષાય-વિષયવાળા અધ્યવસાયો વગેરે વડે ભિન્ન ભિન્ન હોય છે. આમ ઉપાધિના ભેદથી ઉપયોગ અનંત છે. તેથી આત્મા પણ અનંત છે. જેમ ઘટ-પટ-મઠ ઈત્યાદિ પદાર્થો ભિન્ન-ભિન્ન છે તેમ શરીરે શરીરે આત્મા ભિન્ન-ભિન્ન છે. ગીવાઃ અનન્તા, નક્ષપામેલાતુ દાવિત્
તથા આ આત્મા આકાશની જેમ સર્વવ્યાપી નથી પણ પોતપોતાના શરીરમાં જ વ્યાપ્ત છે. કારણ કે જ્યાં શરીર હોય છે ત્યાં જ આત્માના ગુણોની ઉપલબ્ધિ થાય છે. આવું અનુમાન પણ જાણવું. મૂલગાથામાં નવUTIટ્ટ શબ્દમાં કહેલા સાદ્રિ શબ્દથી તાપળે: હેતુ સમજી લેવો. સ્પર્શનેન્દ્રિયની જેમ આ દૃષ્ટાન્ત જાણવું. માત્મા ન सर्वव्यापी किन्तु शरीरव्यापी, तत्रैव तद्गुणोपलब्धेः, स्पर्शनेन्द्रियवद् मावा प्रा२नु अनुमान જાણવું. જેના ગુણો જ્યાં દેખાય તે વસ્તુ ત્યાં જ હોય છે. જેમ સ્પર્શનેન્દ્રિયનો ગુણ સ્પર્શ
જ્યાં તે ઈન્દ્રિય હોય છે ત્યાં જ જણાય છે. એમ આત્માના ગુણો શરીરમાં જ જણાય છે. માટે આત્મા શરીરની અંદર વ્યાપ્ત છે. પણ સર્વવ્યાપી નથી. તથા આત્મા નિષ્ક્રિય નથી પણ સક્રિય છે. ગમનાગમનની ક્રિયાવાળો છે. સુખ-દુઃખાદિ ભાવોનો ભોક્તા હોવાથી દેવદત્તની જેમ. જેમ દેવદત્ત સુખ-દુઃખાદિનો ભોક્તા હોવાથી સુખમાં જોડાનારો અને દુઃખથી ભાગનારો એમ ગમનાગમનની ક્રિયાવાળો છે. તેમ આ આત્મા પણ સુખદુઃખાદિનો ભોક્તા હોવાથી ગમનાગમનની ક્રિયાવાળો છે, પણ નિષ્ક્રિય નથી.
આ રીતે આ આત્મા એક નથી પણ અનંત છે. સર્વવ્યાપી નથી પણ શરીરમાત્રવ્યાપી છે. નિષ્ક્રિય નથી પણ સક્રિય છે. આ સઘળી બાબતો ઈન્દ્રભૂતિ નામના પ્રથમ ગણધરની જેમ તમે સ્વીકારો. ll૧૯૫૭
જે પહેલાં ૧૯૫૫મી ગાથામાં એમ કહેવામાં આવ્યું કે દેવો અને નારકી પ્રત્યક્ષનો અવિષય હોવાથી પરલોકની બાબતમાં મને સંશય થાય છે. તે તમારી વાત અયુક્ત છે. કારણ કે સાતમા-આઠમા મૌર્ય અને અકમ્પિત ગણધરના વાદમાં જ દેવો અને નારકોની સિદ્ધિ કરેલી જ છે. તેથી તેની જેમ અહીં સમજી લેવું. આ વાત જણાવતાં કહે છે કે -
इहलोगाओ य परो सोम्म ! सुरा नारगा य परलोओ । पडिवज मोरिआकंपिउ व्व विहियप्पमाणाओ ॥१९५८॥ (इहलोगाच्च परः सौम्य ! सुरा नारकाश्च परलोकः । प्रतिपद्यस्व मौर्याकम्पिताविव विहितप्रमाणात् ॥)