________________
ગણધરવાદ
નવમાં ગણધર - અચલભ્રાતા
૫૦૫
સમાન માનવા જતાં કારણ જ માનવા પડે. જો ઘટ-પટને કાર્ય છે આમ કહીએ તો સર્વથા અનુરૂપ માન્યા કહેવાય નહીં. તેથી બન્નેને કાંતો કારણ માનવા પડે અથવા કાંતો કાર્ય માનવા પડે અને એમ માનવા જતાં “કાર્ય-કારણતા” ઘટે નહીં.
અથવા એકને કાર્ય માન્ય છતે બીજાને પણ કાર્ય જ માનવું પડે, આ જ બને ઉદાહરણમાં ઘટ-પટ કાર્ય હોવાથી માટી અને હજુ પણ કાર્ય જ માનવાં પડે તો જ સર્વધર્મથી સમાનતા ગણાય અને આમ માનવા જતાં માટી અને ઘટ અને કાર્ય જ થવાથી કાર્ય-કારણતા કહેવાશે નહીં. આ રીતે સર્વધર્મથી સમાનતા જો લઈએ તો એકને કારણ માન્ય છતે અન્યને પણ કારણ માનતાં, તથા એકને કાર્ય માન્ય છતે અન્યને પણ કાર્ય માનતાં કાર્ય-કારણતા સંભવતી નથી. બન્નેનું કાં તો કારણપણું જ થાય છે અથવા તો બન્નેનું કાર્યપણું જ થાય છે. પણ “કાર્ય-કારણતા” સંભવતી નથી.
(૨) હવે જો કાર્યથી કારણનો એકાન્ત ભેદ જ માનવામાં આવે એટલે કે કોઈપણ ધર્મથી સમાન ન જ હોવું જોઈએ. સર્વથા અસમાન જ હોવું જોઈએ આવું જો માનવામાં આવે તો ઘટ-પટ વગેરે કાર્યને વસ્તુ સ્વરૂપ માન્ય છતે માટી અને તન્ત-આત્મક તેના કારણનું વસ્તુપણું કેમ રહેશે ? અર્થાત્ માટી અને તખ્તને વસ્તુરૂપે મનાશે નહીં. કારણ કે કાર્યને પણ વસ્તુ માનીએ અને કારણને પણ વસ્તુ માનીએ તો છેલ્લે “વસ્તુપણાથી” તેં તે બન્ને સમાન જ થઈ જાય. સર્વથા ભેદ માનવાની હાનિ થવાનો પ્રસંગ આવે. એટલે જો કાર્યને વસ્તુસ્વરૂપ માનો તો કારણને આકાશપુષ્પની જેમ અસત્ માનવાં પડે અને જો કારણને વસ્તુસ્વરૂપ માનો તો કાર્યને આકાશપુષ્પની જેમ અસત્ માનવાં પડે. માટે સર્વધર્મથી અસમાન જ હોવા જોઈએ આવો એકાન્તવાદ પણ ઉચિત નથી. તેથી કાર્યની અને કારણની સર્વધર્મોથી અનુરૂપતા કે સર્વધર્મોથી અનનુરૂપતા માનવી ઉચિત નથી. પરંતુ કેટલાક ધર્મોથી તુલ્યતા અને કેટલાક ધર્મોથી અતુલ્યતા માનવી એ જ ન્યાયમાર્ગ છે. I/૧૯૨૩/
જો સર્વથા અનુરૂપતા કે સર્વથા અનનુરૂપતા માનવામાં દોષ જ દેખાય છે. તો શું માનવું ઉચિત છે ? અર્થાત્ શું માનીએ તો દોષ ન આવે? તે કહે છે -
सव्वं तुल्लातुल्लं, जइ तो कजाणुरूवया केयं ? जं सोम्म ! सपज्जाओ कजं परपज्जओ सेसो ॥१९२४॥ (सर्वं तुल्यातुल्यं यदि ततः कार्यानुरूपता केयम् । યત્ સૌમ્ય ! સ્વપર્યાયઃ વાર્થ પરંપર્યયઃ શેષ: ૧)