________________
૫૦૪
નવમા ગણધર - અચલભ્રાતા
ગણધરવાદ
(न हि सर्वथानुरूपं भिन्नं वा कारणं, अथ मतं ते । વિં માર્ય-રમિથવી વસ્તુત્વ તી ? )
ગાથાર્થ - જે કારણ હોય છે તે કાર્યને સર્વથા અનુરૂપ જ હોય, એમ પણ નથી તેમજ સર્વથા ભિન્ન (અનનુરૂપ) હોય એમ પણ નથી. જો સર્વથા અનુરૂપ જ હોય તો કાર્ય-કારણપણું રહેતું નથી. અથવા એકાન્ત ભેદ જ માને છત કારણનું વસ્તુપણું કેમ ઘટે? //૧૯૨૩/l.
વિવેચન - ગાથા ૧૯૨૧માં આ પ્રમાણે જે કહેવામાં આવ્યું છે કે “કાર્યને અનુરૂપ કારણ હોવું જોઈએ” તેથી સુખ અને દુઃખનું કારણ પુણ્ય અને પાપ નામનું કર્મ છે. આ વિષયમાં ગાથા ૧૯૨૨માં જે પ્રશ્ન કરવામાં આવ્યો કે જો સુખ અને દુઃખનું જે કારણ હોય તે (કાર્ય)ને અનુરૂપ જ ઈચ્છાય તો સુખ-દુઃખ અમૂર્ત હોવાથી તેના કારણભૂત કર્મને પણ અનુરૂપતાના કારણે અમૂર્ત જ માનવું પડે અને જો કર્મને પુદ્ગલદ્રવ્ય હોવાથી મૂર્ત છે આમ માનીએ તો સુખ-દુઃખાત્મક કાર્યને અનુરૂપ કારણ રહેતું નથી. આવા પ્રકારના પ્રશ્નનો ઉત્તર આ ગાળામાં આપે છે કે -
કાર્યને અનુરૂપ કારણ હોવું જોઈએ એવું અમે જે ૧૯૨૧મી ગાથામાં કહ્યું છે ત્યાં સર્વથા કાર્યને અનુરૂપ કારણ હોવું જોઈએ એવું અમારા વડે કહેવાયું નથી. બધા જ ધર્મોથી અનુરૂપ કારણ હોવું જોઈએ એવું અમે કહેતા નથી કે જેથી સુખ-દુઃખાત્મક કાર્ય અમૂર્ત હોવાથી તેની જેમ તેના કારણરૂપે માનેલું કર્મ અનુરૂપ માનવાથી કર્મનું પણ અમૂર્તિપણું માનવાનો પ્રસંગ આવે. પણ સર્વ ધર્મોથી કારણ એ કાર્યને અનુરૂપ હોવું જોઈએ એવું અમારું કહેવું નથી. તેમજ સર્વ ધર્મોથી કાર્યથી કારણ એકાન્ત ભિન્ન જ હોવું જોઈએ એવું પણ અમારું કહેવું નથી. અર્થાત્ કેટલાક ધર્મથી સમાન અને કેટલાક ધર્મથી અસમાન એમ સમાન-અસમાન બન્ને ભાવવાળું કારણ હોય છે. આમ અમારું કહેવું છે.
મદ પયં તે = જો કારણ એ કાર્યની સાથે સર્વધર્મોથી સમાન જ હોવું જોઈએ આવો એકાન્તવાદ સ્વીકારવામાં આવે અથવા સર્વધર્મોથી અસમાન જ (ભિન્ન જ) કારણ હોવું જોઈએ, આવો એકાન્તવાદ માનવામાં આવે તો આ બન્ને એકાન્તવાદ માનવામાં દોષ જ આવે છે. તેથી તે બન્ને એકાન્તવાદ માનવા ઉચિત નથી. તેમાં દોષ આ પ્રમાણે છે -
(૧) જો સર્વધર્મથી કાર્યને અનુરૂપ જ કારણ હોવું જોઈએ આવો એકાન્તવાદ માનીએ તો એકને કારણે માન્ય છતે બીજાને પણ કારણ જ માનવું પડે. “માટી-ઘટ, તત્ત્વપટ” આ ઉદાહરણમાં માટી અને તજુ કારણ છે તેથી ઘટ અને પટને પણ સર્વધર્મથી