________________
આઠમા ગણધર - અકંપિત
( न हि प्रत्यक्षं धर्मान्तरेण तद्धर्ममात्रग्रहणात् । कृतकत्वत इव सिद्धिः कुम्भानित्यत्वमात्रस्य ॥ )
ગણધરવાદ
૪૭૭
ગાથાર્થ - ઈન્દ્રિયજન્ય જ્ઞાન પ્રત્યક્ષ નથી. કારણ કે બીજા ધર્મોને છોડીને તે તે રૂપાદિ ધર્મમાત્રનો જ બોધ કરાવે છે માટે, જેમ કૃતકત્વ હેતુથી કુંભના (ઘટના) એક માત્ર અનિત્યત્વ ધર્મની જ સિદ્ધિ થાય છે પણ સર્વ ધર્મની સિદ્ધિ થતી નથી. તેથી તે પ્રત્યક્ષ કહેવાતું નથી તેમ. ૧૮૯૬॥
વિવેચન - “ઈન્દ્રિયોથી ઉત્પન્ન થનારું જ્ઞાન” આટલું વાક્ય આ ગાથામાં નથી. પરંતુ હાલ તેનો જ પ્રસંગ ચાલે છે. તેથી આટલું વાક્ય પૂર્વાપરસંકલનથી જાણી લેવું અને ‘‘ન હિ પદ્મવત્તું’’ પદની આગળ કર્તાવાચી પદ તરીકે જોડી દેવું. તેથી આવો અર્થ થશે કે “ઈન્દ્રિયોથી થનારું જ્ઞાન પ્રત્યક્ષ જ નથી. અર્થાત્ પરોક્ષ જ છે” આ એક પ્રતિજ્ઞા થઈ. તે પ્રતિજ્ઞાને સાધનારો હેતુ અને ઉદાહરણ આ પ્રમાણે જાણવા.
હેતુ - કોઈપણ વસ્તુ અનંતધર્માત્મક છે. જે પ્રત્યક્ષજ્ઞાન હોય છે. તે વસ્તુના પરિપૂર્ણ અનંતધર્મને જાણનારું હોય છે. જ્યારે ચક્ષુરાદિ ઈન્દ્રિયો તો વસ્તુમાં રહેલા અનંતા ધર્મોમાંથી સર્વધર્મોને છોડીને રૂપ-૨સ-ગંધ-સ્પર્શ આદિ એક એક ધર્મ માત્રને જ ગ્રહણ કરે છે. તેથી અલ્પ અંશ માત્ર ગ્રાહી હોવાથી અને શેષ અનંતધર્મોને ન જાણતું હોવાથી આ ઈન્દ્રિયજન્યજ્ઞાન પરિપૂર્ણ નથી. પ્રત્યક્ષ નથી.
=
ઉદાહરણ - વિં તદ્ યથા ન પ્રત્યક્ષમ્ = કોની જેમ ? અર્થાત્ એવું કયું જ્ઞાન છે કે જે જ્ઞાન એક ધર્મને જ બતાવતું છતું પ્રત્યક્ષ નથી કહેવાતું ? પણ પરોક્ષ જ કહેવાય છે ? તો તે ઉદાહરણ આ પ્રમાણે છે · જેમ કૃતકત્વ હેતુથી ઘટના અનિત્યત્વ માત્રનો જ બોધ કરાવનારું “અનુમાનશાન” પ્રત્યક્ષ નથી પણ પરોક્ષ છે તેની જેમ ઈન્દ્રિયજન્ય જ્ઞાન પણ પ્રત્યક્ષ નથી પણ પરોક્ષ જ છે. ‘ઘટ: અનિત્ય: તત્વાત્ પટવત્'' આ એક અનુમાનજ્ઞાન છે. ઘટ અનિત્ય છે. કારણ કે કૃત્રિમ છે માટે. પટની જેમ. આ જ્ઞાનમાં ઘટની કેવલ અનિત્યતા જ જણાય છે. બીજા ધર્મો જણાતા નથી. કારણ કે મૃતકત્વહેતુની અનિત્યત્વની સાથે જ વ્યાપ્તિ થાય છે. તેથી માત્ર એક ધર્મને જણાવતું આ અનુમાન જ્ઞાન જેમ પરોક્ષ છે તેમ ચક્ષુરાદિ સર્વે પણ ઈન્દ્રિયજન્ય જ્ઞાનો એક-એક ધર્મને જ માત્ર જણાવતાં હોવાથી અધૂરાં છે, અલ્પ છે, એકાંશગ્રાહી છે. તેથી પ્રત્યક્ષ નથી પણ પરોક્ષ જ છે.
આ અનુમાનજ્ઞાનમાં ‘તત્ત્તાત્’’ આ નામવાળા અન્ય હેતુથી (બીજા હેતુથી) સાધ્યની સિદ્ધિ થાય છે. તેથી તે અનુમાન પ્રત્યક્ષપ્રમાણ નથી. તેવી જ રીતે ઈન્દ્રિયજન્ય