________________
ચોથા ગણધર - વ્યક્ત
૩૧૭
વસુધાનીનાં અસ્તિ ખ્રિાધાર:, મૂર્તિમત્ત્વાત્, યથા તોયસ્ય આધારો ઘટ: । આ અનુમાનથી આકાશની સિદ્ધિ થાય છે.
ગણધરવાદ
પ્રશ્ન - તમારું ઉપરોક્ત અનુમાન બરાબર નથી. કારણ કે પક્ષવી પદાર્થોમાં તો સાધ્યની શંકા હોય છે, સાધ્ય સિદ્ધ થયેલું નથી, હજુ સાધ્ય સિદ્ધ કરાય છે. તેથી પક્ષવર્તી પદાર્થનું ઉદાહરણ અપાતું નથી, જેમાં સાધ્ય સિદ્ધ થઈ ચૂક્યું હોય છે. તેવું પક્ષની બહારનું ઉદાહરણ આપવું જોઈએ. જેમકે “પર્વતો વૃદ્ઘિમાન્ ધૂમાત્ મહાનસવત્'' આ અનુમાનમાં જેમાં વહ્નિ સિદ્ધ કરાય છે. પણ હજુ સિદ્ધ થયેલ નથી તેવા પર્વતનું ઉદાહરણ અપાતું નથી. પરંતુ જેમાં વહ્નિ સિદ્ધ થયેલ એવા મહાનસનું ઉદાહરણ અપાય છે.
ઉપરના અનુમાનમાં ‘વસુધારીનાં’’ આ પદમાં પૃથ્વી, જલ, તેજ અને વાયુ આ ચારે પદાર્થો પક્ષરૂપે છે. તેથી તે ચારમાંનું ઉદાહરણ આપવું જોઈએ નહીં. તમો ‘“તોયસ્ય ઘટવત્'' અહિં પાણીના આધારરૂપે ઘટનું જે ઉદાહરણ આપો છો તે પક્ષનો જ એકદેશ થયો. વસુધા આદિ ચારનો આધાર સિદ્ધ કરાય છે. તેમાંનો જ આ એક દેશ થયો. તેથી તેનું ઉદાહરણ આપી શકાય નહીં. ચાર ભૂતોથી બહારનું દૃષ્ટાન્ત આપવું જોઈએ અને ચાર ભૂતો પૃથ્વી આદિ અને આધારરૂપે સિદ્ધ કરાતું આકાશ આ પાંચ તત્ત્વોથી બહાર કોઈ તત્ત્વ છે જ નહીં કે જેનું ઉદાહરણ તમે આપી શકો. તેથી તમારું આ અનુમાન બહારના ઉદાહરણ વિનાનું હોવાથી બરાબર નથી.
ઉત્તર - અનુમાનમાં સર્વત્ર ઉદાહરણ જોઈએ જ એવો નિયમ નથી. પ્રબળ હેતુ હોય તો ઉદાહરણ વિના એક હેતુમાત્રથી પણ સાધ્યની સિદ્ધિ થાય છે. છતાં અનુમાનની પરિભાષા પ્રમાણે (રીતભાતને અનુસારે) પક્ષની અંતર્વત્ત ઉદાહરણ પણ આપી શકાય છે અને તે રીતે સાધ્યની સિદ્ધિ થાય છે છતાં ધારો કે તેવુ પક્ષવત્ત ઉદાહરણ ન આપી શકાય અને બહારનું જ ઉદાહરણ હોવું જોઈએ આવો નિયમ હોય ત્યારે અનુમાનનો પ્રયોગ ‘‘વસુધારીનાં’’ આમ ચારે ભૂતતત્ત્વો સાથે ન લેતાં એક એક ભૂતતત્ત્વને લઈને ચાર અનુમાનો જુદાં જુદાં બનાવવાં. તે આ પ્રમાણે -
ન
पृथ्वी विद्यमानभाजना, मूर्तत्वात् तोयवत् । आपः विद्यमानभाजनाः, मूर्तत्वात् तेजोवत् । तेजः विद्यमानभाजनम्, मूर्तत्वात् वायुवत् ।
वायुः विद्यमानभाजनः, मूर्तत्वात् पृथ्वीवत् ।
આ પ્રમાણે એક એક દ્રવ્યના આધારભૂત જે પદાર્થ છે તે આકાશ નામનું દ્રવ્ય