________________
ચોથા ગણધર - વ્યક્ત
ગણધરવાદ
(किं वाऽपेक्षयैव भवेद् मतिर्वा स्वभाव एवायम् । સ્વો ભાવ રૂતિ સ્વમાવો, વધ્યાપુત્રે ન સ યુવત: )
ગાથાર્થ - અથવા તો અપેક્ષાથી પણ શું? કદાચ પરવાદી આમ કહે કે “આ તો સ્વભાવમાત્ર જ છે” તો ત્યાં પણ “પોતાનો જે ભાવ તે સ્વભાવ” આવો સ્વભાવ વસ્થાપુત્રાદિમાં કેમ નથી ? /૧૭૧૩
વિવેચન - અથવા બીજી દલીલોથી સમજાવે છે કે સર્વથા શૂન્યતા આ સંસારમાં નથી. તે દલીલો આ પ્રમાણે છે -
હે વ્યક્તપંડિત ! જો આ સંસાર સર્વથા શુન્ય જ હોત અને જો કંઈ હોય જ નહીં તો “આ વસ્તુથી આ વસ્તુ હૃસ્વ છે” અને “આ વસ્તુથી આ વસ્તુ દીર્ઘ છે” એમ હૃસ્વાદિને દીર્ઘતા આદિની અપેક્ષા રાખીને પણ શું કામ ? કારણ કે “આ વસ્તુ હસ્ય છે અને આ વસ્તુ દીર્ઘ છે” આ પ્રમાણે બોલવું અને આ પ્રમાણે વસ્તુઓનું હોવું એ “સર્વશૂન્યતાનું વિરોધી છે.” જો સર્વથા શૂન્યતા હોય તો આવી વસ્તુઓ હોય જ નહીં અને જો આવી વસ્તુઓ હોય તો સર્વથા શૂન્યતા હોય જ નહીં. આવા પ્રકારની હ્રસ્વદીર્વાદિ વસ્તુઓની વિદ્યમાનતા એ તો સર્વશૂન્યતાની પ્રતિકૂળતાવાળી ચીજ છે. જેમ ઘટપટ આદિ પદાર્થોનું અસ્તિત્વ એ સર્વશૂન્યતાનું વિરોધી તત્ત્વ છે. તેમ હ્રસ્વ-દીર્ધાદિનું હોવું અને તેની અપેક્ષાનું હોવું એ પણ શૂન્યતાનું વિરોધી તત્ત્વ છે.
પ્રશ્ન - તથાસ્વભાવે જ હ્રસ્વ-દીર્ધાદિનો વ્યવહાર આ સંસારમાં પ્રવર્તે છે અને “સ્વભાવ” એ એવી વસ્તુ છે કે જેમાં કંઈ પ્રશ્ન પૂછવાનો રહેતો નથી. જેમકે અગ્નિ દ્રવ્ય બાળે છે પણ આકાશ બાળતું નથી આમ કેમ ? આવા પ્રકારના પ્રશ્નનો કોઈ ઉત્તર હોતો જ નથી. અગ્નિમાં બાળવાનો સ્વભાવ છે અને આકાશમાં બાળવાનો સ્વભાવ નથી. આમ છેલ્લે “સ્વભાવ” જ જવાબ હોય છે આવો સ્વભાવ કેમ ? એમ પુછવાનું રહેતું નથી. તેવી જ રીતે હ્રસ્વ-દીર્ધાદિની અપેક્ષા અને તેનો સઘળો વ્યવહાર પણ સ્વાભાવિક જ માત્ર
ઉત્તર - તમારો આ બચાવ પણ બરાબર નથી. જો આવો બચાવ કરશો તો પણ તમે હાર જ પામશો. કારણ કે “સ્વ: ભાવ: = સ્વભાવ:” પોતાનો જે ભાવ=પોતાનું જે સ્વરૂપ તે સ્વભાવ કહેવાય છે. આમ સ્વભાવ માનવાથી સ્વ અને પર (પોતે અને અન્ય) એવો સ્વીકાર તો કરવો જ પડે છે અને આમ સ્વ-પરનો સ્વીકાર કરવાથી સર્વથા શૂન્યતા સ્વીકારવાની હાનિ થાય છે. સર્વથા શૂન્યતા રહેતી જ નથી. જે જે વસ્તુઓ વધ્યાપુત્ર