________________
ગણધરવાદ ત્રીજા ગણધર - વાયુભૂતિ
૧૯૯ કરે છે આમ માનવું ઉચિત છે. આહિત સંસ્કારવાળી ક્ષણપરંપરાને “વાસના” કહેવાય છે. એમ કોઈક બૌદ્ધ કહે છે.
ઉત્તર - બૌદ્ધ ધર્માનુયાયીનો આ બચાવ બરાબર નથી. કારણ કે તમારા મત પ્રમાણે પૂર્વકાલીન ક્ષણ નિરન્વયપણે નાશ પામે છે અર્થાત્ સંપૂર્ણપણે નાશ પામે છે અને ઉત્તરક્ષણો પછી પછીના સમયમાં આવે છે. તેથી પૂર્વેક્ષણો અને ઉત્તરક્ષણો સર્વથા ભિન્ન છે. બન્નેનો સહયોગ જ થતો નથી, પૂર્વેક્ષણ સર્વથા નાશ પામ્યા પછી જ ઉત્તરક્ષણ ઉત્પન થાય છે. તેથી એકના સંસ્કારો બીજામાં નાખી શકાતા જ નથી. જો બે વસ્તુ સાથે મળે તો એકના સંસ્કારો બીજામાં મુકી શકાય. માટે આ કલ્પના ખોટી છે. વળી પિતા-પુત્રનું ઉદાહરણ પણ ખોટું છે. તે બન્ને વચ્ચે જન્યજનકભાવ હોવા છતાં ઘણા વર્ષો સુધી સાથે હોય છે. એવું નથી કે પિતા મૃત્યુ પામે, પછી જ પુત્ર જન્મ, તથા લોહીનો સંબંધ પણ ધ્રુવ છે. તમારા મતે તો પૂર્વાવસ્થાવાળા દ્રવ્યનો નિરન્વય નાશ માનેલો હોવાથી આ દૃષ્ટાન્ત પણ લોકોને છેતરવા પૂરતું જ છે, વાસ્તવિક સાચું નથી.
અન્ય વ્યક્તિએ અનુભવ્યું હોય તે અન્યને સ્મરણમાં આવતું નથી. જેમ ચૈત્રે જે અનુભવ્યું હોય તે મૈત્રને સ્મરણમાં આવતું નથી. દેવદત્તે અનુભવ્યું હોય તે યજ્ઞદત્તને સ્મરણમાં આવતું નથી. તેમ પૂર્વેક્ષણ અને ઉત્તરક્ષણ તમારા મત પ્રમાણે અત્યન્ત ભિન્ન હોવાથી અનુસ્મરણ ઘટી શકે નહીં. અમારા મતે પૂર્વેક્ષણો અને ઉત્તરક્ષણો માળાના મણકાની જેમ માત્ર કથંચિત્ ભિન્ન હોય છે, સર્વથા ભિન્ન હોતા નથી. તે બધા ક્ષણોનો સંબંધ કરનાર તેમાં અન્ય સ્વરૂપે = ધ્રુવ સ્વરૂપે દોરાની જેમ આત્મા હોય છે. માટે પૂર્વાપરક્ષણોમાં અભિન્ન-અખંડ એવું આત્મ દ્રવ્ય હોવાથી અમારા મતે અનુસ્મરણ ઘટી શકે છે. ll૧૬૭૧
આ બાબતમાં બૌદ્ધ પોતાનો બચાવ કરતાં કહે છે કે अह मन्नसि खणिओ वि हु, सुमरइ विन्नाणसंतइगुणाओ । तह वि सरीरादण्णो, सिद्धो विण्णाणसंताणो ॥१६७२॥ (अथ मन्यसे क्षणिकोऽपि खलु, स्मरति विज्ञानसन्ततिगुणात् । તથાપિ શરીર: સિદ્ધો વિજ્ઞાનસત્તાન: છે)
ગાથાર્થ - હવે કદાચ બૌદ્ધ આમ કહે કે ક્ષણિક એવો પણ આત્મા વિજ્ઞાનની પરંપરાના ગુણથી અનુસ્મરણ કરનારો બનશે તો પણ શરીરથી ભિન્ન એવો અને વિજ્ઞાનની પરંપરાવાળો આત્મા સિદ્ધ થશે જ. ||૧ ૬૭૨ILL