SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ ત્રીજા ગણધર - વાયુભૂતિ अत्थिंदियविसयाणं, आयाणादेयभावओऽवस्सं । कम्मार इवादाया, लोए संडासलोहाणं ॥ १६६८॥ भोत्ता देहाईणं, भोज्जत्तणओ नरोव्व भत्तस्स । संघायाइत्तणओ, अत्थि य अत्थी घरस्सेव ॥१६६९॥ जो कत्ताइ स जीवो, सज्झविरुद्धो त्ति ते मई होज्जा । મુત્તાપસંગાઓ, તં નો સંસારો હોસો ૫૬૭૦ ॥ (अस्तीन्द्रियविषयाणामादानादेयभावतोऽवश्यम् । માંર રૂવાવાતા લોજ, સવંશજ-લોહાનામ્ ॥ भोक्ता देहादीनां भोग्यत्वतो नर इव भक्तस्य । सङ्घातादित्वतोऽस्ति चार्थी गृहस्येव ॥ यः कर्त्रादिः स जीवः, साध्यविरुद्ध इति तव मतिर्भवेत् । मूर्तादिप्रसङ्गात्, तद् न संसारिणो दोषः ॥ ) ગણધરવાદ ગાથાર્થ - જેમ સાંડશા અને લોખંડ વચ્ચે આદાન-આઠેયભાવ હોવાથી તે બન્નેનો આદાતા લુહાર તે બન્નેથી ભિન્ન છે. તેવી જ રીતે ઈન્દ્રિયો અને વિષયો વચ્ચે આદાનઆર્દયભાવ હોવાથી તે બન્નેનો પણ કોઈક આદાતા (જીવ નામનો પદાર્થ) છે. જેમ ભોજન ભોગ્ય હોવાથી તેનો કોઈક પુરુષ ભોક્તા છે. તેવી જ રીતે દેહાદિ ભોગ્ય હોવાથી તેનો પણ કોઈક (જીવ નામનો પદાર્થ) ભોક્તા છે. તથા જેમ ઘર એ વ્યવસ્થિત તેના અવયવોના સમૂહસ્વરૂપ છે તેથી તેનો કોઈક બાંધનાર માલિક છે. તેમ શરીર પણ વ્યવસ્થિતપણે અવયવોના સંઘાતાત્મક છે. તેથી શરીરનો પણ કોઈક રચિયતા છે. શરીરાદિ ભાવોનો જે કર્તા છે તે જ જીવ છે. આમ જીવદ્રવ્યની સિદ્ધિ થાય છે. કદાચ તમારી બુદ્ધિમાં આવો પ્રશ્ન થાય કે આમ કરવાથી સાધ્યથી વિરુદ્ધ એવા સાધ્યની સિદ્ધિ થઈ જશે. કારણ કે જીવને મૂર્તાદિ માનવાનો પ્રસંગ આવશે. તો ઉત્તરમાં સમજવું કે સંસારી જીવમાં તે દોષો ગણાતા નથી. ૧૬૬૮-૧૬૬૯-૧૬૭૦ વિવેચન - આ ગાથાઓનો ભાવાર્થ પણ અનુક્રમે ગાથા નંબર ૧૫૬૮-૧૫૬૯ અને ૧૫૭૦ માં આવી ગયેલો છે.
SR No.009132
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2009
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy