________________
(૨૦) વચ્ચે ઘણું અંતર છે. સજ્જનોનો તો એવો સ્વભાવ જ હોય કે સામી વ્યક્તિથી અનાભોગાદિથી ખોટું પણ કહેવાઈ જાય તો ય તેને માથે તૂટી પડવાને બદલે, કઈ રીતે તેણે કહેલી વાત સાચી ઠરી શકે. કઈ રીતે પરવચનની અનુપપત્તિનો પરિહાર થઈ શકે, એ સ્વયં સિદ્ધ કરી આપે અને પેલી વ્યક્તિને પૂર્ણ આશ્વાસન અને અન્તસ્તોષ આપવા સાથે સમ્યક્ તત્ત્વ પણ આપી દે.
આ છે સ્યાદ્વાદની ઉમદા વૃત્તિ. જો આ વૃત્તિ આત્મસાત્ થઈ જાય તો ઘર-ઘરના જ નહીં, શ્રીસંઘના જ નહીં, સમગ્ર વિશ્વના સંક્લેશો નામશેષ થઈ જાય. આવેશ અને અભિનિવેશ જ બતાવે છે કે હજી તત્ત્વનો પરિચય પણ થયો નથી. માટે જ તત્ત્વનો ય અભિનિવેશ અમુક અપેક્ષાએ ત્યાજ્ય છે. તત્ત્વના નામે ય અભિનિવેશ રાખવા જેવો નથી. પૂજ્ય સિદ્ધસેન દિવાકરસૂરિજીએ વાદકાર્નાિશિકામાં કહ્યું છે- ૧ ૪ તત્ત્વાભિનિવેશ: ?
સંરમાક્ષvi વતનમ્ ? તત્ત્વાભિનિવેશ ક્યાં? ને આવેશથી અધીરી બનેલી આંખોવાળું મુખ ક્યાં ? અર્થાત્ એ બંને એક સાથે સંભવિત જ નથી. આવશ્યકનિર્યુક્તિ તથા વિશેષાવશ્યકભાષ્યાન્તર્ગત ગણધરવાદમાં પુનઃ પુનઃ અભિવ્યક્ત થતા પ્રભુ વિરના આ આશયને સહુ કોઈ સમજી સન્માર્ગે આવે, એ અભિલાષા સાથે પ્રસ્તુત મુદાનો ઉપસંહાર કરું છું.
ગણધર ભગવંતોની પણ એક વિશેષતા આંખે ઉડીને વળગે છે. પૂર્વકાળનું તેમનું અભિમાન એવું અબાધ્યકક્ષાનું નથી, કે તેમને તત્ત્વમતિપત્તિમાં બાધક બને. ઉલ્લુ બદÉરોડપ એ ઉક્તિથી સાધક બને છે. જો અબાધ્ય અભિમાન હોત તો (૧) કાં તો સૌ પ્રથમ જ મને આવી કોઈ શંકા જ નથી, એમ કહી દેત. (૨) અથવા તો તે શંકાના સમાધાનમાં પ્રભુએ રજુ કરેલા તર્કોનો અસ્વીકાર કરત. (૩) અથવા તો નિરુત્તર થયા બાદ પણ જમાલિની જેમ પોતાની જ માન્યતા-પોતાનું જ દર્શન પકડી રાખત. ગણધરવાદ એક દિવ્ય સંકેત આપે છે કે તમે ગમે તે ભૂમિકાએ ઉભા હો, પણ જો કદાગ્રહમુક્ત છો, તો તમને ઉચ્ચકક્ષાએ પહોંચતાં વાર નહીં લાગે.
• શિષ્યો પણ કેવા સમર્પિત ! જે અમારા અધ્યાપક-ગુરુનો માર્ગ એ અમારો માર્ગ. દરેક ગણધર ભગવંતોની દીક્ષા પોતપોતાના શિષ્યગણ સાથે જ થાય છે. જે સમો પત્રફ પંëિ સદ વિચલ્ડિં- માત્ર અર્ધશ્લોકમાં કેટકેટલા ગૂઢ અર્થે ભર્યા છે. બસ..વિચારતા જઈએ ને નયપરિપૂર્ણ અર્થો નીકળતા જ જાય. ૫. પૂ. પ્રગુરુદેવશ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાએ પોતાની ન્યાયપરિકર્મિતમતિથી આવા જ એક વિષયમાં ચિંતન નવનીત રજુ કર્યું હતું. પુંડરીકસ્વામિ સાથે પાંચ કરોડ મુનિઓ એક સાથે મોક્ષે