________________
નમો નમઃ શ્રી જિનશાસનાયક
- આ. વિજય કલ્યાણબોધિસૂરિ પર્વાધિરાજ પર્યુષણમાં છઠું વ્યાખ્યાન ગણધરવાદ તરીકે પ્રસિદ્ધ છે. સમયાદિના અભાવે વિસ્તૃત ગણધરવાદનું વાંચન તો ત્યારે શક્ય બનતું નથી. વર્તમાનમાં ઉપલબ્ધ થતા વાડુમયમાં સૌથી વિસ્તૃત ગણધરવાદ ઉપલબ્ધ થતો હોય તો વિશેષાવશ્યકભાષ્યમાં. તેના કેટલાક પાસાઓ પર વિચાર કરીએ.
• વિશેષાવશ્યકભાષ્યની અંતર્ગત ગણધરવાદની શૈલી જ પ્રથમ તો મંત્રમુગ્ધ કરી દે છે, જેનું કારણ એ છે કે આ ગ્રંથનું વાંચન ચાલુ છે એવું નથી લાગતું પણ જાણે સાક્ષાત્ પ્રભુ વીર અને ગણધર ભગવંતોનો સંવાદ સાંભળી રહ્યા હોઈએ એવી સંવેદના થાય છે.
• વિશેષાવશ્યકભાષ્યમાં તથા ભગવતીસૂત્ર, જીવાભિગમ સૂત્ર, વગેરે અનેક આગામોમાં પ્રભુ વીરના શ્રીમુખે ગોયમ ! શબ્દ દૃષ્ટિગોચર થાય છે. જેને લઈને જીવાભિગમસૂત્રની ટીકામાં શ્રી મલયગિરિસૂરિજીએ ખૂબ માર્મિક વાત પર પ્રકાશ પાથર્યો છે. તેઓશ્રી લખે છે કે પ્રભુ વિરે આ સંબોધન કરીને ભવિષ્યના ગુરુઓને એક સંદેશ આપ્યો છે કે પ્રધાન-અસાધારણ ગુણથી સંબોધિત કરી, શિષ્યને તેના દ્વારા ઉત્સાહિત કરવા, પછી ધર્મ કહેવો જોઇએ. કારણ કે આ રીતે જ ઉપદેશનો સમ્પર્ક સ્વીકાર સંભવિત છે. “ગૌતમ' એ એક વિશિષ્ટ લોકપ્રસિદ્ધ મહાગોત્ર છે. માટે સ્વયં પ્રભુ વીર તે ગોત્રથી સંબોધન કરે છે.
તેમાંય વિશેષાવશ્યકભાષ્યાન્તર્ગત ગણધરવાદમાં તો તોw! જેવા સંબોધનો પણ છે. જે ઉપરોક્ત આશયને જ વ્યક્ત કરે છે. તાર્કિક પ્રત્યુત્તરોની મધ્યમાં આવા સંબોધનો એક અદ્ભુત ધબકાર પૂરી દે છે. જેમકે- ૦૨MUગો નોય ! પહો વ્ર હે ય તો ખ્યા,
• ગણધરવાદમાં પ્રભુ વિરે પ્રત્યેક ગણધરોની શંકાનું સમાધાન કરતાં એક ગંભીર સંકેત કર્યો છે. મહાભાષ્યની ગાથાઓમાં આ સંકેતનું બીજ નાનકડી પંક્તિમાં સમાઈ ગયેલ છે. આ રહી તે પંક્તિ- વેપાઈ મર્થ ન યાસિ સેસિનો લ્યો !
વેદોના પરસ્પર વિરોધી વાક્યોના શ્રવણથી તમને શંકા થઈ છે. એમ જણાવ્યા બાદ પ્રભુ વીર એમ નથી કહેતા કે તમારા વેદો જ ખોટા છે, પણ એમ કહે છે કે- તમે વેદના