________________
૧૩૬
બીજા ગણધર - અગ્નિભૂતિ
ગણધરવાદ
આ કારણે તે અગ્નિભૂતિ ! પુગલપણું સમાન હોવાથી અભ્રાદિ વિકારોની જેમ જો બાહ્ય એવા ભોગ્ય-પૂલશરીરોની વિચિત્રતા તમારા વડે સ્વીકારાય છે. તો તેની જેમ આત્મપ્રદેશોની સાથે એકમેકરૂપે અંદર રહેલું અને અતિશય સૂક્ષ્મ એવું કર્મનું બનેલું જે કાર્મણશરીર છે તે પણ પુદ્ગલ હોવાથી તેની વિચિત્રતા પણ તમારે સ્વીકારી લેવી જોઈએ. તે તમે કેમ નથી સ્વીકારતા ? પુગલની રચના સ્વરૂપ હેતુ તો જેવો અભ્રાદિમાં છે જેવો ભોગ્ય-સ્થૂલશરીરોમાં છે તેવો જ કાર્મણશરીરમાં પણ છે. માટે કર્મ શુભાશુભરૂપે તથા જ્ઞાનાવરણ, દર્શનાવરણ આદિ રૂપે અનેક પ્રકારે છે અને જીવ જ તેવા તેવા અધ્યવસાયને અનુસારે કર્મોને બાંધે છે. ચિત્ર-વિચિત્રરૂપે પરિણાવે છે. ll૧૬૩૨I/
को तीए विणा दोसो, थूलाए सव्वहा विप्पमुक्कस्स । देहग्गहणाभावो, तओ य संसारवोच्छित्ती ॥१६३३॥ (कस्तया विना दोषः स्थूलया सर्वथा विप्रमुक्तस्य ।
તેહપ્રદUTHવસ્તતશ સંસાર વ્યવચ્છિત્તિ. II)
ગાથાર્થ - હે ભગવાન્ ! તે સૂક્ષ્મ શરીર વિના સ્કૂલ શરીરોની વિચિત્રતા માનીએ તો શું દોષ આવે ? ઉત્તર = સ્કૂલ શરીરથી મુકાયેલા સર્વે જીવોમાં નવા ભવના દેહગ્રહણનો અભાવ થશે અને તેનાથી સંસારનો વિચ્છેદ થશે. (આ મોટો દોષ આવશે.) //૧૬૩૩
| વિવેચન - અગ્નિભૂતિને કર્મની સિદ્ધિની બાબતમાં હજુ સંતોષ ન થવાથી ફરીથી પરમાત્માને પ્રશ્ન કરે છે કે હે ભગવાન્ ! બાહ્ય એવાં ઔદારિકાદિ સાતધાતુનાં બનેલાં ભોગ્યશરીરોની તો ચિત્ર-વિચિત્રતા પ્રત્યક્ષ ઈન્દ્રિયગોચર હોવાથી અભ્રાદિના વિકારોની જેમ તે પુગલોની ચિત્ર-વિચિત્રતા તો અમે સમજી શકીએ છીએ અને તેથી સ્વીકારીએ પણ છીએ પરંતુ આન્તરિક એવું કાર્પણ શરીર છે અને તેની પણ ચિત્ર-વિચિત્રતા છે. આ કેમ મનાય ? કારણ કે આ બાબત બાહ્ય ઈન્દ્રિયોથી અલ્પમાત્રાએ પણ દૃષ્ટિ ગોચર થતી નથી.
કાર્મણશરીરનું અસ્તિત્વ અને તેની ચિત્ર-વિચિત્રતા દૃષ્ટિગોચર ન હોવાથી ન માનીએ તો શું દોષ આવે ? એટલે કે તે ન માનવામાં આવે તો એવો કોઈ દોષ બતાવો કે જેથી અર્થપત્તિ દ્વારા તેનું અસ્તિત્વ અને તેની ચિત્ર-વિચિત્રતા અમારે માનવી જ પડે “ધૂનો વેવદત્ત દિવા ન " = શૂલ એવો દેવદત્ત દિવસે ભોજન કરતો નથી. તેનો