SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ બીજા ગણધર - અગ્નિભૂતિ ગણધરવાદ પ્રશ્ન - ગાથા નંબર ૧૬૧૫ માં “તું હ્રિય વાળારૂપત'' આ પદમાં દાનાદિ ક્રિયા અને આદિ શબ્દથી હિંસાદિ ક્રિયાનું ફળ પુણ્ય અને પાપરૂપ કર્મ કહો છો અને ૧૬૧૬ ગાથામાં ‘“નું તમસ્માવિ તું મયં માં'' મનની પ્રસન્નતાદિ જે ક્રિયા છે તેનું ફળ કર્મ કહો છો. આ બન્ને પાઠો જુદા જુદા અર્થને કહેનારા થવાથી શું પૂર્વાપર વિરોધ નહીં આવે ? એક સ્થાને કર્મબંધનું કારણ દાનાદિ અને હિંસાદિ ક્રિયા કહો છો અને બીજા સ્થાને કર્મબંધનું કારણ મનની પ્રસન્નતા અને મનનો આનંદ આદિ કહો છો. તો પૂર્વાપર (આગળ-પાછળ) જુદું જુદું કથન કરવાથી તમને વિરોધ દોષ આવશે. ૧૧૨ ઉત્તર - તમારો પ્રશ્ન સાચો છે. પરંતુ કર્મબંધનું વાસ્તવિક કારણ મનની પ્રસન્નતા અને મનનો આનંદ એ જ છે અને તે મનની પ્રસન્નતાનું કારણ દાનાદિ ક્રિયા અને મનના આનંદનું કારણ હિંસાદિ ક્રિયા છે. કર્મબંધમાં મનની પ્રસન્નતા અને મનનો આનંદ એ નિકટનું કારણ છે, અનંતર કારણ છે. અને દાનાદિ તથા હિંસાદિ ક્રિયા એ દૂર-દૂરનું અર્થાત્ પરંપરાકારણ છે. તેથી દાનાદિ અને હિંસાદિ ક્રિયા કારણનું કારણ હોવાથી તેમાં કારણપણાનો ઉપચાર કરાયો છે. જેમ પુત્રના પુત્રને પણ પુત્ર કહેવાય છે. વરસાદથી પાણી વરસે છે અને પાણીથી તંડુલ (ચોખા) ઉગે છે. તો પણ તડુલ્તાન્ વયંતિ પર્ણયઃ = વરસાદ તંડુલ વરસાવે છે. આમ જેમ કહેવાય છે તેમ અહીં સમજવું. દાનાદિ ક્રિયાથી મનની પ્રસન્નતા અને મનની પ્રસન્નતાથી કર્મનો બંધ. આમ કાર્ય-કારણ ભાવ જાણવો. ૧૬૧૫૧૬૧૬॥ होज्ज मणोवित्तीए, दाणाइकिए व जइ फलं बुद्धी । तं न निमित्तत्ताओ, पिंडोव्व घडस्स विन्नेओ ॥१६१७॥ ( भवेद् मनोवृत्तेर्दानादिक्रियैव यदि फलं बुद्धिः । तद् न, निमित्तत्वात् पिण्ड इव घटस्य विज्ञेयः ॥ ) ગાથાર્થ - મનની પ્રસન્નતાનું પણ ફળ દાનાદિ ક્રિયા જ છે. આવી બુદ્ધિ કદાચ શિષ્યની થાય તો તે ઉચિત નથી. કારણ કે ઘટમાં જેમ મૃત્કિંડ એ નિમિત્તકારણ છે તેમ દાનાદિ ક્રિયા તો મનની પ્રસન્નતાનું નિમિત્તકારણ છે. (તે ફળ કેમ કહેવાય ?) ||૧૬૧૭॥ વિવેચન - અગ્નિભૂતિ ! કદાચ તમારા મનમાં આવી શંકા થાય છે કે દાનાદિ ક્રિયા એ ક્રિયા હોવાથી અને ક્રિયા અવશ્ય ફળવાળી જ હોય છે તેથી તેનું ફળ જેમ ચિત્તની પ્રસન્નતા આદિ છે. તેવી જ રીતે ચિત્તની પ્રસન્નતા એ પણ એક પ્રકારની ક્રિયા જ છે. તેથી તેનું ફળ પણ અવશ્ય હોવું જોઈએ. માટે ચિત્તની પ્રસન્નતા થવાથી ‘‘ । ‘‘પ્રવર્ધમાનવિહ્માદ્રિ
SR No.009132
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2009
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy