SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ગણધરવાદ ૧૦૮ બીજા ગણધર - અગ્નિભૂતિ બને ? અને શરીરરચના કરવી એ જીવનો પોતાનો સ્વભાવ છે. આમ જો માનીએ તો મોક્ષમાં ગયેલા સર્વે પણ જીવો શરીરરચના કરવા લાગશે અને તે બધા પુનઃ સંસારી બનશે. માટે જીવ સ્વભાવને શરીરનું કારણ માનવું તે સર્વથા યુક્તિરહિત છે. સ્વભાવ એ દેહાદિનો કર્તા નથી. આ વાત ૧૬૪૩ મી ગાથામાં વધારે સમજાવાશે. અહીં બાલ્યાવસ્થાનું શરીર ગયા ભવથી લઈને આવેલા કાર્મણ (કર્મ) નામના શરીરાત્તરપૂર્વક થાય છે. તે બાબતમાં નિયમિક્વાન્ હેતુ મૂલગાથામાં કહ્યો છે. ત્યાં દ્રિ શબ્દથી સુખિત્વ, દુઃખિત્વ, પ્રાણાપાનવત્ત્વ, નિમેષોન્મેષવત્ત્વ અને જીવનવન્ત વગેરે હેતુઓ પણ સમજવા. જે જે શરીર સુખકારીકૃતિવાળું છે. તે તે અવશ્ય પુણ્યકર્મપૂર્વકનું જ હોય છે. જે જે શરીર દુઃખાકૃતિવાળું હોય છે તે તે અવશ્ય પાપકર્મપૂર્વકનું જ હોય છે. આમ ઉપરોક્ત સર્વે પણ હેતુઓ આ ભોગ્યશરીરને કાર્મણશરીરપૂર્વકનું છે. આમ સિદ્ધ કરે છે. આ રીતે ગર્ભકાલે બાલ્યાવસ્થાનું નવું બનતું જે ભોગ્ય શરીર છે. તેની રચના કરતાં પૂર્વે જીવની સાથે ગયા ભવથી સાથે આવેલું જે સૂક્ષ્મશરીર છે. તથા તે શરીર સૂક્ષ્મ અને નિરુપભોગ્ય હોવાના કારણે જ ભવધારણીય શરીર બનાવવું પડે છે તે પૂર્વભવવર્તી જે સૂક્ષ્મશરીર છે તે જ કાર્મણશરીર છે અર્થાત્ કર્મ છે. સૂત્રકૃતાંગ (સૂયગડાંગ) સૂત્રમાં કહ્યું છે કે “નોઈUT મૂUાં માહારે ૩ આંતર નીવો" એક ભવથી ભોગ્યશરીરને છોડીને બીજા ભવમાં ગયેલો જીવ ભોગયોગ્ય નવું શરીર બનાવવા માટે તુરત જ “કાર્પણ કાયયોગ વડે” ત્યાં રહેલા ઔદારિક અથવા વૈક્રિયવર્ગણાનાં પુગલોનો આહાર કરે છે. તે પુદ્ગલોમાંથી શરીરરચના થાય છે. આ રીતે આગમ પ્રમાણથી પણ કાર્મણશરીર છે એમ સિદ્ધ થાય છે. ll૧૬ ૧૪ો. “કર્મતત્ત્વની સિદ્ધિ માટે” ત્રીજું અનુમાન પણ સમજાવે છે - किरियाफलभावाओ, दाणाईणं फलं किसीएव्व । तं चिय दाणाइफलं, मणप्पसायाई जइ बुद्धी ॥१६१५॥ किरियासामण्णाओ, जं फलमस्सावि तं मयं कम्मं । तस्स परिणामरूवं, सुहदुक्खफलं जओ भुजो ॥१६१६॥ (क्रियाफलभावाद्, दानादीनां फलं कृषेरिव । તવેવ રાનાવિનં, મન:પ્રતિદ્ધિ યદ્ર વૃદ્ધિ )
SR No.009132
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2009
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy