________________
૧૦૬
બીજા ગણધર - અગ્નિભૂતિ
ગણધરવાદ
અને એક-બે નું મૃત્યુ થાય છે. સુખના સાધનોવાળાને સુખ જ
આ ફળભેદ કર્મ વિના સંભવે નહીં. તેથી હે ગૌતમ ! હોય અને દુઃખના સાધનોવાળાને દુઃખ જ હોય એવો નિયમ નથી. તેથી તે તફાવતની પાછળ અવશ્ય કર્મ કારણ છે. તેથી કર્મતત્ત્વ છે એમ
તમે સ્વીકારો. ૧૬૧૩)
કર્મતત્ત્વની સિદ્ધિ માટે ભગવાન શ્રી મહાવીરપ્રભુ બીજું અનુમાન પણ સમજાવે છે
बालसरीरं देहंतरपुव्वं, इंदियाइमत्ताओ ।
जह बालदेहपुव्वो, जुवदेहो पुव्वमिह कम्मं ॥१६१४॥
( बालशरीरं देहान्तरपूर्वकमिन्द्रियादिमत्त्वात् ।
यथा बालदेहपूर्वो युवदेहः, पूर्वमिह कर्म ॥ )
ગાથાર્થ - બાલ્યાવસ્થાનું બનેલું શરીર ઈન્દ્રિયાદિવાળું હોવાથી પૂર્વભવથી લાવેલા દેહાન્તર (કાર્પણશરીર) પૂર્વક જ બનેલું છે. જેમ યુવાવસ્થાનો દેહ બાલ્યાવસ્થાના દેહપૂર્વક બન્યો છે તેમ, અહીં જે પૂર્વભવથી આવેલ કારણરૂપ શરીર છે તે જ કર્મ છે. ૧૬૧૪
વિવેચન - જેમ યુવાવસ્થાનો દેહ બાલ્યાવસ્થાના દેહમાંથી બને છે તેમ બાલ્યાવસ્થાનો દેહ જે દેહમાંથી બને છે, તે દેહ આ જીવ પૂર્વભવથી આ ભવમાં જ્યારે આવે છે ત્યારે સાથે જ લાવે છે અને તે દેહના કારણે જ આ ભવમાં ભોગને યોગ્ય ઔદારિક અથવા વૈક્રિયશરીર આ જીવ બનાવે છે તે પૂર્વભવથી લાવેલું જે શરીર છે તે જ કર્મ છે. કાર્પણ શરીર છે આ અનુમાનને બોલવાનો પ્રયોગ આ પ્રમાણે છે
આદ્ય વાતશરીર (પક્ષ), શરીયાન્તરપૂર્વમ્ (સાધ્ય), રૂન્દ્રિયાતિમત્ત્વાત્ (હેતુ), યો ય રૂન્દ્રિયમાન્, મેં મેં શરીયાન્તરપૂર્વ ટ્વ (અન્વયવ્યાપ્તિ), યથા યુવદ્દેદ્દો વાતવે પૂર્વઃ, (અન્વય ઉદાહરણ) તથા ચાયું (ઉપનય), તસ્માત્તા (નિગમન),
ઉત્પત્તિ વખતે ગર્ભાવસ્થામાં બાળકનું જે ભોગયોગ્ય શરીર બને છે તે આ જીવ બીજા શરીરપૂર્વક (કાર્પણ શરીરપૂર્વક) બનાવે છે અને તો જ બને છે. ઈન્દ્રિયાદિવાળું હોવાથી, જે જે શરીર ઈન્દ્રિય આદિ અનેક અવયવવાળું હોય છે. તે તે શરીર અવશ્ય બીજા શરીરપૂર્વક જ બને છે. જેમ યુવાવસ્થાનું શરીર પાંચ ઈન્દ્રિય આદિ-અનેક અવયવવાળું હોય છે. તેથી બાલ્યાવસ્થાના શરીરપૂર્વક જ બને છે. તેમ આ બાલ્યાવસ્થાનું શરીર પણ ઈન્દ્રિયાદિ ભાવવાળું છે. માટે અવશ્ય અન્ય શરીરપૂર્વક તેની રચના થાય છે. હેતુરૂપે જે અન્ય શરીર છે. તે કાર્પણ શરીર છે અર્થાત્ કર્મ છે.