________________
છે. જે પોતાના ગુરુને ગુરુ માને તેના શરણે જવું. જે પોતાના ગુરુને ગુરુ માની તેમનો વિનય ન કરે તેવાને ગુરુ માનવાની ભૂલ ન કરવી. જે ગુરુના કહ્યામાં હોય તેના શરણે જવામાં કોઇ જ જોખમ નથી. જેમ જગતી-પૃથ્વી સર્વ જીવોના આધારભૂત છે તેમ આ સાધુ સર્વ સદનુષ્ઠાનોના આશ્રયભૂત બને છે.
पुज्जा जस्स पसीयन्ति संबुद्धा पुव्वसंथुया । पसन्ना लाभइस्संति विउलं अट्टियं सुयं ॥१-४६॥
વખતે દલીલ કરવા ન બેસવું કે “આવું કરવાના બદલે આમ કરીએ તો ચાલે ને ? આપણે તો કામથી કામ છે ને ?’ કારણ કે ગુરુને કામનું કામ નથી આજ્ઞાપાલન કરાવવાનું કામ છે. ગુરુ જે કાર્ય જે રીતે જયારે કરવાનું કહે તે રીતે કરી લેવાનું. સ0 દોઢ ડાહ્યા નહિ થવાનું.
દોઢ ડાહ્યા નહિ થવાનું, ડાહ્યા પણ નહિ થવાનું, કહ્યાગરા થવાનું. આપણે દોઢડહાપણ ન કરવું, ડહાપણ પણ ન ચલાવવું, કહ્યાગરા બનીને આજ્ઞા પાળવા તૈયાર થવાનું. સ0 સમજુ માણસ તર્ક શા માટે કરે ?
તેને મોક્ષમાં જવું નથી, સંસારમાં જ રહેવું છે માટે તર્કકતર્ક કરે છે. જેને સંસારમાં રહેવું ન હોય તેને આજ્ઞા શીરાની જેમ ગળે ઊતરે. તેને તર્ક કરવાનું સૂઝે જ નહિ. સ0 ઉપસર્ગો વેઠીને મોક્ષે જનારા ખંધક મુનિ આદિ અનેક મહાત્મા
છે, આજ્ઞા પાળીને મોક્ષે જનારા કોણ છે ?
જેટલા ઉપસર્ગો વેઠીને ગયા છે તે આજ્ઞા પાળીને જ ગયા છે. ભગવાનની આજ્ઞા મુજબ દુ:ખ વેઠે તેને દુ:ખ દુઃખ ન લાગે તેથી જ તેણે ઉપસર્ગો વેક્યા કહેવાય, આજ્ઞા વિના દુ:ખ ભોગવે તે તો અકામનિર્જરા કહેવાય. નારકીના જીવો દુઃખ ઘણું ભોગવે છે, પણ તેનાથી અકામનિર્જરા થાય છે, કારણ કે ન છૂટકે દુ:ખ ભોગવે. જ્યારે સાધુભગવંતો આજ્ઞા પાલન કરવા માટે ઉપસર્ગો સહન કરે છે માટે તેમને સકામનિર્જરા થાય છે. દુઃખ (પરાધીનપણે) ભોગવવામાં અકામનિર્જરા છે, ઉપસર્ગો (સમજીને સ્વેચ્છાથી) ભોગવવામાં સકામનિર્જરા છે – એટલું યાદ રાખવું.
नच्चा नमइ मेहावी लोए कित्ती से जायइ । हवइ किच्चाणं सरणं भूयाणं जगई जहा ॥१-४६॥
આચાર્યભગવંતોના વિનયનું ફળ શું છે એ આ અધ્યયનની છેલ્લી ગાથાઓથી જણાવે છે. દરેક પ્રકારના આચારમાં મુખ્યતા આ એક જ વસ્તુની છે કે આચાર્યભગવંતને સમર્પિત થઇને રહેવું અને આચાર્યભગવંત ગુસ્સે થાય તેવું વર્તન જ ન કરવું તેમ જ તેમને શાંત કરવા તથા તેમને પ્રસન્ન કરવા માટે પ્રયત્ન કર્યા જ કરવો. આપણને શાંત રહેવું કદાચ ફાવે તોપણ બીજાને શાંત કરવાનું લગભગ ફાવે એવું નથી ને ? અહીં જણાવે છે કે આચાર્ય જો કોપાયમાન થાય તો દરેક પ્રકારના ઉપાયો સેવીને તેમને પ્રસન્ન કર્યા વિના નથી રહેવું. આજે તમને કે અમને દુઃખ વેઠવાનું ફાવે છે પણ આજ્ઞા પાળવાનું શક્ય નથી બનતું. આપણી ઇચ્છાથી માસક્ષમણ થાય પણ ભગવાનની આજ્ઞાથી નવકારશી કરવી ન ફાવે ને ? તમને ઇચ્છા થાય તો માસક્ષમણ કરી લો, પણ ભગવાનની આજ્ઞા છે. માટે નવકારશી-ચોવિહાર કરવાની તૈયારી નથી ને ? અમારે ત્યાં પણ પોતાને જે ગમે તે ભણવા તૈયાર થઇ જાય પણ ગુરુ કહે તે ન ભણે . ગૃહસ્થને કામ લાગે તેવા ગ્રંથો ભણે, પોતાના આત્માને લાભ કરનાર ગ્રંથ ન ભણે. સ્વાધ્યાય એટલે સ્વને ઉપયોગી એવો અધ્યાય. જે પોતાના કામમાં ન લાગે તેને સ્વાધ્યાય ન કહેવાય. અમારે ત્યાં પોતાની ઇચ્છાથી પરિષહ-ઉપસર્ગ વેઠવાનું કામ સહેલું છે પણ ગુરુની આજ્ઞા પાળવાનું કામ સહેલું નથી. દુઃખ વેઠવું સહેલું છે, તપ કરવો સહેલો છે, ભણવાનું પણ સહેલું છે અને વૈયાવચ્ચ કરવી પણ સહેલી છે, પરંતુ ગુરુને પ્રસન્ન કરવાનું કામ કપરું છે. આથી જ ગુરુને પ્રસન્ન કરવાનું કામ પ્રયત્નપૂર્વક કરવાનું શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૨૧૧
જે સાધુ ગુરુનો આ રીતે વિનય કરે છે તેના કાર્યને ગુરુ પણ વખાણે છે તેમ જ લોકમાં પણ તેની કીર્તિ પ્રસરે છે અને તે સર્વ કૃત્યોનો આશ્રય બને
૨૧૦
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર