________________
કથાસાર
51 jain પ્રમાણે છે. તેમણે ભદ્રોતર નામનું વિશિષ્ટ તપ કર્યું. તેમાં પંચોલા (પાંચ ઉપવાસ)થી માંડીને નવ સુધીની તપસ્યા હોય છે. આ રીતે એક પરિપાટી થાય છે અને આ પ્રમાણે ચાર પરિપાટી કરાય છે. પારણાઓનો ક્રમ પહેલાંની જેમ આયંબિલ સુધી હોય છે.
અધ્યયન-૯- પિતૃસેન કૃષ્ણા પિતૃસેન કૃષ્ણા રાણીએ સોળ વર્ષ સુધી સંયમનું પાલન કર્યું. તેમણે વિશેષ તપમાં 'મુકતાવલી' નામની તપસ્યા કરી. પ્રત્યેક તપસ્યા વચ્ચે પુન:પુનઃ એક ઉપવાસ કરાય છે. ઉપવાસ + છઠ + ઉપવાસ + અટ્ટમ આમ ક્રમશઃ આ એક પરિપાટી થઈ. આ પ્રમાણે ચાર પરિપાટી કરાય છે. નોંધઃ તપને નિર્જીવ પુદગલોથી નિર્મીત હારનાં આકાર સાથે શું નિસબત હોઈ શકે. કર્મનિષેક અનેક ભૌમિતિક આકૃતિનાં હોઈ શકે, પણ તે તો જ્ઞાનીજ જાણી શકે. મોટા તપ પછી એક દિવસનાં પારણાંથી, શરીરને લાગેલા ગસારાની પૂર્તિ થતી નથી. તેથી તેને સળંગ તપ જેવાજ સમજવા જોઈએ. ગુરુ આજ્ઞામાં રહિને અને સમય, ક્ષેત્ર કાળ ભાવનું ધ્યાન રાખી તપ કરવા જેથી છ મહિનાનાં સળંગ તપની ભગવદ આજ્ઞાનું ઉલંધન ન થાય. કોઈ અકસ્માતના કારણે ધર્મની નિંદા ન થાય. ઈતિ શુભમ
પિતૃસેન કૃષ્ણા આર્યાજીએ યથાવિધિ આ 'મુકતાવલી' તપની આરાધના કરી. પછી અન્ય વિવિધ તપસ્યા પણ કરી. અગિયાર અંગ સૂત્રોના અધ્યયન કંઠસ્થ કર્યા. અંતે એક મહિનાની સંલેખના-સંથારાથી સિદ્ધ બુદ્ધ મુકત થયા.
અધ્યયન–૧૦– મહાસેન કૃષ્ણા મહાસેન કૃષ્ણા રાણીની દીક્ષા આદિનું વર્ણન કાલી રાણી પ્રમાણે છે. ૧૭ વર્ષના સંયમ પર્યાયમાં મહાસેન કૃષ્ણા આર્યાજીએ અગિયાર અંગ શાસ્ત્ર કંઠસ્થ કર્યા, વિવિધ તપસ્યાઓ કરી. અને આયંબિલ વર્ધમાન તપ નામની વિશિષ્ટ ઉગ્ર તપસ્યા કરી. આ તપમાં એક આયંબિલથી લઈ સો આયંબિલ સુધી કરવામાં આવે છે. પારણાની જગ્યાએ ઉ
(૧) એક આયંબિલ + પછી ઉપવાસ + ૨ આયંબિલ + પછી ઉપવાસ + ૩ આયંબિલ વળી ઉપવાસ; આમ વધારતાં ૯૮ આયંબિલ + વળી ઉપવાસ +૯૯ આયંબિલ + ઉપવાસ + ૧૦૦ આયંબિલ અને એક ઉપવાસ.
આ એક પરિપાટી થી જ આયંબિલ વર્ધમાન તપ પૂર્ણ થઈ જાય છે. આ તપમાં કુલ સમય ૧૪ વર્ષ ૩ મહિના ૨૦ દિવસ લાગે છે. જેમાં ૧૦૦ ઉપવાસ કરાય છે. શેષ ૧૪ વર્ષ અને ૧૦ દિવસ આયંબિલ કરાય છે. આ સંપૂર્ણ તપસ્યાના ૧૪ વર્ષમાં કયારેય પણ વિગયનો કે તેના લેપનો પણ ઉપયોગ કરાય નહિ.
આ પ્રમાણે મહાસેન કૃષ્ણાએ ૧૭ વર્ષની દીક્ષા પર્યાયમાં સાધિક ચૌદ વર્ષ સુધી તો આ તપની જ આગમ વિધિ પ્રમાણે આરાધના કરી. બાકીના સમયમાં પણ માસખમણ તપની વિવિધ તપસ્યાઓ કરી. શકિત ક્ષીણ થઈ ગયા પછી સંખના–સંથારો ગ્રહણ કર્યો. એક મહિના સુધી સંથારો ચાલ્યો. પછી અંતિમ સમયે ચાર ઘાતી કર્મ ક્ષય થવાથી કેવલ જ્ઞાન કેવલ દર્શન ઉત્પન્ન થયા. અને અલ્પ સમયમાં આયુષ્ય પૂર્ણ થવાથી સંપૂર્ણ કર્મ ક્ષય કરી સિદ્ધ–બુદ્ધ-મુકત થયા. જેના માટે જે ઉદ્દેશ્યથી સંયમ લીધો હતો, પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ૩ ગુપ્તિનું પાલન, લોચ, ખુલ્લે પગે ચાલવું, સ્નાન ન કરવું, દાંતણ ન કરવું આદિ આચાર અને નવ
બ્રહ્મચર્યનું પાલન વગેરે નિયમ, ઉપનિયમ ગ્રહણ કર્યા હતા તે પ્રયોજનને સિદ્ધ કરી લીધું. ધન્ય છે આ સર્વ મહારાણીઓને, જેમણે વૈભવ-વિલાસનો ત્યાગ કરી પરમ પદની પ્રાપ્તિ કરી. ઉપસંહાર:- આ પ્રમાણે આ સૂત્રમાં ૯૦ જીવોએ સંયમ ગ્રહણ કરી તેના નાના મોટા બધા વિધિ વિધાનોનું પૂર્ણ પાલન કર્યું અને પોતાના લક્ષ્યમાં સફળ થયા અર્થાત્ તે આત્માઓએ તે જ ભવમાં મોક્ષગતિ પ્રાપ્ત કરી લીધી.
આ છેલ્લા આઠમાં વર્ગમાં શ્રેણિકની વિધવા રાણીઓના ઉગ્ર તપ પરાક્રમનું વર્ણન છે. જિંદગી આખી તેમણે રાજરાણી અવસ્થામાં, સુકુમારતામાં વ્યતીત કરી હતી. અંતિમ અલ્પ વર્ષોમાં પોતાના જીવનનું એક અલૌકિક પરિવર્તન કરી બતાવ્યું. વાસ્તવમાં વૈરાગ્ય અને સંયમ ગ્રહણનો સાર એ છે કે શ્રતજ્ઞાન, તપ અને સંયમમાં આત્માને તલ્લીન બનાવી દેવો જોઈએ. દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે કે- 'અંતિમ વયમાં પણ સંયમ લેવાવાળાને જો તપ, સંયમ, ક્ષમા અને બ્રહ્મચર્ય અત્યંત પ્રિય હોય અથવા તેમાં જ આત્માને એક-રૂપ કરી દે છે તે શીધ્ર કલ્યાણ સાધી લે છે"
કાલી આદિ અનેક રાણીઓનું તથા બીજા પણ અનેક જીવોનું વર્ણન આગમોમાં ઉપલબ્ધ છે. તે આદર્શને સન્મુખ રાખી પ્રત્યેક શ્રાવકે પોતાના બીજા મનોરથને સફળ કરવા પ્રયત્ન કરવો જોઈએ. અર્થાત્ જ્યારે પણ અવસર, મોકો મળે, ભાવોની તીવ્રતા વધે, ત્યારે જ શીધ્ર પરિસ્થિતિનું સમાધાન કરી, સંયમ માર્ગમાં અગ્રેસર થવું જોઈએ. મોક્ષ પ્રાપ્તિનું પ્રથમ અને અંતિમ સાધન:
અંતગડ સૂત્ર અનુસાર મોક્ષ પ્રાપ્તિનાં અથવા સંસાર પ્રપંચથી છૂટવાનાં પ્રમુખ સાધન છે – (૧) શ્રદ્ધા સાથે સંયમ લેવો. (૨) શાસ્ત્ર કંઠસ્થ કરવા (૩) પોતાની બધી શકિત તપસ્યામાં લગાવવી. મોક્ષ પ્રાપ્તિનું અંતિમ સાધન તપ છે. ભાવપૂર્વક, વૈરાગ્યપૂર્વક અને વિવેક પૂર્વક તથા ગુરુઆજ્ઞાપૂર્વક કરેલું તપ કર્મ રોગોને મૂળથી નાશ કરવા માટે રામબાણ ઔષધ છે.
તેથી સંયમ અને શ્રુત અધ્યયન સિવાય બાહ્ય અને આભ્યન્તર બંને પ્રકારના તપોનું મોક્ષપ્રાપ્તિમાં અનન્ય યોગદાન છે એમ સમજીને તપોમય જીવન જીવવું જોઈએ. સંપૂર્ણ સૂત્રનો આદર્શ -(૧) શાસ્ત્ર શ્રવણ અને ધર્મ શ્રદ્ધાનો સાર છે કે આ માનવ જીવનમાં અવશ્ય સંયમ ગ્રહણ કરવો જોઈએ. (૨) રાજા અને માળી, શેઠ અને રાજકુમાર, બાળક અને યુવાન તથા વૃદ્ધ રાણીઓ વગેરેની દીક્ષાથી પરિપૂર્ણ આ આદર્શસૂત્ર સર્વ
કોઈ માટે સંયમ દીક્ષા બળ પ્રેરક છે. (૩) સંયમના સુઅવસર વિના ત્રણ ખંડના સ્વામી મહાઋધિવાન શકિત સંપન્ન શ્રીકૃષ્ણ વાસુદેવ પણ પોતાને અધન્ય,
અકૃતપુણ્ય, અભાગી હોવાનો અનુભવ કરે છે અને સંસારમાં વિશાળ કાર્યક્ષેત્ર હોવા છતાં પણ સમયે-સમયે ભગવાનની