________________
50
આગમ-કથાઓ
મહાકાલી રાણીના વૈરાગ્ય ભાવોની ઉત્પતિ અને દીક્ષા સુધીનું સમગ્ર વર્ણન કાલીરાણીની જેમ જાણવું. કનકાવલી-રત્નાવલી તપના સ્થાને તેણે લઘુસિંહ નિષ્ક્રીડિત તપ કર્યું. આ તપમાં પણ ચાર પરીપાટી અને તેમના પારણાનું વર્ણન કનકાવલી–રત્નાવલી તપની સમાન જ છે. લઘુસિંહ નિષ્ક્રીડિત તપ – આ તપશ્ચર્યાનું વર્ણન કરવામાં પણ એક પ્રકારની માનસિક ક્રીડા હોય છે. અર્થાત્ તપશ્ચર્યા કરતી વખતે એક ઉપવાસ ઘટાડો અને બે વધારો કરીને એક ઘટાડો
મહાકાલી આર્યાજીએ લઘુસિંહ નિષ્ક્રીડિત તપની સૂત્ર વર્ણન અનુસાર પાલના-આરાધના કરી. બાકી રહેલા દીક્ષા પર્યાયમાં અન્ય વિવિધ તપશ્ચર્યાઓ કરી કુલ દસ વર્ષ તેમણે સંયમનું પાલન કરી આત્માનું કલ્યાણ કર્યું.
ચોથું અધ્યયન – કૃષ્ણા રાણી દીક્ષા આદિ વર્ણન કાલી રાણીની જેમ જ છે. વિશેષ તપમાં કૃષ્ણા આર્યાજીએ મહાસિંહ નિષ્ક્રીડિત તપ કર્યું તેમાં તપશ્ચર્યા કરવાની રીત એક ઉપવાસ ઘટાડીને ર વધારવાની છે. તે લઘુનિષ્ક્રીડિત તપ સમાન જ છે. કૃષ્ણા આર્યાજીએ અગિયાર વર્ષ સંયમ પાળીને મોક્ષ પ્રાપ્ત કર્યો.
પાંચમું અધ્યયન – સુકૃષ્ણા રાણી સંયમ ગ્રહણ, શાસ્ત્ર અધ્યયન, તપ અને મોક્ષ પ્રાપ્તિ સુધીનું વર્ણન પહેલા અધ્યયનની જેમ સમજવું. વિશેષમાં સુકૃષ્ણા આર્યાએ ચાર ભિક્ષ પડિમા ધારણ કરી તેના નામ આ પ્રમાણે છે :૧. સપ્ત સપ્તમિકા ભિક્ષુ પડિમા ૨. અષ્ટ અષ્ટમિકા ભિક્ષુ પડિમા ૩. નવ નવમિકા ભિક્ષુ પડિમા ૪. દસ દસનિકા ભિક્ષુ પડિયા
આ ચારે પડિકાઓમાં ઉપવાસ આદિ કરવું જરૂરી નથી હોતું ગોચરીમાં આહાર લેવાની દાતીઓની સંખ્યાથી અભિગ્રહ કરવામાં આવે છે.
દાતીનો અર્થ એ થાય છે કે એક વખતમાં એક ધારથી એકસાથે જેટલા આહાર પાણી વહોરાવો, તેને એક દાતી કહેવાય છે તેમાં દાતા એક વખતમાં એક રોટલી અથવા એક ચમચી આહાર આપીને રોકાઈ જાય તો તે પણ એક દાતી જ કહેવાય છે તેવી જ રીતે પાણી પણ એક જ ધારથી જેટલું આપે તેને એક દાતી કહેવાય છે. ભિક્ષુ પ્રતિમાની વિધિઃ સપ્ત સપ્તમિકા ભિક્ષા પડિયામાં પહેલા સપ્તાહમાં હંમેશાં એક દાતી આહાર અને એક દાતી પાણી લેવું. બીજા સપ્તાહમાં હંમેશાં બે દાતી આહાર અને બે દાતી પાણી લેવું, ત્રીજા સપ્તાહમાં હંમેશ ત્રણ દાતી આહાર અને ત્રણ દાતી પાણી એવી જ રીતે સાતમા સપ્તાહમાં સાત દાતી આહાર અને સાત દાતી પાણીની લઈ શકાય છે. આ પ્રમાણે આ તપમાં ૪૯ દિવસ લાગે છે. અષ્ટ અષ્ટમિકા ભિક્ષુ પડિયામાં આઠ અઠવાડિયા અર્થાત્ ૬૪ દિવસ લાગે છે. તેમાં એક થી માંડી આઠ દાતી સુધી વૃદ્ધિ કરાય છે. નવ નવમિકા ભિક્ષુ પડિકામાં નવ નવક લાગે છે. તેમાં પહેલા નવકમાં એકદાતી અને ક્રમશઃ વધારતાં નવમાં નવકમાં નવ દાતી આહાર અને નવ દાતી પાણી લઈ શકાય છે. આ રીતે તેમાં કુલ ૮૧ દિવસ લાગે છે.
દસદસમિકા ભિક્ષુ પડિયામાં દસ દસક દિવસ લાગે છે. જેથી કુલ ૧૦૦ દિવસ થાય છે. તેમાં દાતીની સંખ્યા એકથી લઈને દસ સુધી વધારી શકાય છે અર્થાત્ પહેલા દસક (દસદિવસ) માં એક દાતી આહાર અને એક દાતી પાણી લેવાય છે. આ રીતે ક્રમથી વધારતાં (દસમા દસકમાં) દસ દાતી આહાર અને દસ દાતી પાણી લઈ શકાય છે. આ તપસ્યામાં કહેલી દાતીઓથી ઓછી દાતી આહાર અથવા ઓછી દાતી પાણી લઈ શકાય છે. પરંતુ એક પણ દાતી વધારે લઈ શકાતી નથી.
આ તપસ્યામાં ઉપવાસ, છઠ્ઠ આદિ કોઈ પણ તપસ્યા કરી શકાય છે પરંતુ તેની દાતીનો જે ક્રમ હોય તેનું પાલન કરવું જરૂરી હોય છે અર્થાત્ તેટલી જ દાતી પારણામાં આહાર કે પાણી લઈ શકાય છે. આ પ્રમાણે સુકૃષ્ણા આર્યાજીએ સૂત્રમાં બતાવેલી પદ્ધતિથી આ ચારેય ભિક્ષુ પડિમાઓની આરાધના કરી, કુલ૧૨ વર્ષ સંયમ પાળી મોક્ષ પ્રાપ્ત કર્યો.
છઠું અધ્યયન – મહાકૃષ્ણા રાણી મહાકૃષ્ણા રાણીએ ૧૩(તેર) વર્ષ સુધી સંયમ પર્યાય નું પાલન કર્યું અને વિશેષમાં “લઘુ સર્વતોભદ્ર” તપ કર્યું. તેની એક પરિપાટીમાં ૭૫ દિવસ તપસ્યા ૨૫ દિવસ પારણા એમ કુલ ૧૦૦ દિવસ લાગે છે; અને ચાર પરિપાટીમાં ચાર સો (૪૦) દિવસ લાગે છે. આ મહાકૃષ્ણા આર્યાજી પણ તે જ ભવમાં સર્વ કર્મનો ક્ષય કરી મુકિત ગામી બની ગયા. લઘસર્વતોભદ્ર તા:- તેમાં એક ઉપવાસથી માંડીને પાંચ સુધીની તપસ્યા કરાય છે. આ એક પરિપાટી છે. ચાર પરિપાટી અને પારણાનો ક્રમ રત્નાવલી તપ પ્રમાણે છે.
સાતમું અધ્યયન- વીર કૃષ્ણા વીર કૃષ્ણા રાણીએ દીક્ષા લઈ ચૌદ વર્ષ સુધી સંયમનું પાલન કર્યું. મહાસર્વતો ભદ્ર નામનું વિશેષ તપ કર્યું. આ તપમાં એક ઉપવાસથી લઈને સાત ઉપવાસ સધીની તપસ્યા લઘસર્વતોભદ્ર તપ પ્રમાણે કરાય છે. આમ ૨ ચાર પરિપાટી હોય છે. આ તપની આરાધના કરીને વિરકૃષ્ણા આર્યાજીએ અન્ય તપ, સંયમ, સ્વાધ્યાય, અધ્યયન આદિ દ્વારા આત્માને ભાવિત કરતાં અંતમાં એક મહિનાની સંલેખના સંથારા દ્વારા સિદ્ધ ગતિને પ્રાપ્ત કરી.
અધ્યયન-૮ રામકૃષ્ણા રાણી રામકૃષ્ણા રાણીએ સંયમ લઈ તેનું (પંદર) ૧૫ વર્ષ સુધી પાલન કર્યું. અંતમાં સિદ્ધગતિને પ્રાપ્ત કરી. સંપૂર્ણ વર્ણન કાલી રાણી