________________
આગમ-કથાઓ
32
નવમું અધ્યયન – નંદિનીપિતા શ્રાવસ્તી નગરીમાં સમૃદ્ધિશાળી ગાથાપતિ શેઠ નંદિનીપિતા રહેતા હતા. તે પણ આનંદની જેમ ગુણસંપન્ન અને સમાજમાં પ્રતિષ્ઠિત હતા. તેની સંપત્તિ પણ કુલ બાર કરોડ સુવર્ણ મુદ્રાઓમાં હતી. જે ત્રણ વિભાગમાં વહેંચાયેલી હતી. પશુધન પણ ૪૦ હજારની સંખ્યામાં હતું. તેમની પત્નીનું નામ અશ્વિની હતું. તે સુખી ગૃહસ્થ જીવન વિતાવતા હતા. શુભ સંયોગથી ભગવાન મહાવીર શ્રાવસ્તીમાં પધાર્યા. શ્રદ્ધાળ માનવ સમદાય દર્શન કરવા ઉમટયો. નંદિનીપિતા પણ ગયા. ભગવાનની ધર્મદેશના સાંભળી, અંતઃકરણમાં પ્રેરણા જાગી. આનંદ શ્રાવકની જેમ શ્રાવત વ્રત ધારણ કર્યા. નંદિનીપિતા પોતાના ધાર્મિક જીવનને ઉત્તરોત્તર વિકસિત કરતા ગયા. એમ ચૌદ વર્ષ વીતી ગયા. મોટા પુત્રને ઘરનો ભાર સોંપ્યો અને નિવૃત્ત સાધનામાં લાગી ગયા. શ્રાવક પડિમાઓની આરાધના કરી. અંતમાં વીસ વર્ષ શ્રાવક પર્યાય પૂર્ણ કરી એક માસના સંથારાથી પહેલા સ્વર્ગમાં ઉત્પન્ન થયા. ત્યાંથી એક મનુષ્ય ભવ કરીને મહાવિદેહમાંથી મોક્ષમાં જશે.
દસમું અધ્યયન – સાલિદીપિતા નગરી, વૈભવ, સંપત્તિ, વ્રતસાધના, નિવૃત્ત સાધના અને સંલેખના સંથારો આદિનું સંપૂર્ણ વર્ણન નવમાં અધ્યયન પ્રમાણે છે. સાહિપિતા શ્રમણોપાસકની પત્નીનું નામ ફાલ્ગની હતું. નંદિનીપિતા અને સાલિદીપિતા બંને શ્રમણોપાસકોને કોઈ પણ ઉપસર્ગ નથી આવ્યા અને સમાધિપૂર્વક પંડિત મરણ પ્રાપ્ત કર્યું પહેલા દેવલોકમાં ઉત્પન્ન થયા ત્યાંથી ચ્યવને મહાવિદેહમાંથી મુકિત પ્રાપ્ત કરશે.
સંપૂર્ણ ઉપાસકદશા સૂત્રની પ્રેરણા.
૧. પુણ્યથી મળેલી ઋદ્ધિમાં ફૂલાવું નહિ. ૨. બાર વ્રત અવશ્ય ધારણ કરવા. મહીનામાં છ પૌષધ
કરવા. ૩. પરિસ્થિતિઓમાં અને સંકટમાં ધર્મન છોડવો.
સંસાર પ્રપંચોથી શીઘ્ર નિવૃત્ત થવું.
૫. સંલેખના–સંથારો કરવો. છે. જીવનમાં સરલતા, નમ્રતા આદિ ગુણો અંત સુધી
રાખવા. ૭. નાનો પણ દોષ થઈ જાય તો તેનો સ્વીકાર કરવો અને
પ્રાયશ્ચિત લેવું. ગુસ્સો, ઘમંડ આદિ ન કરવા.
બાર વ્રત ટૂંકમાં
- જે વુિં
સભી જીવકી રક્ષા કરના. મુખસે સચ્ચી બાતે કહના. માગ પૂછ કર વસ્તુ લેના. બ્રહ્મચર્યકા પાલન કરના. ઈચ્છા અપની સદા ઘટાના. ઈધર–ઉધર નહિ આના જાના.
સીધા-સાદા જીવન જીના. ૮. કોઈ અન અર્થકા કામ ન કરના.
નિત ઉઠ કર સામાયિક કરના. ૧૦. જીવન મેં મર્યાદા લાના. ૧૧. બનતે પૌષધ આદિ કરના. ૧૨. અપને હાથો સે બહોરાના. ધારણ કર શ્રાવક બન જાના,ધારણ કર શ્રાવિકા બન જાના.
ર
૬.
અંતગડ દશા પર્યુષણના દિવસોમાં અંતગડ સૂત્રનું વાંચન કરવામાં આવે તે એક સુંદર અને બહુમાનનીય પરંપરા છે. આ સૂત્રમાં ત્યાગ, વૈરાગ્ય, ક્ષમા, શાંતિ, શ્રધ્ધા, સંયમ, તપ વગેરેનું પ્રેરણાદાયી વર્ણન છે.
શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ બે પ્રકારના ધર્મની પ્રરૂપણા કરી છે –(૧) શ્રમણધર્મ (૨) શ્રમણોપાસક ધર્મ. અંતગડ સૂત્ર શ્રમણધર્મને પ્રેરણા આપતું સૂત્ર છે.
શ્રમણોપાસક ધર્મની પ્રેરણા પણ પર્યુષણ પર્વના દિવસોમાં અત્યંત આવશ્યક છે. અતઃ મધ્યાહનું ના સમયે ઉપાસક દશાસૂત્રનું વાંચન કરવાની પરંપરા ચાલુ રાખવી એકાંત રીતે આવશ્યક અને કલ્યાણકારી છે. એ સૂત્રમાં શ્રાવકની અનેક પ્રકારની ગતિવિધિઓનું વર્ણન છે. કથાઓ પણ રોચક અને વિભિન્ન પ્રેરણાઓથી યુકત છે તેથી દરેક વ્યાખ્યાતાઓને આ નિવેદન છે કે પયુર્ષણમાં અંતગડ સૂત્રને વાંચ્યા પછી ઉપાસક દશા સૂત્રનું વાંચન થવું જોઈએ. શ્રાવકોના જીવનને સુંદર અને શ્રેષ્ઠ બનાવવાનો આ એક સરસ અને સફળ પ્રયત્ન બની રહેશે. પરિચય –આ આઠમં અંગ સત્ર છે. જેમાં સંયમ અંગીકાર કરી મોક્ષ પ્રાપ્ત કરનાર નેવ (૯૦) આત્માઓનું વર્ણન છે. આ સત્રમાં આઠ વર્ગ(વિભાગ) છે. પ્રત્યેક વર્ગમાં અનુક્રમે દશ, આઠ, તેર, દશ,દશ, સોળ, તેર, દશ અધ્યયન છે. કુલ નેવું અધ્યયન છે. અત્યારે આ સૂત્ર નવસો (૯૦૦) શ્લોક પ્રમાણ ઉપલબ્ધ છે.
બાવીસમા તીર્થકર અરિષ્ટનેમિ ભગવાનના શાસનના એકાવન જીવોનું વર્ણન કર્યા પછી, ચોવીસમા ભગવાન મહાવીર સ્વામીના શાસનના ઓગણચાલીસ જીવોનું આ સૂત્રમાં વર્ણન છે. રાજા, રાજકુમાર, રાજરાણીઓ, શ્રેષ્ઠી, માળી, બાળ, યુવાન, પ્રૌઢ અને વૃધ્ધ અનેક ઉંમરવાળાઓનાં સંયમ, તપ, શ્રુત-અધ્યયન, ધ્યાન, આત્મદમન, ક્ષમા ભાવ આદિ આદર્શ ગુણો યુકત