SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ આગમ-કથાઓ 298 (૪) તપ - આત્યંતર-બાહ્ય રૂપથી તપ બે પ્રકારના છે તેમાં પણ સાધુ કે શ્રાવક સમાજ સુસ્ત નથી. આત્યંતર તપમાં આજે જ્ઞાન અને ધ્યાનની શિબિર પ્રવૃત્તિઓ, ગુરુઓના દર્શનરૂપ વિનયની પ્રવૃત્તિઓ પણ ચાલુ જ છે. સાધુઓમાં સેવા વિનયના અનોખા પ્રમાણ સમાજની સામે સમયે-સમયે આવે છે. સાધુઓનો સ્વાધ્યાય જ્ઞાનનો પ્રચાર પણ અનેક જગ્યાએ જોવા મળે છે. ધ્યાનની વિચારણામાં પણ સંત સતીજીઓ અગ્રેસર થઈ રહ્યા છે. બાહા તપમાં શ્રાવક-શ્રાવિકાઓમાં જે તપની વૃદ્ધિ, આ વિસ્તાર ખાવા પીવાના સમયમાં પણ થઈ રહી છે તે અનુપમ છે, અજોડ છે, વર્ણવવા લાયક છે. ચાતુર્માસ આદિના વર્ણનોને જોનારા કે વાંચનારાથી કંઈ છૂપું નથી. નાની ઉમરના સંત-સતી પણ તપમાં માસખમણ સુધી વધી જાય છે. ગામે ગામમાં તપસ્યાના તોરણ બંધાય જાય છે. આયંબિલની ઓળીઓ, એકાંતર તપ(વર્ષીતપ) કરવાવાળાઓનો ઉત્સાહ પણ કંઈ ઓછો નથી. કેટલાક તો વર્ષોથી એકાંતર તપ, આયંબિલ, એકાસણા આદિ કરે છે. કોઈ વરસ સુધી છઠ્ઠ, અઠમ અને પંચોલાનો વરસીતપ કરે છે. કોઈ સાધુ શ્રાવક સંખના સંથારા યુક્ત પંડિત મરણ પ્રાપ્ત કરે છે. તેઓનો બે ત્રણ માસ સુધી પણ સંથારો ચાલે છે. રાત્રી ભોજનના ત્યાગી જૈન ધર્મના બધા ફિરકાઓમાં હજારો છે. આ ચોથો તપ પ્રાણ કેટલો જાગૃત છે જુઓ. જૈન ધર્મ જીવંત હોવાની કસોટી કરવાનું આ શ્રેષ્ઠ દર્પણ આપી દીધું છે, પરંતુ જન સંખ્યાની દષ્ટિએ જૈનધર્મનો બહુમત દુનિયામાં તીર્થકરોના સમયે પણ ન હતો. અનેકતા, એકતા અને અધિકતા આ જૈનધર્મના પ્રમાણની સાચી કસોટી નથી. તીર્થકર ભગવાન મહાવીરના જીવન સમયમાં બે તીર્થકર અને તેના શ્રાવક સમાજનું અસ્તિત્વ અને વાતાવરણ દુનિયાની સામે હતું. સેંકડો લબ્ધિધારી અને સ્વયં ભગવાન અતિશયવાન હતા. સેંકડો હજારો દેવ પણ આવતા હતા, તોપણ અનેકતા ન અટકી. જમાલીએ પોતે છધસ્થ હોવા છતાં પણ ભગવાનની સામે કેવળી હોવાનો સ્વાંગ સજીને અલગ પંથ ચલાવ્યો. ભગવાનના જીવન કાળમાં ધર્મની અનેકતામાં પણ ધર્મ જીવિત હતો, મોક્ષ ચાલ હતો. તીર્થકરોના કાળમાં પણ આખાયે વિશ્વને જૈનધર્મ વિષે ભણાવવું, સંભળાવવું, મનાવવું કોઈ ઇન્દ્રના હાથમાં પણ ન હતું. સ્વયં ભગવાન મહાવીરના પ્રમુખ શ્રાવકના ઘરે પણ માંસાહાર થઈ જવો અસંભવ ન હતો. તો પણ ભગવાન અને ભગવાનના ધર્મના પ્રાણમાં શંકા કરવામાં આવતી ન હતી. ભગવાનના સમવસરણમાં નિરપરાધી ભિક્ષુઓને એક અન્યાયી દુષ્ટાત્મા બાળીને ભસ્મીભૂત કરી દે અથવા અન્યત્ર સેંકડો સાધુઓને કોઈ ઘાણીમાં પીલી દે, કૃષ્ણની રાજધાનીનો એક વ્યક્તિ તેના ભાઈ સાધુના પ્રાણ સમાપ્ત કરી દે તો પણ ધર્મ જીવંત હોવામાં શંકા કરવામાં આવતી ન હતી. તો આજે ધણી વગરના પણ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપરૂપ પ્રાણની આ ઉન્નત દશામાં ધમેના જીવત હોવામાં કેમ શંકા થાય ? એકતા થવી એ સારું છે. બધા ઈચ્છે છે; છતાંય એ તીર્થકરોના પણ હાથની વાત નથી. એકતા થવી સોનામાં સુગંધની ઉક્તિને ચરિતાર્થ કરવા બરોબર છે પરંતુ ન હોય તો સોનાને પિત્તળ કહેવાનું દુસ્સાહસ તો કરી શકાતું નથી. સંપૂર્ણ દેશમાં છુટ્ટી કરાવવામાં જ ધર્મને જીવંત માનવા કરતાં તો સંવત્સરી અને મહાવીર જયંતીના દિવસે સંપૂર્ણ જૈન સમાજ પોતાના વ્યાપાર કાર્ય ન કરે. જૈનના બચ્ચા–બચ્ચા તે દિવસે સામાયિક કર્યા વગર ન જમે, અથવા દયા, પૌષધ, પાપ ત્યાગ આદિ ધર્માનુષ્ઠાન કરે. કુવ્યસન, મનોરંજન આદિનો તે દિવસે પૂર્ણરૂપે ત્યાગ કરે તો તેને માટે તો રજા થઈ જ જશે. ધર્મઆરાધનામાં, ધર્મના પ્રાણમાં સરકારી રજા ન હોય તો પણ કાંઈ બાધારૂપ થશે નહીં. તીર્થકરોની ઉપસ્થિતિમાં દેશભરમાં રાજકીય રજા હોવાનો કોઈ પ્રશ્ન જ ન હતો, તોપણ જૈન ધર્મની આરાધના તેમજ પ્રભાવના થતી જ હતી. કહેવાનો ભાવાર્થ એ છે કે કોઈ પણ ઉન્નત ગુણનું મહત્ત્વ પોતાની સીમા સુધી જ સમજવું જોઈએ. તેમજ તેને સ્યાદ્વાદમય ચિંતનથી મૂલવવું જોઈએ. એકાંતિક ચિંતન અને કસોટી કરવી લાભરૂપ નથી. પોતાનો ત્યાગ જ શ્રેષ્ઠ ત્યાગ છે. સંવત્સરી એકતા સમાજનું ભાગ્ય છે. સિકકાની બીજી બાજ– વર્તમાનમાં જન્મે જેનનું જીવન. ૧.અપ્રત્યાખ્યાની ક્રોધ, અપ્રત્યાખ્યાની માન, અપ્રત્યાખ્યાની લોભ નિરંતર છે. અને માયા પણ છે તો અપ્રત્યાખ્યાની પરંતુ હાલનાં શહેરી જીવનમાં તે નિરંતર કરવાની જરૂર નથી પડતી. ક્રોધ પર અંકુશ નથી, લોભ,માન પર અંકુશ નથી, સ્વતંત્રતા બંધારણની જોગવાઈથી મળેલી છે. તેથી માયા કરવાને બદલે આત્માના અશુભ ભાવોનેજ સીધા પ્રગટ કરાય છે. ૨. રાગ અજીવ પુદગલો પર, પોતાના શરીર પર અને પોતાનાં જીવનની સુખસવલતો સાચવતી વસ્તુઓ પર. દેશ સજીવો પર નિરંતર છે. ૩. રતિ, અરતિ, ભય, શોક, દુર્ગછા અને હાસ્ય. - શોક આર્તધ્યાનનાં રૂપમાં છે. જે ગમતી વસ્તુ ન મળવા પર અને મળેલી છુટી ન જાય તે લાલસાથી છે. રતિ ૧૮ પાપમાં, અરતિ ધર્મમાં, ભય બધાંજ(આલોક ભય,પરલોક ભય, રોગ ભય, મરણ ભય,આજીવિકા ભય, અપયશ ભય, અકસ્માત ભય), હાસ્ય બીજા પર અને દુર્ગછા પુદગલોનું સ્વરુપ અમનોજ્ઞ દેખીને. શુભ કે અશુભ પુદગલો, લેશ્યાઓની ઓળખ નથી. તેના બદલે મનોજ્ઞ, અમનોજ્ઞ, પોતાને અનુકુળ કે પ્રતિકુળ એ દ્રષ્ટિથી જુએ છે. વાટથી ૧૮ પાપસ્થાનમાં રચ્યો રહે છે. અશભ પદગલો અને અશભ લેશ્યાઓનું આલંબન મળે છે. ૫. પાંચ આશ્રવ–મિથ્યાત્વ–શુધ્ધ સમકિત નથી, મિશ્ર છે. દેવી દેવતા પુજે છે. અવ્રત–જયાં સુધી સંત મળતા નથી ત્યાં સુધી કોઈ વ્રત નિયમ આદરાવતું નથી. પ્રમાદ–પાંચ પ્રમાદ, નિંદ્રા, વિકથા, મદ, વિષય, કષાયથી ઘેરાયેલો છે. યોગ–મનવચનકાયાના યોગ માઠા પ્રવર્તાવે છે. કષાય–અપ્રત્યાખ્યાની છે. ૬. છ કાય જીવોનો આરંભ કર્યા કરે છે. પૃથ્વી,પાણી,અગ્નિ,વનસ્પતિ,વાયરાનાં જીવોનું નિકંદન પોતાના શરીર અને સુખસવલતો માટે કરે છે. પૈસામાં સુખ માને છે. પરંતુ પૈસો એમજ સુખ નથી આપતો. પૈસો કમાતી વખતે અને ખર્ચતી વખતે, બંને બાજુએ
SR No.009130
Book TitleKathasar
Original Sutra AuthorN/A
AuthorJain Yuth Foram
PublisherJain Yuth Foram
Publication Year2013
Total Pages305
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy