SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ આગમ-કથાઓ 276 નોંધ :– અહીં ૫૧૦ યોજન થવામાં સૂક્ષ્મતમ ફરક હોઈ શકે છે. કારણ કે સમ ભિન્ન હોવાથી કંઈક સાધિક કે કંઈક ન્યૂન અંશ રહી જાય છે. બારમો પ્રતિ પ્રામૃત નક્ષત્ર દેવતા :–પ્રત્યેક નક્ષત્ર વિમાનના સ્વામી અધિપતિ દેવતા હોય છે. એમના નામ આગળના સોળમા ઉદ્દેશકના ચાર્ટમાં જુઓ. તેરમો પ્રતિ પ્રામૃત મુહૂર્તોનાં નામ ઃ– એક અહોરાત્રમાં ત્રીસ મુહૂર્ત હોય છે. એક મુહૂર્ત ૪૮ મિનિટનું હોય છે. ૬૦ મિનિટનો એક કલાક થાય છે. અર્થાત્ ૨૪ કલાકમાં ૩૦ મુહૂર્ત થાય છે. આ ત્રીસ મુહૂર્તોના નામ સૂત્રમાં કહ્યા છે. ચોદમો પ્રતિ પ્રામૃત દિવસ રાતનાં નામ ઃ– એક પક્ષમાં એકમ બીજ આદિ ૧૫ દિવસ હોય છે. તેમાં ૧૫ રાત અને ૧૫ દિવસ હોય છે. તે સર્વના અલગ–અલગ નામ હોય છે, જે સૂત્રમાં બતાવવામાં આવ્યા છે. પંદરમો પ્રતિ પ્રામૃત તિથિઓનાં નામ :– ૧૫ તિથિઓના વિશિષ્ટ ગુણસૂચક નામ હોય છે. એમાં ૧૫ દિવસ તિથિના ૫ નામ છે અને ૧૫ રાત તિથિના પાંચ નામ છે. સોળમો પ્રતિ પ્રામૃત = નક્ષત્રના ગોત્ર અને અધિપતિ દેવ :– પહેલું અભિજિત છે અને ૨૮મું ઉત્તરાષાઢા નક્ષત્ર છે આ ક્રમથી ચાર્ટમાં જુઓ નક્ષત્ર | દેવનામ ગોત્ર ગોત્ર ૧ નક્ષત્ર | દેવનામ મગલાયન ૧૫ બૃહસ્પતિ શંખાયન ૧૬ સર્પ અગ્નિતાપસ ૧૭ પિતૃ કર્ણલોચન ૧૮ ભગ ર ૩ ૪ ૫ ૭ ८ ૭ ૧૦ |||2| ૧૧ બ્રહ્મા વિષ્ણુ ૧૪ વસુ વરુણ અજ જાતુકર્ણ અભિવૃદ્ધિ ધનંજય પુષ્ય અશ્વ યમ અગ્નિ પ્રજાપતિ સોમ ૧૩ રુદ્ર અદિતિ ૧૯ અર્યમ ૨૦ સવિતા પુષ્યાયન ૨૧ આશ્વાદન ૨૨ ભગ્નવેશ ૨૩ અગ્નિવેશ ૨૪ ગૌતમ ૨૫ ભારદ્વાજ ૨૬ લોહિત્યાયન ૨૭ વાશિષ્ટ ૨૮ તુષ્ઠ વાયુ ઇન્દ્રાગ્નિ મિત્ર ઇન્દ્ર જલ વિશ્વ ઉથાયન માંડવ્યાયન પિંગલાયન ગોપાલ્યાયન સત્તરમો પ્રતિ પ્રામૃત કાશ્યપ કોશિક દર્ભિયાયન નિરતિ(નૈઋતિ) કાત્યાયન વર્ધિતાયન વ્યાઘ્રાવૃત્ય ચામરક્ષા સંગાયણ ગોલવ્યાયણ ચિકિત્સ્યાયન આ પ્રાભૂતની ઐતિહાસિક વિચારણા જિનાનુમત કથનમાં નક્ષત્રોના (૧) નામ (૨)આકાર (૩) તારા (૪) દેવતા (૫) ગોત્ર આદિ વિષય અભિજિતથી શરૂ કરી ને કહેલ છે. જે ૮, ૯, ૧૨, ૧૬ પ્રતિ પ્રામૃતમાં કહેલ છે. આ રીતે (૬) પૂનમ (૭) અમાવસ્યા (૮) કુલ ઉપકુલ આદિનું સ્વમત કથન પણ શ્રાવણ મહિનાના નક્ષત્રથી શરૂ કરવામાં આવેલ છે. કૃતિકા નક્ષત્રથી શરૂઆત :– આ સત્તરમા પ્રતિ પ્રાભૂતમાં નક્ષત્રોના ભોજન સંબંધી વર્ણન કૃતિકા નક્ષત્રથી શરૂઆત કરીને ભરણી નક્ષત્ર સુધી કહેલ છે. અન્ય કોઈ ક્રમ કે મતાંતર અથવા સ્વમતના અભિજિત નક્ષત્રના ક્રમવાળું કોઈ પણ વર્ણન અહીં નથી. માટે કૃતિકાથી શરૂ કરીને કહેલ આ વર્ણન જિનાનુમત તો નથી જ, એ નિશ્ચિત એવં સ્પષ્ટ છે. કેમ કે જિનાનુમત કથન આ સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્રમાં અભિજિત નક્ષત્રથી શરૂ કરવામાં આવે છે, એ પૂર્ણ પ્રામાણિત તત્ત્વ છે, જેના અનેક પ્રાભૂતોના ઉદાહરણ ઉપર દેવામાં આવ્યા છે. જૈન મુનિનો કલ્પ :– આ પ્રતિ પ્રાભૂતમાં જે કાંઈ નક્ષત્ર ભોજનનું વર્ણન છે તે કોઈપણ જૈન શ્રમણને બોલવા, લખવા, પ્રરૂપણ કરવા અકલ્પનીય છે. આવા પ્રરૂપણ તો શાસ્ત્રોમાં, આગમોમાં, સિદ્ધાંત રૂપથી કોઈ પણ સત્બુદ્ધિવાળો સામાન્ય અહિંસક સાધક પણ કરી શકતો નથી. ત્યારે છ કાયના પરિપૂર્ણ રક્ષક જૈન શ્રમણ એવા સચિત પદાર્થોના ખાવા સંબંધી અને આમિષ ભોજન સંબંધી કથન કદાપિ કરી શકતા નથી. વાસ્તવિકતા તો આ છે કે જૈનાગમ મધ, માંસના આહારને નરક ગતિમાં જવાનું પ્રબલ કારણ બતાવે છે અને જૈન ધર્મની હાર્દિક શ્રદ્ધા રાખવા વાળો આજના હુંડા અવસર્પિણી(મહા કલિયુગ) કાલનો નાનામાં નાનો સાધક પણ મદ્ય માંસનું સેવન કરવાનું તો દૂર રહ્યું પરંતુ એના સેવનનો સંકલ્પ પણ કરી શકતો નથી. એટલા માટે સત્ય એ છે કે મહાજ્ઞાની આગમ રચયિતા શ્રમણ એવી રચના કદાપિ કરી શકતા નથી. સચિત પદાર્થ ભક્ષણ પ્રરૂપક પાઠની અકલ્પનીયતા :– ઘણાં આધુનિક પરંપરાગ્રહી વિદ્વાન આ આમિષ શબ્દોથી વનસ્પતિ પરક અર્થોના સમન્વય કરવાના પ્રયત્ન કરે છે. કિંતુ આ શ્રમણો સચિત વનસ્પતિઓના ખાવાની પ્રેરણા– વાળા પાઠોના કથન, લેખન
SR No.009130
Book TitleKathasar
Original Sutra AuthorN/A
AuthorJain Yuth Foram
PublisherJain Yuth Foram
Publication Year2013
Total Pages305
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy