________________
jain
251
કથાસાર
લંબાઈ પહોળાઈની વચ્ચોવચ વિકટાપાતી વૃત વૈતાઢય પર્વત છે. જેનું વર્ણન શબ્દાપાતી વૃત વૈતાઢયના જેવું છે. આ વૃત વૈતાઢય પર ભવનમાં અરુણ નામક સ્વામી દેવ રહે છે.
આ ક્ષેત્રનો હરિવર્ષ નામક સ્વામી દેવ છે. જે મહર્દિક યાવત્ એક પલ્યોપમની સ્થિતિવાળો છે. આ કારણે આ ક્ષેત્રનું શાશ્વત નામ ‘હરિવર્ષ ક્ષેત્ર’ છે. હરી અને હરિકતા નામની બે નદિઓ આ ક્ષેત્રમાં છે. હેમવંત ક્ષેત્રના જેવું જ એના પણ ચાર વિભાગ ઇત્યાદિ અવશેષ વર્ણન છે.
(૫) નિષધ વર્ષધર પર્વત :– આ પર્વત ઉત્તરમાં મહાવિદેહ ક્ષેત્રની એવં દક્ષિણમાં હરિવર્ષ ક્ષેત્રની સીમા કરે છે. પૂર્વ પશ્ચિમમાં લવણ સમુદ્રી ચરમાંત પ્રદેશોને સ્પર્શ કરે છે અર્થાત્ બધા પર્વત જગતીને ભેદી સમુદ્ર સુધી પહોંચે છે. એ પૂર્વ પશ્ચિમ લાંબો અને ઉત્તર દક્ષિણ હરિવર્ષ ક્ષેત્રથી બે ગણો (૧૬૮૪૨ યોજન) પહોળો અને ૪૦૦ યોજન ઊંચો, રુચક સંસ્થાન સંસ્થિત છે. શેષ વર્ણન મહા—હિમવંત પર્વત જેવું જ છે. એના શિખર તલ પર તિગિચ્છ નામક બ્રહ છે. જે મહા– પદ્મ દ્રહ થી બે ગણો છે અને એના અંદર પદ્મ અને ભવન પણ બે ગણી લંબાઈ— પહોળાઈવાળા છે. પદ્મોનું શેષ વર્ણન મહાપદ્મ દ્રહના જેવું જ છે. અહીં ધૃતિ નામક દેવી સપરિવાર નિવાસ કરે છે.
આ દ્રહની ઉત્તર દક્ષિણથી મહાપદ્મ દ્રહની જેમ બે નદિઓ નીકળે છે. દક્ષિણથી હિર નદી નીકળે છે. જે હરિવર્ષક્ષેત્રમાં હરિપ્રપાત કુંડમાં પડે છે અને ત્યાંથી વિકટાપાતી વૃત વૈતાઢય સુધી દક્ષિણમાં ચાલી પછી પૂર્વ દિશામાં વળે છે. આ નદી પૂર્વી હરિવર્ષ ક્ષેત્રને લંબાઈમાં બે વિભાજન કરતી પૂર્વી લવણ સમુદ્રમાં પ્રવિષ્ટ થાય છે.
આ દ્રહની ઉત્તરથી સીતોદા મહાનદી નીકળે છે. જે ઉત્તરી શિખરતલ પર ચાલતી કિનારા પર આવીને ૪૦૦ યોજન નીચે દેવકુરુક્ષેત્રમાં રહેલ સીતોદાપ્રપાત કુંડમાં પડે છે. પછી કુંડના ઉત્તરી તોરણથી નીકળી દેવકુરુ ક્ષેત્રને બે ભાગોમાં વિભાજિત કરતી આગળ વધે છે. ચિત્રકૂટ પર્વત અને વિચિત્રકૂટ પર્વતોની વચમાંથી નીકળી, પાંચ દ્રહોને બે ભાગોમાં વિભાજિત કરે છે. પછી ૫૦૦ યોજન ભદ્રશાલ વનમાં જઈને એના પણ પૂર્વ પશ્ચિમ બે વિભાગ કરે છે. પછી મેરુ પર્વતથી બે યોજન દૂર રહેલા વિદ્યુત્પ્રભ ગજદંતા પર્વતની નીચેથી નીકળી પશ્ચિમની બાજુ વળી જાય છે. ત્યાં પણ પશ્ચિમી ભદ્રશાલ વનમાં ૨૨૦૦૦ યોજન જઈને એના ઉત્તરી દક્ષિણી બે વિભાગ કરતી આગળ વધે છે. આના પછી પશ્ચિમી મહાવિદેહને બે ભાગોમાં વિભાજિત કરતી ત્યાંના ૧૬ વિજયોથી આવનારી નદિઓને પોતાનામાં સમાવિષ્ટ કરતી આગળ વધે છે. અંતમાં જગતીના જયંત દ્વારની નીચે(૧૦૦૦ યોજન નીચે) જઈને લવણ સમુદ્રની સીમામાં પ્રવેશ કરે છે. કારણ કે પશ્ચિમી મહાવિદેહ આગળ જતાં નીચે ઢોળાવ રૂપમાં રહેલું હોવાથી ૨૪મી અને ૨૫મી વિજય અધોલોકમાં છે અર્થાત્ સમભૂમિથી ૧૦૦૦ યોજન નીચે છે. પૂર્વી મહાવિદેહ આ રીતે નથી પરંતુ સમતળ છે. મહાવિદેહ ક્ષેત્ર :– · આની ઉત્તરમાં નીલવંત પર્વત, દક્ષિણમાં નિષધ પર્વત સીમા કરે છે. પૂર્વ પશ્ચિમમાં લવણ સમુદ્ર છે. જંબુદ્રીપની મધ્યમાં આ મહાવિદેહ ક્ષેત્ર પૂર્વ પશ્ચિમ એક લાખ યોજન લાબું, ઉત્તર દક્ષિણ ૩૩૬૮૪ યોજન પહોળું પથંક સંસ્થાન સંસ્થિત, જંબુદ્રીપના બધા ક્ષેત્રોમાં વિશાળ ક્ષેત્ર છે.
આના મુખ્ય ચાર મોટા વિભાગ છે. ૧. ઉત્તરકુરુ ૨. પૂર્વ વિદેહ ૩. દેવકુરુ ૪. પશ્ચિમ વિદેહ.
(૬) ઉત્તર કુરુક્ષેત્ર :– આ યુગલિક ક્ષેત્ર ઉત્તરમાં નીલવંત મહાપર્વતથી અને પૂર્વ, પશ્ચિમ તથા દક્ષિણ ત્રણ દિશાઓમાં અર્ધ ગોળાકારમાં રહેલા બે ગજદન્તાકાર વક્ષસ્કાર પર્વતોથી, એમ ચારે તરફ પર્વતોથી ઘેરાયેલું ક્ષેત્ર છે. એ પૂર્વ-પશ્ચિમ ૫૩૦૦૦ યોજન લાંબુ, ઉત્તર દક્ષિણ ૧૧૮૪૨ યોજન પહોળું અર્ધ ચંદ્રાકાર સંસ્થાનવાળું છે. જેની ધનુપૃષ્ટ ૬૦૪૧૮ યોજનની છે. આની વચમાં નીલવંત પર્વતના શિખર તલથી કુંડમાં પડીને દક્ષિણી તોરણથી નીકળનારી સીતા નદી છે. જે સીધી મેરુપર્વતના દક્ષિણ કિનારા સુધી(બે યોજન પૂર્વ) અર્થાત્ આ ક્ષેત્રના ઉત્તર કિનારા સુધી ગઈ છે. આને કારણે આ ક્ષેત્ર બરાબર બે વિભાગોમાં વિભાજિત છે. યથા– (૧) પશ્ચિમ વિભાગ (૨) પૂર્વ વિભાગ.
ગંધમાદન વક્ષસ્કાર પર્વત :– ઉત્તર કુરુક્ષેત્રમાં પશ્ચિમી વિભાગના પશ્ચિમી કિનારે ગંધમાદન ગજદંતાકાર વક્ષસ્કાર પર્વત છે. જે નીલવંત પર્વતની પાસે ૫૦૦ યોજન પહોળો અને ૪૦૦ યોજન ઊંચો છે. મેરુ પર્વતની પાસે અંગુલના અસંખ્યાતમા ભાગનો પહોળો અને ૫૦૦ યોજન ઊંચો છે. આ પ્રકારે આ પર્વત મેરુ પર્વત સુધી ક્રમશઃ ઊંચાઈમાં વધતો ગયો છે અને પહોળાઈમાં ઘટતો ગયો છે. સમભૂમિ ૫૨ આની બંને તરફ પદ્મવર વેદિકા અને વનખંડ છે.
સુગંધી પદાર્થમાંથી જેમ મનોજ્ઞ સુગંધ નીકળે અને પ્રસરે છે, એવીજ રીતે આ પર્વતમાંથી સદાય ઇષ્ટ સુગંધ ફેલાતી રહે છે, ગંધમાદન નામક પરમ ૠદ્ધિ સંપન્ન દેવ આના પર નિવાસ કરે છે, એના લીધે આ પર્વતનું અનાદિ શાશ્વત નામ ‘ગંધમાદન વક્ષસ્કાર’ સીમા કરવાવાળો પર્વત છે.
ઉત્તર કુરુક્ષેત્રમાં ૩ પલ્યોપમની સ્થિતિવાળા, ૩ કોશની અવગાહનાવાળા યુગલિક મુનષ્ય રહે છે. આ ક્ષેત્રનું અને મનુષ્યોનું સંપૂર્ણ વર્ણન અવસર્પિણીના પ્રથમ આરાના પ્રારંભકાળની સમાન છે.
=
યમક પર્વત ઃ– નીલવંત વર્ષઘર પર્વતની ૮૩૪ યોજન દક્ષિણમાં સીતા નદીની બંને બાજુ હજાર યોજન ઊંચા, હજાર યોજન મૂળમાં પહોળા, ૭૫૦ યોજન વચમાં અને ૫૦૦ યોજન ઉપર પહોળા બે પર્વત છે. બન્નેના નામ યમક પર્વત છે. એ ગોપુચ્છ સંસ્થાન સંસ્થિત છે. સુવર્ણમય છે. બન્ને ઉપર ૬૨.૫ યોજન ઊંચા ૩૧.૨૫ યોજન લાંબા-પહોળા એક–એક પ્રાસાદાવતંસક છે. એમા યમક નામનો દેવ પોતાના પરિવાર સહિત રહે છે. ઉત્તર દિશામાં એની યમિકા રાજધાની અન્ય જંબુદ્વીપમાં છે. પાંચદ્રહ અને ૧૦૦ કંચનક પર્વત ઃ– આ બંને પર્વતોથી ૮૩૪ યોજન દૂર દક્ષિણમાં સીતા નદીના મધ્યમાં નીલવંત દ્રહ છે. પૂર્વ પશ્ચિમ ૫૦૦ યોજન પહોળો અને ઉત્તર દક્ષિણ ૧૦૦૦ યોજન લાંબો છે. લંબાઈના ૧૦૦૦ યોજનની પાસે ૧૦–૧૦ યોજનના અંતરે ૧૦–૧૦ કંચનક પર્વત છે. અર્થાત્ દ્રહના પૂર્વ કિનારે ૧૦ અને પશ્ચિમ કિનારે ૧૦ એમ કુલ ૨૦ કંચનક પર્વત એક દ્રહના બંને તટો પર છે. આ પર્વતો ૧૦૦ યોજન ઊંચા અને મૂળમાં સો યોજન અને શિખર પર ૫૦ યોજન વિષ્મભવાળા છે; ગોપુચ્છ સંસ્થાનમાં છે. આ દસ-દસ પર્વતોના ૧૦ યોજનનું અંતર અને ૧૦૦ યોજન અવગાહન મળીને કુલ ૧૦૯૦ યોજન ક્ષેત્ર