SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ jain (૨) કાષ્ઠપાત્ર બનાવવા માટે લાકડા કાપવા જંગલમાં જતી વખતે કોઈના પૂછવા પર તે વ્યક્તિ કહે કે પ્રસ્થક(કાષ્ઠ પાત્ર) લેવા જઈ રહ્યો છું. વૃક્ષ કાપતી વખતે, પાછા આવતી વખતે, છોલતી વખતે, સુધારતી વખતે અને પાત્ર બનાવતી વખતે, આ પ્રકારે સર્વે અવસ્થાઓમાં એનું પ્રસ્થક બનાવવાનું કહેવું નૈગમ નય સત્ય સ્વીકાર કરે છે. (૩) જયપુર જનારો વ્યક્તિ જયપુરની સીમામાં પ્રવેશ કરતાં કહે કે જયપુર આવી ગયું, નગર કે બગીચામાં પ્રવેશતાં કહે જયપુર આવી ગયું, શહેરમાં પહોંચતાં, પ્રવેશતાં, મોટા રસ્તા પર પહોંચતાં અને તેમાં પણ લાલ ભવનમાં બેસતાં, પોતાના સાથીઓને કહે કે આપણે જયપુરમાં બેઠા છીએ. આ સર્વે અવસ્થાઓના વાક્ય પ્રયોગોને નૈગમ નય વગર સંકોચે સત્ય સ્વીકાર કરી લે છે. આ નૈગમ નયની અપેક્ષા છે. આ પ્રકારે દ્રવ્ય પર્યાય સામાન્ય અને વિશેષ તથા ત્રણે કાળને સત્ય સ્વીકાર કરનારો નૈગમ નય છે. 237 કથાસાર સંગ્રહ નય :– નૈગમ નય સામાન્ય અને વિશેષ બન્નેની ઉપયોગિતાનો સ્વીકાર કરે છે. સંગ્રહ નય ફક્ત સામાન્યનો સ્વીકાર કરે છે, વિશેષને ગૌણ કરે છે. સામાન્ય ધર્મથી અનેક વસ્તુઓને એકમાં જ સ્વીકાર કરવાવાળો સંગ્રહ નય છે. યથા– ભોજન લાવો. આ કથનમાં રોટલી, શાક, મિઠાઈ, દહીં, નમકીન ઇત્યાદિ સર્વે પદાર્થોને ગ્રહણ કરી એને આદેશ અપાય તેને સંગ્રહ નય કહે છે. એવી જ રીતે અહીં વનસ્પતિઓ છે. તેમ કહેવાથી લીલું ઘાસ, છોડ, વેલ, આંબાનું વૃક્ષ આદિ અનેકોના સમાવેશ યુક્ત કથન સંગ્રહ નયની અપેક્ષાએ છે. એ પ્રકારે દ્રવ્યથી ૬ દ્રવ્યોનું, જીવથી ચાર ગતિના જીવોનું કથન સંગ્રહ નયની અપેક્ષાએ છે. આ પ્રકારે આ નય એક શબ્દમાં અનેક પદાર્થોનો સંગ્રહ કરે છે. વિશેષ વિશેષતર ભેદ– પ્રભેદોની અપેક્ષા રાખતો નથી. વ્યવહાર નય :– સામાન્ય ધર્મોને છોડીને વિશેષ ધર્મોને ગ્રહણ કરી વસ્તુનું કથન કરવાવાળો અને ભેદ–પ્રભેદ કરી વસ્તુનું કથન કરનારો વ્યવહાર નય છે. જેમ કે દ્રવ્યને છ ભેદથી, એમાં પણ જીવ દ્રવ્યને ચાર ગતિથી, પછી જાતિથી, કાયાથી, પછી દેશ વિશેષથી કથન કરે છે. જેમકે સંગ્રહ નય મનુષ્ય જાનવર આદિ અથવા તેના સમૂહને આ જીવ છે, એવા સામાન્ય ધર્મની પ્રમુખતાથી કથન કરે. જ્યારે વ્યવહાર નય આ મનુષ્ય ભારતવર્ષના રાજસ્થાન પ્રાંતના જયપુર નગરનો બ્રાહ્મણ જાતિનો ત્રીસ વર્ષનો જુવાન છે, એવું કહેશે. એ રીતે વિશેષ ધર્મ કથન તથા આશયને વ્યવહાર નય પ્રમુખ કરે છે. (૧) નૈગમ નય સામાન્ય અને વિશેષ બન્નેને ઉપયોગી સ્વીકારે છે. (૨) સંગ્રહ નય સામાન્યને ઉપયોગી સ્વીકાર કરે છે. (૩) વ્યવહાર નય વિશેષ (વ્યવહારિક) અવસ્થા સ્વીકાર કરીને કથન કરે છે. આ ત્રણ નયને દ્રવ્યાર્થિક નય કહે છે. આ નયો ત્રણે કાળને સ્વીકારે છે. ૠજુસૂત્ર નય :– ફક્ત વર્તમાનકાળને પ્રમુખતા આપવાવાળો યા સ્વીકાર કરનારો આ નય જુસૂત્ર નય છે. આ વર્તમાનની ઉપયોગિતા સ્વીકાર કરે છે. ભૂત અને ભાવીના ધર્મોની, અવસ્થાઓની અપેક્ષા રાખતો નથી. કોઈ વ્યક્તિ પહેલાં દુ:ખી હતો, પછી એનું ભવિષ્ય પણ દુ:ખી હશે, પરંતુ અત્યારે વર્તમાનમાં સુખી છે, સુખનો અનુભવ કરી રહ્યો છે. તેને ભૂત અને ભવિષ્યના દુઃખનો અત્યારે શું સંબંધ ? આથી તે વ્યક્તિને સુખી કહેવામાં આવશે. કોઈ પહેલાં રાજા હતો, હમણાં ભિખારી બની ગયો છે. પછી ફરી કયારેક રાજા બનશે. પરંતુ અત્યારે તે ભીખારીપણાનો અનુભવ કરી રહ્યો છે. અતઃ એને ભૂતકાળ અને રાજાપણાનો અત્યારે કંઈ જ સંબંધ નથી. અત્યારે તો એ ભિખારી જ કહેવાશે. કોઈ વ્યક્તિ મુનિ બન્યો હતો, અત્યારે તે ગૃહસ્થ છે, ફરી મુનિ બની જશે. વર્તમાનમાં તે ગૃહસ્થરૂપમાં છે. પૂર્વ અને ભાવી મુનિપણાનો એને કોઈ આત્માનંદ નથી. અતઃ આ નય વર્તમાન અવસ્થામાં વસ્તુ સ્વરૂપને દેખે છે, જાણે છે અને કથન કરે છે. " શબ્દ નય :– શબ્દથી પદાર્થોનું જ્ઞાન થાય છે. એટલા માટે આ નય પદાર્થનો કોઈપણ પ્રકારે બોધ કરાવનાર શબ્દોનો સ્વીકાર કરે છે. તે શબ્દ જે પદાર્થનો બોધ કરાવે છે તેને આ નય પ્રધાનતા આપીને સ્વીકાર કરે છે. આ નય વર્તમાનને સ્વીકાર કરે છે. યથા જિન’ શબ્દ જે વર્તમાનમાં રાગદ્વેષ વિજેતા છે એને એ ગ્રહણ કરે છે. પરંતુ ભવિષ્યમાં કોઈ જિન થશે એ દ્રવ્ય ‘જિન’નો સ્વીકાર કરતો નથી. તેવી રીતે કોઈનું નામ ‘જિન’ છે, એ નામ જિનનો પણ સ્વીકાર કરતો નથી. પ્રતિમા, યા ચિત્ર પર કોઈ ‘જિન’ની સ્થાપના કરી તે ‘સ્થાપના જિન’ને પણ આ નય સ્વીકાર કરતો નથી . આ પ્રકારે આ નય કેવલ ભાવ નિક્ષેપનો સ્વીકાર કરે છે. નામ, સ્થાપના એવં દ્રવ્યનિક્ષેપને આ નય સ્વીકાર કરતો નથી. જે શબ્દ જે વસ્તુનું કથન કરવાની અર્થ યોગ્યતા અથવા બોધકતા ધરાવે છે એના માટે એ શબ્દનો પ્રયોગ કરવો શબ્દ નય છે. શબ્દ– યોગિક, રૂઢ અને યોગિકરૂઢ પણ હોય છે. તે જે—જે શબ્દના બોધક હોય છે, તેને આ નય ઉપયોગી સ્વીકાર કરે છે. યથા ૧‘પાચક’ આ યૌગિક નિરુક્ત શબ્દ છે. એનો અર્થ રસોઈયો, રસોઈ કરનારો હોય છે. ૨– ‘ગૌ’ આ રૂઢ શબ્દ છે. એનો અર્થ છે– જવાની ક્રિયા કરનારો. પરંતુ બળદ અથવા ગાય જાતિ માટે એનો અર્થ રૂઢ થયો છે. અતઃ શબ્દનય એનો પણ સ્વીકાર કરે છે. ૩– પંકજ’ યૌગિક પણ છે અને રૂઢ પણ છે. એનો અર્થ છે કીચડમાં ઉત્પન્ન થનારું ‘કમળ’. પરંતુ કીચડમાં તો દેડકો, શેવાળ આદિ ઘણી વસ્તુઓ ઉત્પન્ન થાય છે. એને નહીં સમજતા ફક્ત ‘કમળ’ને જ સમજવામાં આવે છે. આ રીતે ‘પંકજ’ એ યૌગિકરૂઢ શબ્દ છે. એનાથી કમળનો જ બોધ થાય છે. શબ્દ નય એનો પણ સ્વીકાર કરે છે. એ પ્રકારે વિભિન્ન રીતે અર્થનો બોધક અને સર્વે શબ્દોની ઉપયોગિતા કરનારો એ ‘શબ્દનય’ છે. સમભિરૂઢ નય :– આ નય પણ એક પ્રકારનો શબ્દનય છે. એનું સ્વરૂપ પણ શબ્દનયની સમાન સમજવું જોઈએ. વિશેષતાએ છે કે આ રૂઢ શબ્દ આદિને પદાર્થનો અર્થ બોધક તરીકે સ્વીકાર કરતો નથી, ફક્ત યૌગિક, નિરુકત શબ્દ જે અર્થને કહે છે તે પદાર્થનો જ આ નય સ્વીકાર કરે છે. અર્થાત્ રૂઢ શબ્દનો સ્વીકાર નથી કરતો, સાથે પર્યાયવાચી શબ્દ છે એને પણ એકરૂપમાં સ્વીકાર નથી કરતો પરન્તુ ભિન્ન ભિન્ન રૂપમાં એનો સ્વીકાર કરે છે. અર્થાત્ એ પર્યાયવાચી શબ્દોનો જે નિરુક્ત અર્થ હોય છે એ શબ્દથી એ પદાર્થનો સ્વીકાર કરે છે અને બીજા પર્યાયવાચી શબ્દને વાચ્ય પદાર્થથી એનો અલગ સ્વીકાર કરે છે. યથા– જિન, કેવળી, તીર્થંકર આ જિનેશ્વરના જ બોધક શબ્દ છે એવું એકાર્થક રૂપમાં પણ છે. તો પણ એ નય એનો અલગ–અલગ અર્થમાં અલગ-અલગ સ્વીકાર
SR No.009130
Book TitleKathasar
Original Sutra AuthorN/A
AuthorJain Yuth Foram
PublisherJain Yuth Foram
Publication Year2013
Total Pages305
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy