________________
164
આગમ-કથાઓ (૨) બીજી શ્રેણીમાં – પાર્શ્વસ્થ', “અવસનડ’ ‘કુશીલ”, “સંસક્ત અને નિત્યક એ પાંચનો સમાવેશ થાય છે. એની સાથે વંદન
વ્યવહાર, આહાર, વસ્ત્રાદિનું આદાન-પ્રદાન તેમજ ગુણગ્રામ કરવાનું, વાંચણી લેવા-દેવાનું લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત આવે છે અને | શિષ્ય લેવા-દેવાનું લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. (૩) ત્રીજી શ્રેણીમાં – “કાથિક', “પ્રેક્ષણિક', “મામક” અને “સંપ્રસારિક', એ ચારનો સમાવેશ થાય છે. એની સાથે વંદન વ્યવહાર, આહાર-વસ્ત્ર આદિની લેવડ-દેવડ તેમજ ગુણગ્રામ કરવાનું લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત આવે છે. શિષ્ય લેવા-દેવા નું કોઈ પ્રાયશ્ચિત્ત બતાવવામાં આવ્યું નથી તથા વાંચણી લેવા-આપવાનું પણ પ્રાયશ્ચિત નથી.
પ્રથમ શ્રેણીવાળાની પ્રરૂપણા જ અશુદ્ધ છે. આથી આગમ વિપરીત પ્રરૂપણાવાળા હોવાથી તે ઉત્કૃષ્ટ દોષી છે.
બીજી શ્રેણીવાળા મહાવ્રત, સમિતિ, ગુપ્તિઓના પાલનમાં દોષ લગાડે છે, અનેક આચાર સંબંધી સૂમ-ધૂળ દૂષિત પ્રવૃત્તિઓ કરે છે તેથી તે મધ્યમ દોષી છે.
ત્રીજી શ્રેણીવાળા સીમિત તથા સામાન્ય આચાર-વિચારમાં દોષ લગાડવા વાળા છે, તેથી તે જઘન્ય દોષી છે. અર્થાત્ કોઈ કેવળ મહુર્ત બતાવે છે, કોઈ કેવળ મમત્વ કરે છે, કોઈ કેવળ વિકથાઓમાં સમય વિતાવે છે, કોઈ દર્શનીય સ્થળ જોતા રહે છે. અન્ય કોઈ પણ દોષ લગાડતા નથી. એ ચારે મુખ્ય દોષ નથી પરંતુ સામાન્ય દોષ છે.
મસ્તક અને આંખ ઉત્તમ અંગ છે. પગ, આંગળીઓ, નખ અધમાંગ છે. અધમાંગમાં ઈજા થવા પર યા પગમાં માત્ર ખીલી ખેંચી જવા પર પણ જે પ્રકારે શરીરની શાંતિ અને સમાધિ ભંગ થઈ જાય છે તે પ્રકારે સામાન્ય દોષોથી પણ સંયમ-સમાધિ તો દૂષિત થાય જ છે.
આ પ્રમાણે ત્રણે શ્રેણીઓવાળા દૂષિત આચારના કારણે શીતલ વિહારી (શિથિલાચારી) કહેવાય છે. જે આ અવસ્થાઓથી દૂર રહીને નિરતિચાર સંયમનું પાલન કરે છે તે ઉદ્યતવિહારી–ઉગ્રવિહારી(શુદ્ધાચારી) કહેવાય છે. પરસ્પર વંદન નિર્ણય:(૧) બીજી અને ત્રીજી શ્રેણીવાળા પહેલી શ્રેણીવાળાને વંદન આદિ કરે તો પ્રાયશ્ચિત્ત આવે છે. પરંતુ બીજી ત્રીજી શ્રેણીવાળા પરસ્પર યા શુદ્ધાચારી છએ નિગ્રંથોને વંદન કરે તો પ્રાયશ્ચિત્ત નથી આવતું. (૨) શુદ્ધાચારી ઉક્ત ત્રણે શ્રેણીવાળાઓને વંદન આદિ કરે તો પ્રાયશ્ચિત્ત આવે છે. પરંતુ બીજી અને ત્રીજી શ્રેણીવાળાઓને ગીતાર્થ–બહુશ્રુતના નિર્ણય અને આજ્ઞાથી વંદન કરે તો પ્રાયશ્ચિત્ત નથી આવતું. (૩) શુદ્ધાચારી શુદ્ધાચારીને વંદન કરે તો કોઈપણ પ્રાયશ્ચિત્ત નથી આવતું અને શિથિલાચારી શિથિલાચારીને વંદન કરે તો તેને પણ કોઈ પ્રાયશ્ચિત્ત નથી. (૪) પ્રથમ શ્રેણી સિવાય કોઈને સકારણ પરિસ્થિતિમાં બહુશ્રુત ગીતાર્થની આજ્ઞા થવા પર પણ જો વંદન આદિ વ્યવહાર ન કરે તો તે પણ પ્રાયશ્ચિત્તને પાત્ર બને છે. (૫) શુદ્ધાચારી પણ જો અન્ય શુદ્ધાચારીને વંદન આદિ ન કરે તો તે પણ પ્રાયશ્ચિત્તને પાત્ર બને છે અને જિન શાસનના અપરાધી થાય છે. પાસત્થા આદિની પ્રવૃત્તિવાળા નિગ્રંથ પણ છે –
પાસત્થા આદિની વ્યાખ્યા કરતા સંયમ વિપરીત જેટલી પ્રવૃત્તિઓનું અહીં કથન કરવામાં આવેલ છે, તેનું વિશેષ પરિસ્થિતિવશ અપવાદરૂપમાં ગીતાર્થ દ્વારા અથવા ગીતાર્થની નેશ્રામાં સેવન કરવા પર તથા તેની શ્રદ્ધા પ્રરુપણા આગમ અનુસાર રહેવા પર તેમજ તે અપવાદરૂપ સ્થિતિથી મુક્ત થતાં જ પ્રાયશ્ચિત્ત લઈને શુદ્ધ સંયમ આરાધનામાં લાગી જવાની લગની રાખવા પર, તે પાસત્થા વગેરે કહેવામાં નથી આવતા, પરંતુ પ્રતિસેવી નિગ્રંથ કહેવાય છે.
શુદ્ધ સંસ્કારોના અભાવમાં, સંયમ પ્રત્યે સજાગ ન રહેવાથી, અકારણ દોષ સેવનથી, સ્વચ્છંદ મનોવૃત્તિથી, આગમોક્તા આચાર પ્રત્યે નિષ્ઠા ન હોવાથી, નિષિદ્ધ પ્રવૃત્તિઓ ચાલુ રાખવાથી તથા પ્રવૃત્તિ સુધારવા અને પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરવાનું લક્ષ્ય ન રાખવાથી, તે બધી નાની અથવા મોટી દૂષિત પ્રવૃત્તિઓ કરવા વાળા પાસત્યા' વગેરે શિથિલાચારી કહેવાય છે. એ અવસ્થાઓમાં તે નિગ્રંથની કક્ષાથી બહાર ગણવામાં આવે છે.
૧. આ પાસત્થા આદિનો સ્વતંત્ર ગચ્છ પણ હોઈ શકે છે. ૨. કયાંક તે એકલા પણ હોઈ શકે છે. ૩. ઉધતવિહારી ગચ્છમાં રહેવા છતાં પણ કોઈ ભિક્ષુ વ્યક્તિગત દોષોને કારણે પાસત્થા આદિ હોઈ શકે છે. તથા ૪. પાસત્થા આદિના ગચ્છમાં પણ કોઈ શુદ્ધાચારી હોઈ શકે છે. તેનો યથાર્થ નિર્ણય તો આગમજ્ઞાતા, વિશિષ્ટ અનુભવી કે સર્વજ્ઞ સર્વદર્શી કરી શકે છે, કદાચિત્ પોતાનો આત્મા પણ નિર્ણય કરી શકે છે.
વંદન વ્યવહાર વિચારણા અવંદનીય વંદનીયનું સ્થળ જ્ઞાન – અવંદનીય કોણ હોય છે? જે સશક્ત અથવા સ્વસ્થ હોવા છતાં પણ વિના કારણ મૂલગુણ કે ઉત્તરગુણમાં પ્રમાદ કરે છે, અર્થાત્ સંયમમાં દોષ લગાડે છે, પાટ્વસ્થ આદિ સ્થાનોનું સેવન કરે છે તે અવંદનીય હોય છે, તેઓને વંદન કરવાથી લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે, અર્થાત્ જે પરિસ્થિતિવશ મૂલગુણ અથવા ઉત્તરગુણમાં દોષ લગાડે છે તે અવંદનીય નથી હોતા. વંદન કરવા કે નહિ કરવાના ઉત્સર્ગ, અપવાદની ચર્ચા સહિત વિસ્તૃત માહિતી ને માટે આવશ્યક નિર્યુક્તિ ગાથા ૧૧૦૫ થી ૧૨૦૦ સુધીનું અધ્યયન કરવું જોઈએ. –સંક્ષેપમાં અહીં આપીએ છીએ. ઉત્સર્ગથી વંદનીય અવંદનીય –ભિક્ષુ, માતા, પિતા, ગુરુ, રાજા, દેવતા આદિ કોઈપણ અસંયતિને વંદન ન કરે. બુદ્ધિમાન મુનિ સુસમાધિવંત, સંયત, પાંચ સમિતિ–ત્રણ ગુપ્તિથી યુક્ત તથા અસંયમથી દૂર રહેનારા શ્રમણોને વંદના કરે.