________________
14
આગમ-કથાઓ સમજાવવા છતાં યુવાનીના જોશમાં તે માન્યા નહિ અને યાત્રા કરવા નીકળી પડ્યા. સમુદ્રમાં ઘણે દૂર નીકળી ગયા પછી માતા-પિતાના વચનો સદશ થયા. આકાશમાં ભીષણ ગર્જના થઈ. આકાશમાં વિજળી તાંડવ નૃત્ય કરવા લાગી. પ્રલયકાળ જેવી ભયંકર આંધીએ રૌદ્રરૂપ ધારણ કર્યું. જિનપાલિત અને જિનરક્ષિતનું વહાણ તે આંધીમાં ફસાઈ ગયું. છિન્નભિન્ન થઈ ગયું. વ્યાપારને અર્થે જે માલ ભર્યો હતો તે સાગરના ગર્ભમાં સમાઈ ગયો. બન્ને ભાઈ નિરાધાર થઈ ગયા. તેમણે જીવવાની આશા છોડી દીધી. માતા-પિતાની વાતનો અસ્વીકાર કરવાથી ભારે પશ્ચાતાપ કરવા લાગ્યા. સંયોગાધીન વહાણનું પાટીયું હાથમાં આવ્યું. તેના સહારે તરતાં તરતાં સમુદ્રના કિનારે આવવા લાગ્યા. જે પ્રદેશમાં આવ્યા તે રત્નદ્વીપ હતો. આ દ્વીપના મધ્યભાગમાં રત્નાદેવી નિવાસ કરતી હતી. તેનો એક અત્યંત સુંદર મહેલ હતો; જેની ચારે દિશામાં ચાર વનખંડ હતા. રત્નાદેવીએ અવધિજ્ઞાન દ્વારા માર્કદીયપુત્રોને મુશ્કેલીમાં ફસાયેલા સમુદ્રકિનારે જોયા અને તુરત તેમની પાસે આવી પહોંચી. તે બોલી-જો તમે બંને જીવિત રહેવા ઇચ્છતા હો તો મારી સાથે ચાલો અને મારી સાથે વિપુલ ભોગ ભોગવતા આનંદપૂર્વક રહો. જો મારી વાત નહીં માનો, ભોગનો સ્વીકાર નહિ કરો તો આ તલવારથી મસ્તક કાપી ફેંકી દઈશ. માકન્દીય પુત્રોની પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. તેઓએ દેવીની વાતનો સ્વીકાર કર્યો. તેના પ્રાસાદમાં જઈ તેની ઇચ્છા તૃપ્ત કરવા લાગ્યા. ઇન્દ્રની આજ્ઞાથી, સુસ્થિત દેવે રત્નાદેવીને લવણસમુદ્રની સફાઈને માટે નિયુકત કર્યા હતા. સફાઈને માટે જતાં તેણે માર્કદીય પુત્રોને ત્રણ દિશામાં સ્થિત ત્રણ વનખંડમાં જવા એવં ક્રીડા કરવાની અનુજ્ઞા આપી. પરંતુ દક્ષિણ દિશાના વનખંડમાં જવાનો નિષેધ કર્યો. વળી કહ્યું કે ત્યાં એક અત્યંત ભયંકર સર્પ રહે છે, ત્યાં જશો તો મૃત્યુ પામશો. એક વખત બને ભાઈઓને દક્ષિણ દિશાના વનખંડમાં શું છે? દેવીએ શા માટે મનાઈ કરી છે? આવું જાણવાની કુતૂહલ બુદ્ધિ પેદા થઈ. તે દક્ષિણ વનખંડમાં ગયા. ત્યાં તેઓએ એક પુરુષને શૂળી ઉપર ચઢેલો જોયો. પૂછતાં ખ્યાલ આવ્યો કે માર્કદીયપુત્રોની જેમ દેવીના ચક્કરમાં ફસાઈ ગયો હતો અને કોઈ સામાન્ય અપરાધના કારણે દેવીએ શૂળીએ ચઢાવી દીધો. તેની કરુણ કહાની સાંભળી માકંદીયપુત્રનું હૃદય કંપી ઉઠયું. પોતાના ભવિષ્યની કલ્પનાથી તે શોકમગ્ન બની ગયા. મુકિત માટેનો ઉપાય પૂછયો. પૂર્વના વનખંડમાં અધ્વરૂપધારી શેલક નામનો યક્ષ રહેતો હતો. અષ્ટમી આદિ તિથિઓના દિવસે એક નિશ્ચિત સમયે બુલંદ અવાજે ઘોષણા કરતો હતો (કં તારિયામિ કં પાલયામિ) અર્થાત્ કોને તારું અને કોને પાળું? એક દિવસ બને ભાઈ ત્યાં જઈ પહોંચ્યા અને તેઓએ પોતાને તારવા અને પાળવાની પ્રાર્થના કરી. કૌદ્ધ થશે તેની પ્રાર્થનાનો સ્વીકાર તો કર્યો પણ શરતની સાથે કહ્યું – 'રત્નાદેવી અત્યંત પારિણી, ચંડા, રૌદ્રા, દ્રા અને સાહસિકા છે. જ્યારે હું તમને લઈ જાઉં ત્યારે અનેક ઉપદ્રવ કરશે, લલચાવશે, મીઠી મીઠી વાતો કરશે. તમે તેના પ્રલોભનમાં સપડાઈ જશો તો હું તત્ક્ષણે મારી પીઠ ઉપરથી તમને સમુદ્રમાં ફેંકી દઈશ. પ્રલોભનમાં ન ફસાતા, મનને દઢ રાખશો તો તમને હું ચંપાનગરી પહોંચાડી દઈશ.' શૈલક યક્ષે બન્નેને પીઠ ઉપર બેસાડી લવણ સમુદ્ર ઉપર ચાલવા માંડ્યું. રત્નાદેવી જ્યારે પાછી વળી અને બન્નેને ન જોતાં અવધિજ્ઞાનથી જાણી લીધું કે મારી ચૂંગાલમાંથી ભાગી છૂટયા છે. તીવ્ર ગતિએ તેનો પીછો કરી પકડી પાડ્યા. અનેક પ્રકારે વિલાપ કર્યો. પરંતુ જિનપાલિત શૈલક યક્ષની ચેતવણીને ધ્યાનમાં રાખી અવિચલ રહ્યો. મનને અંકુશમાં રાખ્યું પરંતુ જિનરક્ષિતનું મન ડગી ગયું. શૃંગાર અને કરૂણાજનક વાણી સાંભળી રત્નાદેવી પ્રત્યે અનુરાગ પ્રગટયો. પોતાની પ્રતિજ્ઞા અનુસાર યક્ષે તેને પીઠ ઉપરથી પછાડ્યો અને નિર્દયી રત્નાદેવીએ તલવાર ઉપર ઝીલી ટુકડે ટુકડા કર્યા. જિનપાલિત પોતાના મન ઉપર નિયંત્રણ રાખી દઢ રહો અને સશિલ ચંપા નગરીમાં પહોંચી ગયો. પારિવારિક જનોને મળી, માતા પિતાની કપા પ્રાપ્ત કરી; અને તેમની શિક્ષા ન માનવાને માટે પશ્ચાતાપ કરવા લાગ્યો. પ્રેરણા – શિક્ષા :- જે નિર્ગસ્થ અથવા નિર્ગુન્શી આચાર્ય, ઉપાધ્યાયની સમીપે પ્રવ્રજિત થયા પછી મનુષ્ય સંબંધી કામભોગોનો આશ્રય લે છે તે મનુષ્ય આ ભવમાં નિંદનીય બને છે. અનેક કષ્ટોને પ્રાપ્ત કરે છે અને અનંત સંસારમાં પરિભ્રમણ કરે છે તેની દશા | જિનરક્ષિત જેવી થાય છે. પાછળ જોનાર જિનરક્ષિત ડૂબી ગયો અને પાછું ન જોનાર જિનપાલિત નિર્વિઘ્નપણે સ્થાને પહોંચી ગયો. તેવી રીતે ચારિત્રવાન મુનિએ વિષયોમાં અનાસકત રહી ચારિત્રનું પાલન કરવું જોઈએ. જે નિર્ગસ્થ, નિર્ચથી મન અને ઇન્દ્રિયોનો નિગ્રહ કરી, અંતિમ શ્વાસ સુધી દઢતાપૂર્વક પોતાની પ્રતિજ્ઞામાં રત રહે છે તેનું સંયમ જીવન ધન્ય બની જાય છે; ભવભ્રમણના દુઃખોથી મુકત બની જાય છે. જેમકે જિનપાલે રત્નાદેવીની ઉપેક્ષા કરી તો સુરક્ષિત જીવનની સાથે ઘેર પહોંચી ગયા અને અંતે ભગવાન સમીપે સંયમ ગ્રહણ કરી, પ્રથમ ભવ દેવલોકનો પૂર્ણ કરી મહાવિદેહથી મોક્ષે જશે.આ
પ્રદ દષ્ટાંતને સ્મૃતિ પટલ ઉપર રાખી, ત્યાગેલા ભોગની આકાંક્ષા કે યાચના ન કરવી જોઈએ. પૂર્ણ વિરકત ભાવોથી સંયમ'તપમાં રમણ કરતાં વિચારવું જોઈએ.
અધ્યયન – ૧૦ ચંદ્રની કળા (દષ્ટાંત) પ્રસ્તુત અધ્યયનમાં કોઈ કથાનું વર્ણન કરવામાં નથી આવ્યું પણ ઉદાહરણ દ્વારા જીવોનો વિકાસ અને હૃાસ અથવા ઉત્થાન અને પતનનું વર્ણન કરવામાં આવ્યું છે. એક વખત ગૌતમ સ્વામીએ ભગવાનને પ્રશ્ન કર્યો – ભંતે! જીવ કયા કારણથી વૃદ્ધિ અને હાનિને પ્રાપ્ત કરે છે? ગૌતમાં જેવી રીતે કૃષ્ણપક્ષની પ્રતિપદાનો ચંદ્રમાં, પૂર્ણિમાના ચંદ્રની અપેક્ષાએ કાન્તિ, દીપ્તિ, પ્રભા અને મંડલની દષ્ટિથી હીન હોય છે. ત્યારબાદ બીજ, ત્રીજ આદિ તિથિઓમાં હીનતર થતો જાય છે. પક્ષાંતે અમાવાસ્યાના દિને પૂર્ણ રૂપે વિલીન–નષ્ટ થઈ જાય છે. તે જ પ્રકારે જે અણગાર આચાર્યાદિની સમીપે ગૃહત્યાગ કરી અણગાર બને છે. તે જો ક્ષમા, માર્દવ, આર્જવ, બ્રહ્મચર્ય આદિ મુનિધર્મથી હીન હોય છે તો ઉત્તરોત્તર હીનતર થતો જાય છે. અનુક્રમે પતનની તરફ આગળ વધતો જાય છે અને અંતે અમાવાસ્યાના ચંદ્રની સમાન પૂર્ણ રૂપે નષ્ટ થઈ જાય છે અર્થાત્ સંયમ રહિત બને છે. વિકાસ એટલે કે વૃદ્ધિનું કારણ તેનાથી વિપરીત છે. શુકલપક્ષની પ્રતિપદાનો ચંદ્ર અમાવાસ્યાના ચંદ્રમાની અપેક્ષાએ વર્ણ, કાન્તિ,