________________
jain
135
કથાસાર
ભગવાને શ્રમણોને મોકલીને સિંહ અણગારને પોતાની પાસે બોલાવ્યા અને સમજાવ્યું કે આવું આર્તધ્યાન કરવાનું યોગ્ય નથી. હું હજી ૧૫–૧/૨ (સાડા પંદર) વર્ષ વિચરણ કરીશ. તમે રેવતી શેઠાણીના ઘરે જાવ અને એણે મારા માટે જે કોલ્હાપાક બનાવ્યો છે તે લાવતા નહીં. પરંતુ પોતાના ઘોડાના ઉપચાર માટે પહેલાથી(કેટલાક દિવસ પહેલા) બિજોરાપાક બનાવ્યો હતો, જેમા થોડોક બચેલો પડ્યો છે, તે લઈ આવો.
રેવતીનું સુપાત્ર દાન અને રોગનિવારણ :– ભગવાનની આજ્ઞા થવા પર સિંહ અણગાર રેવતી શેઠાણી ના ઘરે ગયા. શેઠાણીએ આદર–સત્કારની સાથે આવવાનું કારણ પૂછ્યું(કેમ કે તે સમયે ભિક્ષાનો સમય ન હતો). સિંહ અણગારે પોતાનું પ્રયોજન કહ્યું કે ભગવાનના માટે જે કોલ્હાપાક બનાવ્યો છે, તે તો નહીં જોઈએ. પરંતુ બિજોરાપાક જોઈએ. રેવતીએ પોતાની ગુપ્ત વાત જાણવાનો હેતુ પૂછયો. સિંહ અણગારે ભગવાનના જ્ઞાનનો પરિચય આપ્યો. પછી એણે ભક્તિપૂર્વક બીજોરાપાક વહોરાવ્યો. ભાવોની દાનની અને પાત્રની આમ ત્રિકરણ શુદ્ધિથી એ રેવતી શેઠાણીએ દેવાયુનો બંધ કર્યો અને સંસાર પરિત્ત કર્યો. ત્યાં પણ પાંચ દિવ્ય પ્રકટ થયા. સિંહ અણગાર ભગવાનની સેવામાં પહોંચ્યા અને તે બિજોરા પાક ભગવાનના કરકમલમાં અર્પિત કર્યો. ભગવાને અમુર્છા ભાવથી એ આહારના પુદ્ગલોને શરીરરૂપી કોઠામાં નાખ્યા. એ આહારનું પરિણમન થવાથી ભગવાનનો રોગ તરત જ શાંત થયો. શરીર સ્વસ્થ થવા લાગ્યું. થોડા સમયમાં જ ભગવાન આરોગ્યવાન અને શરીરથી બળ સંપન્ન થઈ ગયા. ચતુર્વિધ સંઘમાં પ્રસન્નતાની લહેર ફેલાઈ ગઈ. ત્યાં સુધી કે અનેક દેવ-દેવી પણ ખુશ થયા કે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી સ્વસ્થ થઈ ગયા છે. પછી ભગવાન પૂર્વવત્ ધર્મોપદેશ દેતા ગ્રામાનુગ્રામ વિચરણ કરવા લાગ્યા.
-
ગોશાલકનો બીજો ભવ રાજાવિમલવાહન :– ગોશાલકનો જીવ દેવલોકનું આયુ સમાપ્ત થવા પર આ જ ભરતમાં વિંધ્યગિરિપર્વતની નજીક ફંડ દેશમાં શત દ્વારા નગરીમાં જન્મ લેશે. ગુણોથી અને રૂપથી સંપન્ન થશે. યોગ્ય સમયે એના માતા– પિતા એનો રાજ્યાભિષેક કરશે. તે મહાન બળવાન રાજા થશે. યશસ્વી થશે. બે દેવ એની સેવામાં રહેશે. એના ત્રણ નામ હશે. (૧) જન્મનામ– પદ્મ (૨) પૂર્ણભદ્ર અને મણિભદ્ર બે દેવ સેવક હોવાથી—દેવસેન (૩) ''વિમલ' નામના હસ્તિરત્નના ઉપભોગ કરનાર હોવાથી ''વિમલ વાહન' એનું ત્રીજું નામ હશે. આટલો પુણ્ય– શાળી હોવા છતાં પણ તે શ્રમણ—નિગ્રંથોંનો મહાન વિરોધી થશે. તેમની સાથે તે અનાર્યતા પૂર્ણ વ્યવહાર કરશે, જેમ કે હંસી કરશે. ભર્ત્યના કરશે, કષ્ટ દેશે, બાંધશે, મારશે, છેદન–ભેદન કરશે, ઉપદ્રવ કરશે, ઉપકરણ છીનવી લેશે, અપહરણ કરી લેશે, નગરથી અથવા દેશથી કાઢી મૂકશે. આ રીતે વિભિન્ન અભદ્ર વ્યવહાર સમય સમય પર કરતો રહેશે. આવું કરવા પર એકવાર નગરના પ્રતિષ્ઠિત લોક સામુહિક રુપથી નિવેદન કરશે કે હે રાજન્ ! આવું ન કરો કેમ કે આવું કરવું ક્યારેક આપના અને અમારા માટે જોખમકારક પીડાકારી બની શકે છે. આથી આપ આવા દુરાચરણ બંધ કરો, રાજા મન વગર મિથ્યાભાવથી એ નિવેદનને સ્વીકાર કરી લેશે.
સુમંગલ અણગાર ઃ- એકવાર સુમંગલ નામના અણગાર જે ત્રણ જ્ઞાન અને વિપુલ તેજોલબ્ધિના ધારક હશે તે ત્યાં પધારશે અને બગીચાની પાસે આતાપના− ભૂમિમાં આતાપના લેશે. તે વિમલનાથ તીર્થંકરના પ્રપૌત્ર શિષ્ય હશે. વિમલવાહન રાજા રથ ચંક્રમણ હેતુ એ બગીચાની પાસેથી નિકળશે. મુનિને આતાપના લેતા જોઈને સ્વભાવિક જ ક્રોધથી પ્રજવલિત થશે. રથના આગળના ભાગથી ટક્કર લગાવીને ધ્યાનમાં ઉભેલા મુનિને નીચે પાડી દેશે. મુનિ ઉઠીને અવધિજ્ઞાનમાં ઉપયોગ લગાવીને જોશે અને એનો ભૂતકાળ જાણી—જોઈ અને કહેશે કે તું શ્રમણોની ઘાત કરવાવાળો મંખલી પુત્ર ગોશાલક હતો. એ સમયે એ અણગારો અને શ્રમણ ભગવાન મહાવીર સ્વામી સમર્થ હોવા છતાં પણ તારા અન્યાયને સહન કર્યો, કાંઈ પણ પ્રતિકાર ન કર્યો, પણ હું સહન કરનાર નથી. તને એક ક્ષણમાં જ સારથી ઘોડા સહિત ભસ્મ કરી દઈશ.
આવું કહેવા પર તે વિમલ વાહન રાજા ત્રીજીવાર રથની ટક્કર લગાવીને ફરી સુમંગલ અણગારને પાડી દેશે. ત્યારે તે અણગાર તૈજસ સમુદ્દાત દ્વારા એ રાજાને ભસ્મ કરી દેશે. ત્યાર પછી તે મુનિ વર્ષો સુધી સંયમ પાલન કરી આલોચના પ્રતિક્રમણ શુદ્ધિની સાથે એક મહીનાના સંથારાથી સર્વાર્થ સિદ્ધ વિમાનમાં દેવ રૂપમાં ઉત્પન્ન થશે. ત્યાંથી મહાવિદેહમાં જન્મ લઈને મોક્ષ જાશે.
ગોશાલકના નરકાદિ ભવ ભ્રમણ :- વિમલવાહન રાજા (ગોશાલકનો જીવ) તેજો લેશ્યાના પ્રહારથી મરીને સાતમી નરકમાં ઉત્પન્ન થશે. અને પશ્ચાનુપૂર્વી ક્રમથી એક—એક નરકમાં બે—બે ભવ કરશે, અંતમાં પહેલી નરકથી નીકળીને તિર્યંચ પંચેન્દ્રિયની વિવિધ યોનિયોમાં જન્મ મરણ કરશે. પછી ક્રમશઃ ચૌરેન્દ્રિય, તેઈન્દ્રિય, બેઈન્દ્રિયની યોનિમાં ભવ ભ્રમણ કરીને એકેન્દ્રિયોમાં ભવ ભ્રમણ કરશે. વિમલ વાહનના ભવ પછી ક્યાંક શસ્ત્રથી, ક્યાંક દાહથી પીડિત થઈ મરતો રહેશે. એકેન્દ્રિયથી નિકળીને વેશ્યાઓનો ભવ કરશે. પછી બ્રાહ્મણ પુત્ર થઈને દાવાગ્નિની જ્વાલામાં મરશે. અગ્નિકુમાર દેવરૂપમાં ઉત્પન્ન થશે. ત્યાંથી નિકળીને મનુષ્યનો ભવ કરશે. જેમાં સંયમ ધારણ કરશે. અનેક ભવો (૧૦ ભવો) સુધી દ્રવ્ય સંયમ ક્રિયાની વિરાધના કરશે. ભાવથી સંયમને સ્પર્શ પણ નહીં કરે અને ક્રમશઃ નવ અસુર કુમાર(અગ્નિકુમાર ને છોડીને) ના અને એક જ્યોતિષીનો ભવ કરશે. એના પછી સાત ભવમાં સંયમની આરાધના કરશે. અને ક્રમશઃ પહેલા, ત્રીજા, પાંચમા, સાતમા, નવમા, અગ્યારમા દેવલોક અને સર્વાર્થ સિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થશે. પછી મહાવિદેહક્ષેત્રમાં આઠમી વાર સંયમની આરાધના કરી કેવલજ્ઞાન કેવલ દર્શન પ્રાપ્ત કરશે.
=
ગોશાલકની મુક્તિ કેવલજ્ઞાનથી પોતાના ભવોને જાણશે અને પોતાના શિષ્યોને સંબોધન કરીને કહેશે કે હું પૂર્વભવમાં એવો શ્રમણઘાતક ગુરુદ્રોહી હતો જેના ફળ સ્વરૂપે આવા વિવિધ જન્મ-મરણ રૂપ સંસાર ભ્રમણના ફળને પ્રાપ્ત કર્યું છે. આ વૃતાંત સાંભળીને તે શ્રમણ ભયભીત થશે અને પોતાની આલોચના શુદ્ધિની સાથે સાવધાની પૂર્વક સંયમ ની આરાધના કરવા લાગશે. ગોશાલકનો જીવ કેવલી પર્યાયમાં વિચરણ કરીને અંતમાં આયુ સમાપ્તિ વેળા જાણીને ભક્ત પ્રત્યાખ્યાન પંડિત મરણ સ્વીકારશે બાકી કર્મોનો ક્ષય કરી સિદ્ધ બુદ્ધ મુક્ત થશે. શિક્ષા અને જ્ઞાતવ્ય ઃ