SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ આગમ-કથાઓ 134 પ્રચંડ ગુસ્સો કરીને પણ શ્રમણોને જરાપણ બાધા, પીડા પહોંચાડવા માટે સમર્થ ન થઈ શક્યો. એવું જોઈને કેટલાય આજીવિક સ્થવિર શ્રમણ ગોશાલકને છોડીને ભગવાનની સેવામાં વંદન નમસ્કાર કરીને ત્યાં રહી ગયા. ગોશાલકની દુર્દશા:- ગોશાલક જે પ્રયોજનથી આવ્યો હતો તે સિદ્ધ ન થઈ શક્યું. તે હારી ગયો, શરમિંદો થઈને નિશ્વાસ નાખીને પસ્તાવા લાગ્યો કે હા હા ! અહો હું માર્યો ગયો. આ પ્રકારે “જેવી કરણી તેવી ભરણીની ઉક્તિ પ્રમાણે તે શારીરિક માનસિક પ્રચંડ વેદનાથી સ્વતઃ દુઃખી થયો અને કોષ્ટક ઉદ્યાનથી નીકળીને અવશેષ સંઘની સાથે પોતાના આવાસ સ્થાનમાં પહોંચ્યો. એટલું થયા પછી પણ એણે મિથ્યામતિનો ત્યાગ ન કર્યો, કેટલા ય ઢોંગ અને અસત્ય કલ્પનાઓ, પ્રરુપણાનો ત્યાગ ન કર્યો. પરંતુ તે ઢોંગ અને પ્રવૃતિઓના દોષો ને ઢાંકવાનો પ્રયત્ન કર્યો. તે દિવસભર (૧) કેરી ચૂસતો, દારૂ પીતો (૨) વારંવાર ગાતો, (૩) વારંવાર નાચતો (૪) વારંવાર હાલાહલી કુંભારણને પ્રણામ કરતો હતો. દાહ શાંતિ માટે માટી મિશ્રિત શીતળ જળથી નિરંતર શરીરનું સિંચન કરતો હતો. પોતાની આ દુર્દશાને પણ ગુણના રૂપમાં બતાવીને તે પ્રરુપણા કરતો કે આ બધું ચરમ કૃત્ય છે. આવા કુલ આઠ ચરમ કહેવાય છે. જેમાં એણે ચાર પોતાના ઉપરના કૃત્ય જોડી દીધા અને અન્ય વાતો જોડીને તુક્કો લગાવી દીધો. પોતાના પાપને ઢાંકવાના પ્રયત્નમાં બુદ્ધિના દુરુપયોગથી કેટલી બે ડીની વાતો એણે બનાવી. આઠ ચરમ, ૪ પાનક, ૪ અપાનક વગેરે. આઠમા ચરમમાં અને ચોથા અપાનકમાં પોતે તીર્થકર રૂપમાં મોક્ષમાં જશે એમ બતાવ્યું. અયંપુલ - "અયંપુલ" નામનો આજીવિકોપાસક ગોશાલકને સર્વજ્ઞ, સર્વદર્શ માનતો હતો. કાંઈ જિજ્ઞાસા લઈને તે ગોશાલકની સેવામાં દર્શન વંદન કરવા માટે આવ્યો. દૂરથી જ ગોશાલકની પ્રવૃતિઓ(હાથમાં કેરી નાચ, ગાન, વારંવાર હાથ જોડવા વગેરે) અને એની દુર્દશાને જોઈને લજ્જિત થયો, ઉદાસ થયો. અર્થાત્ અશ્રદ્ધાભાવ ઉત્પન્ન થવા લાગ્યો અને તે આગળ ન વધી શક્યો. વંદન નમસ્કારની વાત જ ન રહી. પાછળ ખસવા લાગ્યો. અચંપુલે સ્થવીરોની પાસે જઈને વેદના કરી. સ્થવીરોએ એના મનની જાણી લીધી અને પ્રકટ કરતાં કહ્યું કે તને આવો વિચાર ઉત્પન્ન થયો અને એટલા માટે તું આવ્યો છે. અત્યંપુલ ખુશ થયો અને સહર્ષ સ્વીકાર કર્યો. પછી સ્થવિરોએ આઠ ચરમ, ચાર પાનક, અપાનક વિગેરે વાત કરતા બતાવ્યું કે આવું કરતાં તમારા ધર્માચાર્ય હવે મોક્ષ જાશે. તું એની પાસે જા, તે તારા પ્રશ્નના સમાધાન સ્વતઃ જ કરી દેશે. આ રીતે સ્થવિરોએ ફરીથી એને સ્થિર કર્યો. અયંપુલ ગોશાલકની પાસે ગયો. સ્થવિરોએ સંકેત કરીને કેરી એના હાથથી છોડાવી લીધી. ગોશાલકે પણ અચંપુલ ઉપાસકને એના મનોગત પ્રશ્નને બતાવીને સમાધાન કર્યું, સાથે જ ખોટું બોલીને ખુલાસો કર્યો કે મારા હાથમાં આમ્રફળ ન હતું માત્ર છાલ જ હતી. આ પ્રકારે અચંપુલની શ્રદ્ધાને પોતાના પ્રતિ સુરક્ષિત કરી. વંદના નમસ્કાર કરીને અયંપુલ ચાલ્યો ગયો. મરણ મહોત્સવ નિર્દેશ – પોતાનું મૃત્યુ નજીક જાણીને મિથ્યાભિનિવેષમાં લીન એ ગોશાલકે પોતાના સંઘના સ્થવિર શ્રમણોને કહ્યું કે મારા આદર-સત્કાર આડંબર સહિત નિર્વાણ મહોત્સવ કરજો. નગરમાં ઉદ્ઘોષણા કરજો કે ચરમ તીર્થકર સિદ્ધ થયા છે. ગોશાલકને સમ્યકત્વ પ્રાપ્તિ – સાતમી રાત્રિના શુભ અધ્યવસાય સંયોગોથી એને સમ્યકત્વની પ્રાપ્તિ થઈ. જેનાથી એનું ચિંતન સીધું ચાલવા લાગ્યું કે હું વાસ્તવમાં ગોશાલક જ છું. શ્રમણોનો ઘાતક છું, ગુરુદ્રોહી છું, તીર્થકર ભગવાનની આશાતના કરવાવાળો છું કે ખોટા વાક્ઝાલો, તર્કો, દલીલો, કલ્પનાઓથી પોતાને અને બીજાને ભ્રમિત કરવાવાળો છું. હવે સ્વયંની તેજો વેશ્યાથી તપ્ત થઈ ને દાહ જવરથી સાતમી રાત્રિમાં આજ છદ્મસ્થ અવસ્થામાં જ મરી જઈશ. વાસ્તવમાં શ્રમણ ભગવાન–મહાવીર સ્વામી જ અંતિમ તીર્થકર છે. મેં તો માત્ર ઢોંગ જ કર્યો અને ખોટો પ્રપંચ કર્યો છે. ગોશાલકની સમ્યક્તથી દેવગતિ - આ પ્રકારના વિચાર આવવા પર એણે ફરીથી સ્થવિરોને પોતાની પાસે બોલાવ્યા અને સત્યને પ્રગટ કરતાં એણે પ્રતિજ્ઞા લેવડાવીને આદેશ આપ્યો કે તમે મારા ડાબા પગમાં મુજની રસ્સી બાંધી મોઢા પર ત્રણવાર યૂકીને ઘસેડતા શ્રાવસ્તી નગરીના વિવિધ સ્થાનો, માર્ગોમાં ઘોષણા કરજો કે આ ગોશાલક જ હતો, તીર્થકર ન હતો. એણે જુદો પ્રપંચ કર્યો હતો. વાસ્તવમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી જ અંતિમ તીર્થકર છે. આ પ્રકારે મહાન અસત્કાર પૂર્વક મારા શરીરનું નિષ્કાસન કરજો. એવું કહીને તે કાળધર્મ પામ્યો. શુભ પરિણામોમાં મરીને તે પણ ૧૨માં દેવલોકમાં ઉત્પન્ન થયો. દંભ પૂર્વક પ્રતિજ્ઞા પાલન – પ્રતિજ્ઞાનું પાલન કરવા માટે અને પ્રતિષ્ઠા પણ કાયમ રહે એટલા માટે ગોશાલકના વિરોએ કુંભાર શાળામાં જ શ્રાવતી નગરી ચિત્રિત કરી અને તેના ચૌટા(ચાર રસ્તા ભેગા થતા હોય) વગેરે સ્થાનોમાં મંદમંદ અવાજથી ઘોષણા કરી દીધી. આ બધું કૃત્ય દરવાજા બંધ રાખી અને કર્યું. ત્યાર બાદ દરવાજો ખોલીને મહાન ઋદ્ધિ સત્કાર સન્માનની સાથે નિર્વાણ મહોત્સવ કર્યો. ભગવાન ને રોગાંતક:- શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ યથા સમય ત્યાંથી વિહાર કર્યો, વિચરણ કરતાં "મેંઢિક ગ્રામ" નામના નગરમાં પધાર્યા. પૂર્વ ઘટના ને છ મહીના પૂરા થવાની તૈયારી હતી. ભગવાનના શરીરમાં મહાન પીડાકારી દાહકારક પિત્તજ્વર ઉત્પન્ન થયો. અર્થાત્ ભગવાનનું શરીર મહાન રોગાતક થી આક્રાંત થઈ ગયું. એ રોગના કારણે લોહી-પરુનાં ઝાડા પણ થવા લાગ્યા. આ સ્થિતિને જોઈને લોકોમાં ચર્ચા થવા લાગી કે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી ગોશાલકના તપ-તેજથી આક્રાંત થઈને દાહપિત જવર થી હવે છઘસ્થ જ કાળ કરી જશે. સિંહ અણગારનું રુદન :- બગીચામાં એક તરફ ભગવાનના અંતેવાસી. ભદ્ર, વિનીત. સિંહ નામના અણગાર આત્મ ધ્યાન સાધના કરી રહ્યા હતા અને આતાપના લઈ રહ્યા હતા. એમના કાનોમાં લોક અપવાદના ઉપરોક્ત શબ્દ પડ્યા. સિંહ અણગારને સંકલ્પ-વિકલ્પ થવા લાગ્યા કે ભગવાનના શરીરમાં પ્રચંડ વેદના ઉત્પન્ન થઈ છે અને તે છઘસ્થ જ કાળ કરી જશે વગેરે. આવી માનસિક મહાન વ્યથાથી તે પીડિત થયા, આતાપના ભૂમીથી બહાર આવ્યા અને એક તરફ જઈને પોતાના દુઃખના અતિરેકમાં અત્યંત રુદન કરવા લાગ્યા.
SR No.009130
Book TitleKathasar
Original Sutra AuthorN/A
AuthorJain Yuth Foram
PublisherJain Yuth Foram
Publication Year2013
Total Pages305
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy