________________
આગમ-કથાઓ
132 છે. આની અમુક ફળીમાં તે જ સાત ફૂલના જીવ મરીને તલના રૂપમાં ઉત્પન્ન થયા છે. ગોશાલકે ફળી તોડીને તલ ગણીને જોયા. ભગવાનનું કથન સત્ય હતું. ગોશાલક અત્યંત શરમિંદો થયો અને ત્યાંથી ભગવાનને છોડીને ચાલ્યો ગયો. તેજોલબ્ધિ સાધના અને પ્રભાવ :- એણે સર્વપ્રથમ છ મહિનામાં તેજો– લેશ્યાની સાધના કરી. પછી એની પાસે ભગવાન પાર્શ્વનાથની પરંપરાના છ દિશાચર શ્રમણ આવીને મળી ગયા. જેને કાંઈક પૂર્વનું જ્ઞાન પણ અવશેષ હતું. એમણે પૂર્વોમાંથી અષ્ટાંગ નિમિત્ત જ્ઞાન વગેરેનું નિર્મુહણ કર્યું, ગોશાલકનું શિષ્યત્વ સ્વીકાર કરી લીધું. હવે ગોશાલક પોતાને ૨૪માં તીર્થકર કહેતો વિચરણ કરવા લાગ્યો. પોતાનો ભક્ત સમુદાય, શ્રમણ સમુદાય વગેરે પણ તેણે વિસ્તૃત કરી લીધો. નિમિત્ત જ્ઞાન વગેરેનું બળ તેની પાસે હતું. એનાથી તે લોકોને પ્રભાવિત કરવા લાગ્યો. કેટલાક પાર્શ્વનાથ ભગવાનના શ્રમણ પણ તેના ચક્કરમાં આવી ગયા અને એને જ ૨૪માં તીર્થકર સમજીને શિષ્યત્વ સ્વીકારવા લાગ્યા. શ્રાવસ્તિ નગરીમાં ગોશાલક અને ભગવાન - ભગવાન મહાવીર સ્વામી પણ છાસ્થ કાલ પૂર્ણ કરી, કેવલજ્ઞાન, કેવલદર્શન ઉત્પન્ન થવાથી ધર્મોપદેશ દેવા લાગ્યા અને ગૌતમ આદિ હજારો શિષ્યો સહિત વિચરણ કરતાં-કરતાં એકવાર શ્રાવસ્તિ નગરીમાં પધાર્યા અને કોષ્ટક નામના ઉદ્યાનમાં સમોસર્યા.
ગોશાલક પણ વિચરણ કરતાં ભગવાનથી પહેલાં જ શ્રાવસ્તીનગરીમાં આવી ગયો હતો. ત્યાં હાલાહલા નામની કુંભારણ રહેતી હતી. જે ઋદ્ધિ સંપન્ન હતી. તે ગોશાલકની અનન્ય શ્રદ્ધાવાન ઉપાસિકા હતી. ત્યાં ગોશાલક પોતાના આજીવિક સંઘની સાથે એની દુકાનમાં રહ્યો અને પોતાને ૨૪માં તીર્થકર કહેતા પ્રચાર કરવા લાગ્યો. સભામાં ગોશાલકનો જીવન પરિચય :- શ્રાવતિ નગરીમાં ગોશાલકના કથનની ચર્ચા ફેલાવા લાગી. ગૌતમ સ્વામી ભગવાનની આજ્ઞા લઈને પારણાને માટે નગરીમાં ગયા. એમણે પણ આ ચર્ચા સાંભળી. બગીચામાં આવીને ભગવાનને નિવેદન કર્યું અને જિજ્ઞાસા પ્રગટ કરી કે ભગવાન આ ગોશાલક કોણ છે અને એનું જીવન વૃત્તાંત શું છે? ત્યાં નાગરિક જનની પરિષદ પણ બેઠી હતી. ભગવાને ગૌતમ સ્વામીનું સમાધાન કરતાં ગોશાલકના જન્મથી લઈને ત્યાં શ્રાવસ્તીમાં પહોંચવા સુધીનો સારો જીવન વૃતાંત સંભળાવી દીધો. ગોશાલકની સંપૂર્ણ વાર્તા સાંભળીને પરિષદ વિસર્જિત થઈ. નગરમાં વાતો ચાલવા લાગી. ગોશાલક સુધી પણ વાત પહોંચતા વાર ન લાગી. એને પોતાની વાર્તા પ્રકટ થવાથી ગુસ્સો આવવો સ્વાભાવિક છે. તે આતાપના ભૂમિથી ઉતરીને પોતાના સ્થાન પર આવીને બેસી ગયો. ગોશાલક અને આનંદ શ્રમણ :- ભગવાનની આજ્ઞા લઈને આનંદ નામના સ્થવિર શ્રમણ છઠના પારણે નગરીમાં ગોચરીને માટે ગયો. ભ્રમણ કરતાં તે ગોશાલકના સ્થાનની નજીકથી જઈ રહ્યા હતા. ગોશાલકે આનંદ શ્રમણને પોતાની પાસે બોલાવ્યો અને કહ્યું કે આનંદ! તું મારી પાસેથી એક દષ્ટાંત સાંભળ ગોશાલકે પોતાનું કથન શરૂ કર્યું. વ્યાપારીનું દષ્ટાંત – કોઈ એક સમયે કેટલાક વ્યાપારી ધન કમાવા માટે યાત્રા કરવા નીકળ્યા. માર્ગમાં ભયંકર જંગલ આવ્યું આજુ-બાજુ કોઈ ગામ ન હતું. એમની પાસેનું પાણી પૂરું થઈ ગયું. પાણીની શોધ કરતાં-કરતાં એમણે એક વલ્મીક(બાંબી) જોઈ. જેના ચાર સુંદર શીખર હતા. પરસ્પર વિચાર કરી ને તે ત્યાં રોકાયા અને એક શીખરને પાણીની આશાથી તોડ્યું, ઈચ્છાનુસાર તેમને સુંદર મધુર પાણી પ્રાપ્ત થયું. બધાએ તરસ છીપાવી અને પોતાની પાસેના જળ કુંભોમાં છલોછલ પાણી ભરી લીધું. પરસ્પર વિચાર વાર્તા થઈ અને બીજું શીખર સોનાની ઈચ્છાથી તોડ્યું. એમાં પણ એમને ઈચ્છિત પ્રચર સોનું પ્રાપ્ત થયું. પોતાની પાસે રહેલા ગાડાઓમાં ઈચ્છા પ્રમાણે સોનું ભરી લીધું. પછી રત્નોની આશાથી ત્રીજું શીખર તોડ્યું. એમાં પણ એમને સફળતા મળી. ઈચ્છિત રત્નોની રાશિ પણ પોત-પોતાના ગાડામાં ભરી લીધી. લોભ સંજ્ઞા અનેક ગણી વધી, ચોથું શિખર તોડવાની વિચારણા ચાલી. ત્યારે એક અનુભવી હિતપ્રેક્ષી વ્યાપારીએ નિષેધ કર્યો કે આપણને ઈચ્છિત સામગ્રી મળી ચૂકી છે અને હવે ચોથા શિખરને ન તોડવું જોઈએ. સંભવ છે કે આને તોડવાથી કોઈ આપત્તિનું કારણ બની શકે. એ અનુભવી વ્યક્તિએ આગ્રહ કર્યો પરંતુ બહુમતીની આગળ એનું કાંઈ ન ચાલ્યું. ચોથું શિખર તોડ્યું. એમાંથી દષ્ટિ વિષ સર્પ નીકળ્યો. વલ્મીકની ઉપર ચડીને સૂર્યની તરફ જોયું અને પછી વ્યાપારી વર્ગ તરફ અનિમેષ દષ્ટિથી જોયું અને તેઓને તેમના બધા ઉપકરણ સાથે સળગાવીને ભસ્મ કરી દીધા. જેણે ચોથું શિખર તોડવાની મનાઈ કરી હતી એના પર અનુકંપા કરીને એ નાગરાજ દેવે એનો સામાન, સંપત્તિ સહિત એને એના નગરમાં પહોંચાડી દીધો. ગોશાલક દ્વારા ધમકી - હે આનંદ! આ રીતે તારા ધર્માચાર્યે બહુ જ ખ્યાતિ, આદર સન્માન પ્રાપ્ત કરી લીધા છે. હવે જો મારા વિષયમાં કાંઈપણ કહેશે તો એ સર્પરાજની સમાન હું પણ મારા તપ તેજથી બધાને સળગાવીને ભસ્મ કરી દઈશ અને હે આનંદ! જો તે મારો સંદેશ પહોંચાડીને મનાઈ કરી દઈશ તો હું પણ એ હિત સલાહ દેનારા વણિકની સમાન તારા ધર્માચાર્યને મારી આ વાત કરી દેજે.
આનંદ શ્રમણે આવીને બધી વાર્તા ભગવાનની સમક્ષ કરી અને પૂછ્યું કે હે ભગવન્! શું ગોશાલકની પાસે એટલી શક્તિ છે. ભગવાને ઉત્તરમાં સ્પષ્ટીકરણ કર્યું કે ગોશાલક એવું કરવામાં સમર્થ છે. પરંતુ તીર્થકર ભગવંતો પર એની શક્તિ ચાલી શકતી નથી. કેવલ પરિતાપ પહોંચાડી શકે છે. હે આનંદ ! ગોશાલકથી અનંત ગણી શક્તિ શ્રમણ નિગ્રંથો અને સ્થવિરોની પાસે છે. પરંતુ તે ક્ષમા-શ્રમણ હોય છે. તેઓ આવું આચરણ નથી કરતા. એનાથી પણ અનંત ગણી શક્તિ તીર્થકરોની પાસે હોય છે. પરંતુ તે ૫ ક્ષમાધારી હોય છે. આવું હિંસક આચરણ તે કરતા નથી. આથી હે આનંદ ! તું ગૌતમ આદિ બધા શ્રમણોને સૂચના આપી દે કે કોઈપણ નિગ્રંથ ગોશાલકથી જરાપણ ધાર્મિક ચર્ચા ન કરે. કેમ કે તે હમણાં વિરોધ ભાવમાં ચઢેલો છે. ગોશાલકનું ભગવાનની સામે વક્તવ્ય :- આનંદ શ્રમણે અન્ય શ્રમણોને સૂચના અને સંપૂર્ણ માહિતી આપી દીધી. ગોશાલકથી ન રહેવાયું, એનો ક્રોધ ઉગ્ર થતો ગયો અને તે પોતાના સંઘની સાથે અત્યંત ગુસ્સે થતો ત્યાં પહોંચી ગયો. ભગવાનની સામે ઉભો રહી ભગવાનને કહેવા લાગ્યો કે આયુષ્યમ– કાશ્યપ ! મારા માટે તમે સારી વાતો કરો છો. અરે વાહ! ઠીક વાતો કરો છો કે આ મારા