SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ આગમચાર– ઉતરાર્ધ 318 નમસ્કાર કરીને કહ્યું છે કે હું અને આચાર જણાવું છું. બીજી ગાથાથી માંડીને ૭મી માથા સુધીની 6 ગાથાઓમાં મુનિઓને ગ૭માં રહેતાં શા આ લાભ થાય છે? તે બીના અને પ્રસંગે બીજી પણ બીના સ્પષ્ટ જણાવી છે. પછી ઉત્તમ આચાઈના ને અધમ આચાર્યના લક્ષણ વગેરે ૮મી ગાથાથી ૪૦મી ગાથા સુધીની 33 ગાથાઓમાં જણાવ્યા છે અને તે પછીની ૬મી ગાથાઓમાં સાધુ મુનિરાજના આચારાદિનું વર્ણન કર્યું છે, તે પછીની ર૮ ગાથાઓમાં સાધ્વીઓના આચારાદિનું વર્ણન કર્યું છે. આ રીતે આને દુક સાર જાણો, હવે આ ગચ્છાચાર પન્નાને પરિચય ટૂંકામાં આ પ્રમાણે જાણવો-અહીં* શરૂઆતમાં મંગલ, અને અભિધેય (ગ્રંથમાં કહેવાની બીના ) વગેરે કહીને જણાવ્યું છે કે મુનિવર છમાં રહીને ગચ્છનાયકની આજ્ઞા પ્રમાણે વર્તવું જોઈએ ને ગછની મર્યાદાને જરૂર પાવાવી જોઈએ, જેઓ ગચ્છની મર્યાદા તરફ બેદરકારી રાખી સ્વચ્છેદભાવે વતે છે, તેઓ વધારે કાલ સંસારમાં ભટકે છે. તથા આત્માથી સાધુઓના સમુદાય રૂપ ગચ્છમાં સાધુઓએ રહેવું. તેમજ તે ગકમાં આચાર્યને ખરે આધાર હોય છે, તેથી તેની પરીક્ષા કરવાનો વિધિ, અને ઉમાગે (અવળે માગે; વિપરીત માગે) રહેલા સૂરિનું લક્ષણ વગેરે બીના વિસ્તારથી સમજાવીને કહ્યું કે જે આચાર્ય આજ્ઞા વિનયાદિ સદગુણી રછને માટે ઉપકરણાદિ સાધનાને સંગ્રહ કરે વગેરે કાર્યો કરે નહિ ને ગછના સાધુઓને ઇછા, બિછા તહફકાર, છંદના, નિમંત્રણ વગેરે દર્શાવધ ચક્રવાલ સામાચારી શીખવે નહિ, તથા મુનિમાર્ગ ( સાધુના આચાર ને સમજાવે નહિ, તે આચાર્ય તે ગુણી ગછના શત્રુ જેવા જાણવા. તથા જે શિષ્ય શ્રીઆચાર્ય ભગવંત વગેરે ગીતાર્થ વડીલ મહાપુરુષોની આજ્ઞા પ્રમાણે વર્તે નહિ અને આચાર્યને બદલે પિતે ગરછમાં સારસા વારણા ચાયણી પડિચાયણ કરે, તથા પરોપકારી શ્રી ગુરુ મહારાજની ખબર લે નહિ તે શિષ્ય શત્રુ જેવા જાણો, આ વાત સ્પષ્ટ જણાવીને કહ્યું કે આત્માથી વિનયાદ સદ્ગુણી શિા કદ ઉન્માર્ગે ગયેલા ગુરુને પણ સન્માર્ગે ચાલતા કરે છે. આ પ્રસંગે વિનીત શિષ્ય કઈ વિધિએ કેવાં નમ્ર વચનાદિ સાધનાધી પૂજ્ય શ્રીગુરુ મહારાજને સન્માને લાવવા, તે વિધિ વગેરેનું વર્ણન વિસ્તારથી કર્યું છે. પછી અનુક્રમે નિર્મલ સંયમધારી સાધુનું સ્વરૂપ અને સન્માર્ગે રહેલા સૂરિનું તથા ઉન્માર્ગગામી સૂરિનું લક્ષણ, તેમજ શુદ્ધ ધર્મોપદેશકનું સંવિગ્નપણું અને સંવિપક્ષનું લક્ષણ વગેરે બીના જણાવીને પછી કહ્યું કે ગ૭માં પૂછા, પ્રતાપૃચ્છા વગેરે જરૂર થવાં જ જોઈએ. જે તેમ ન થાય તે ગચ્છ સ્વચ્છંદી બની જાય. તથા શ્રી તીર્થંકર દેવે ફરમાવ્યું છે કે શિની ભૂલ જણાય તો ગુરુએ તેમને સમજાવીને સુધારવા, જો તેમ ન કરે તો ગુર મહારાજ જિનાજ્ઞાની વિરાધના કરનાર કહેવાય. આ બધી બીના વિસ્તારથી કહીને અનકમે ગચ્છનું ને કુગચ્છનું લક્ષણ; ગીતાર્થનો મહિમા અને અગીતાર્થની નિંદા,
SR No.009127
Book TitleAgamsara Uttararddha
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni, Lilambai Mahasati, Others
PublisherTilokmuni
Publication Year2013
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy