________________
jainology |
41
આગમસાર
અહીં આવીને ડગમગી જાય છે. પરંતુ ધન્ય છે એ નવદીક્ષિત મુનિને, કૃષ્ણ વાસુદેવના ભાઈ હોવાં છતાં પણ એક દિવસની દીક્ષામાં જ એવો આદર્શ દાખલો ઉપસ્થિત ર્યો કે જેમાંથી પ્રેરણા લઈને કેટલાય મુમુક્ષુ પ્રાણીઓ પોતાના આત્મોત્થાનમાં અગ્રેસર થવાની મહાન ઉપલબ્ધિ પ્રાપ્ત કરી શકે છે.
(૨) શૂરવીર પુરુષો સિંહ વૃત્તિથી ચાલે છે. સિંહની જેમ જ વીરતા પૂર્વક સંયમ ગ્રહણ કરે છે, પ્રતિજ્ઞા ગ્રહણ કરે છે, અને સંકટ સમયે પણ સિંહની જેમ જ તેના પર વિજય મેળવે છે.
(૩) સિંહવૃત્તિ અને શ્વાનવૃત્તિ વિશે એમ કહેવામા આવે છે કે સિંહ બંદૂકની ગોળી ઉપર તરાપ નથી મારતો પરંતુ તેના અવાજ પરથી મૂળ સ્થાનને ઓળખી લે છે અને તેને જ પોતાનું લક્ષ્ય બનાવે છે પરંતુ કુતરાને કોઈ લાકડી મારે તો તે લાકડીને જ પકડવાની કોશિષ કરે છે. આજ રીતે આપણે દુ:ખનું મૂળ કારણ એવાં પોતાના કર્મોનો જ વિચાર કરવો જોઇએ અને સમભાવમાં સ્થિર રહેવું જોઇએ. આ જ સિંહવૃત્તિ છે. તેનાથી વિપરીત દુઃખના ક્ષણિક નિમિત્તરૂપે રહેલાં કોઈપણ પ્રાણી પર રોષ કરવો અથવા બદલો લેવો, તે શ્ર્વાનવૃતિ છે. પ્રત્યેક મુમુક્ષુ આત્માઓએ ગજસુકુમારના જીવનમાંથી સિંહવૃત્તિનો આદર્શ શીખવો જોઇએ.'' દેહું પાતયામિ વા કાર્ય સાધયામિ '' નો દઢ સંકલ્પ હોવો જોઇએ; ત્યારે જ મુક્તિ પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ એવો સંકલ્પ ન હોવો જોઇએ કે ખાતા પીતા મોક્ષ મળે, તો મને પણ કહિજો । માથા સાટે મોક્ષ મળે, તો દૂર હી રહિજો II
(૪) ભૌતિક ઇચ્છાઓનો ત્યાગ અને જીવનનો ભોગ આપ્યા વિના સહજ પણે જ મુક્તિ મળી જવી સંભવ નથી. તેથી મોક્ષની પ્રાપ્તિ માટે આપણે ગજસુકુમાર મુનિના આદર્શને સામે રાખીને આપણું જીવન જીવીએ તથા આવી વીરતાના સંસ્કારોથી આત્માને બળવાન બનાવીએ તો સંયમના આનંદને પ્રાપ્ત કરી શકીએ. કહ્યું છે કે –
સભી સહાયક સબલ કે, કોઉ ન નિબલ સહાય, પવન જગાવત આગકો, દીપ હી દેત બુજાય
(૫) પોતાના સંસ્કાર જો મજબૂત હોય, બળવાન હોય તો બધા સંયોગો હિતકર બની જાય છે. સોમિલ બ્રાહ્મણ જેવી નિર્દય વ્યક્તિ, અને ધગધગતા અંગારાના સંયોગો પણ મુક્તિ પ્રાપ્ત કરાવી શકે છે. તેથી આપણે પણ જ્યારે આપણી સાધનાને સબળ અને વેગવાન બનાવશું અને સહનશીલતાને ધારણ કરશું ત્યારે જ આપણું આવા મહાપુરુષોનું જીવનચરિત્ર સાંભળવાનું કે વાંચવાનું સાર્થક થશે. કષાય ભાવોથી મુક્ત થઈ જવું એ જ મોક્ષ પ્રાપ્તિ માટે શ્રેષ્ઠ અને સફળ સાધના છે. ભગવાન અરિષ્ટનેમિથી કૃષ્ણનો વાર્તાલાપ :– ગજસુકુમાર અણગારની દીક્ષાના બીજા દિવસે કૃષ્ણ વાસુદેવ અરિષ્ટનેમિ અને પોતાના ભાઈ સહિત બધા જ મુનિઓના દર્શન કરવા ભગવાન પાસે ગયા. ભગવાનના દર્શન–વંદન ર્યા. અન્ય મુનિઓનાં પણ દર્શન–વંદન ર્યા. અહીં તહીં જોયું પરંતુ પોતાના ભાઈ ગજસુકુમાર મુનિના દર્શન ન થયાં ત્યારે ભગવાનને પૂછ્યું– હે ભંતે ! ગજસુકુમાર અણગાર ક્યાં છે ? ભગવાને શ્રી કૃષ્ણ વાસુદેવને કહ્યું કે ગજસુકુમાર મુનિએ પોતાનું કાર્ય સિદ્ધ કરી લીધું છે અર્થાત્ તેઓ મોક્ષે પધાર્યા છે. કૃષ્ણ વાસુદેવે ફરીથી પ્રશ્ન ર્યો કે હે પ્રભુ ! ગજસુકુમારે કેવી રીતે પોતાનું કાર્ય સિદ્ધ કરી લીધું છે ? ત્યારે ભગવાને ભિક્ષુની બારમી પિંડમાની આજ્ઞા માંગવાથી કરીને નિર્વાણ સુધીની બધી જ વાત સંભળાવી. સોમિલ બ્રાહ્મણનું નામ ન કહેતાં એમ કહ્યું કે એક પુરુષ ત્યાં આવ્યો અને તેણે આ પ્રકારે ક્યું. હે કૃષ્ણ ! આમ, ગજસુકુમાર મુનિએ પોતાનું કાર્ય સિદ્ધ ર્યું છે. કૃષ્ણ વાસુદેવનો કોપ :–કૃષ્ણ વાસુદેવે આ વૃતાન્ત સાંભળીને રોષ ભર્યા શબ્દોમાં પ્રશ્ન ર્યો કે હે ભગવાન્ ! એવી હીન પુણ્ય અને દુષ્ટ વ્યક્તિ કોણ હતી ? જેણે મારા સગા નાના ભાઈના અકાળે જ પ્રાણ હરી લીધા ? ભગવાને કૃષ્ણને શાંત કરતાં કહ્યું કે હે કૃષ્ણ ! તમે એ પુરુષ પર ગુસ્સો કે દ્વેષ ન કરો કારણકે એ પુરુષે તો તમારા ભાઈ ગજસુકુમાર અણગારને સહાયતા પ્રદાન કરી છે. સોમિલની સહાયતા દૃષ્ટાંત દ્વારા :-કૃષ્ણે ફરીથી પ્રશ્ન ર્યો – હે ભંતે ! તેણે સહાયતા કેવી રીતે આપી ? ભગવાને સમાધાન કરતાં જણાવ્યું – હે કૃષ્ણ ! આજે જ્યારે તમે દર્શન કરવા માટે આવી રહ્યાં હતા ત્યારે માર્ગમાં એક વૃદ્ધ પુરુષ પોતાના ઘરની બહાર પડેલા ઈંટના મોટા ઢગલામાંથી એક–એક ઈંટ લઈને ઘરમાં લઈ જઈને મૂકી રહ્યો હતો. તેને જોઈને તમે એ ઢગલામાંથી હાથી પર બેઠાં—બેઠાં જ એક ઈંટ ઉપાડી અને એના ઘરમાં નાખી દીધી. તરત જ અન્ય રાજપુરુષોએ પણ તેનું અનુકરણ કરી, એક–એક ઈંટ કરી આખોય ઢગલો એના ઘરમાં પહોંચાડી દીધો. તે વૃદ્ધ વ્યક્તિના આંટા મારવાનું અને બધી જ મુશ્કેલી દૂર થઈ ગઈ. તેનું દિવસો અને કલાકોનું કામ માત્ર મિનિટોમાં જ પૂર્ણ થઈ ગયું. જે રીતે આ તમારો પ્રયત્ન તે વૃદ્ધ માટે સહાય રૂપ બન્યો; તે જ રીતે તે પુરુષે ગજસુકુમાર અણગારના લાખો ભવ પૂર્વેના સંચિત્ત કર્મોની ઉદીરણા અને, ક્ષય કરવામાં સહાયતા પ્રદાન કરી છે. જેનાથી શીઘ્રતા પૂર્વક મિનિટોમાં જ તેમનું સંસાર ચક્ર સમાપ્ત થઈ ગયું છે.
હત્યારાને જાણવાની ઉત્કંઠા :– કૃષ્ણ વાસુદેવની ઇચ્છા ન હોવા છતાં પણ ગુસ્સાને શાંત કરવો પડ્યો. પરંતુ અંદર દમિત થયેલ મોહ અને કષાયને કારણે તેઓએ ભગવાનને ફરીથી પૂછી લીધું કે હે ભંતે ! હું તે વ્યક્તિને કેવી રીતે જાણી શકીશ ? ભગવાને જણાવ્યું કે હમણાં દ્વારિકામાં જતી વખતે જે વ્યક્તિ અચાનક તમારી સામે આવીને, ભયભીત થઈને સ્વતઃ જ પડી જાય અને મરી જાય, ત્યારે તમે સમજી લેજો કે આ તે જ પુરુષ છે. આ સાંભળીને કૃષ્ણ વાસુદેવે ભગવાનને વંદન નમસ્કાર ર્કા અને નગરીમાં જવા માટે પ્રસ્થાન ર્યું.
સોમિલનું મૃત્યુ :– બીજી બાજુ, સોમિલ બ્રાહ્મણના મનમાં વિચાર આવ્યો કે કૃષ્ણ વાસુદેવ ભગવાનના દર્શન કરવા ગયા છે અને અરિષ્ટનેમિ ભગવાન સર્વજ્ઞ સર્વદર્શી છે. તેમનાથી કંઈ પણ અજાણ્યું કે છૂપું નથી. તે અવશ્ય કૃષ્ણને મારા કુકૃત્યની માહિતી આપશે. ત્યારે કૃષ્ણ વાસુદેવ રોષે ભરાઈને ન જાણે શું સજા કરશે ? કેવી રીતે કમોતે મારશે ? એ ભયથી ભયભીત થઈને તે ઘેરથી નીકળ્યો કે કૃષ્ણના પાછા ફરવા પહેલા હું ક્યાંક જઈને છુપાઈ જાઉં.
ન
ભાઈના મૃત્યુને કારણે કૃષ્ણ વાસુદેવને તરત જ પાછા ફરવાનું થયું. સોમિલનું સમય અનુમાન ખોટું ઠર્યું. કૃષ્ણ વાસુદેવ શાંતિથી(દબદબા વગર) નગરીમાં રાજ્ય માર્ગ છોડી અન્ય માર્ગ દ્વારા પ્રવેશ કરી રહ્યા હતા. કોઈ પણ પ્રકારનો અવાજ ન થવાને કારણે સોમિલ બ્રાહ્મણને કંઈ જ ખબર ન પડી શકી અને તે અચાનક કૃષ્ણની સામે આવી પહોંચ્યો. તેના મનમાં આશંકા અને ભય તો
-