________________
jainology I
(૧૫) સંસદ ચરએ– લેપાયેલ હાથ, પાત્ર કે ચમચાથી આહાર લેવો.
(૧૬) અસંસદ ચરએ– અલિપ્ત હાથ, પાત્ર કે ચમચાથી આહાર લેવો. આમાં દાતા તથા વસ્તુનો વિવેક રાખવો જોઇએ. જેથી પશ્ચાત્કર્મ દોષ ન લાગે. (૧૭) તજ્જાય સંસદ ચરએ– દેય પદાર્થથી ખરડાયેલ હાથ, પાત્ર કે ચમચી દ્વારા આપવામાં આવતા આહારને લેવાનો અભિગ્રહ કરવો.
253
(૧૮) અન્નાય ચરએ– અજ્ઞાત સ્થાન– ૧.જ્યાં ભિક્ષુની પ્રતીક્ષા ન કરતા હોય તથા તેના આવવાનું કોઈ અનુમાન ન હોય ત્યાંથી આહાર લેવાનો અભિગ્રહ કરવો. ૨. પોતાની જાતિ, કુળની ઓળખાણ આપ્યા વિના આહાર લેવો. ૩. અજ્ઞાત, અપરિચિત્ત વ્યક્તિના ઘરેથી આહાર લેવો. (૧૯) મૌન ચરએ– મૌન રહી આહાર લેવાનો અભિગ્રહ કરવો.
(૨૦) દિષ્ટ ચરએ– સામે દેખાતો જ આહાર લેવો.
(૨૧) અદિષ્ટ ચરએ– દેખાતો ન હોય એટલે કે પેટી, કબાટ આદિમાં બંધ કરી રાખેલો આહાર સામે જ ખોલીને આપે તે લેવો.
(૨૨) પુટ્ટ ચરએ– ‘તમને શું જોઇએ છે ?' એ પ્રમાણે પૂછીને આહાર આપે.
(૨૩) અપુષ્ટ ચરએ– પૂછયા વિના આહાર આપવા લાગે તે લેવો.
(૨૪) ભિખ્ખુ લાભિએ– યાચના કરવા પર દેનાર પાસેથી આહાર લેવો.
(૨૫) અભિક્ખલાભિએ– યાચના ર્યા વિના, સાધુને આવેલા જોઈને જાતે જ આહાર આપે તેવો આહાર લેવાનો અભિગ્રહ કરવો. (૨૬) અન્નગિલાયએ :– ઉજ્જીિત ધર્મવાળા, અમનોજ્ઞ અને બીજા, ત્રીજા દિવસના આહારાદિ લેવા.
(૨૭) ઓવણીએ :– બેસી રહેલા દાતાની સમીપે પડેલો આહાર લેવો.
(૨૮) પરિમિય પિંડવાઈએ ઃ– પરિમિત દ્રવ્યો કે પરિમિત(અત્ય૫) માત્રામાં આહાર લેવાનો અભિગ્રહ કરવો.
==
(૨૯) સુદ્ધેસણીએ– એસણામાં કોઈ પણ અપવાદનું સેવન ન કરવાનો અભિગ્રહ.
(૩૦) સંખાદત્તીએ– દત્તિનું પરિમાણ નિશ્ચિત કરીને આહાર ગ્રહણ કરવાનો અભિગ્રહ કરવો.—[ઔપપાતિક સૂત્ર
ભિન્ન પિંડપાતિક– ટુકડા કરેલા પદાર્થોની ભિક્ષા લેવાવાળા, અખંડ પદાર્થ– મગ, ચણા આદિ ન લેવાવાળા.—[ઠાણાંગ-૫]
રસપરિત્યાગ તપના પંદર પ્રકાર :
(૧) નિર્વિકૃતિક− વિગય રહિત આહાર કરવો. નીવી તપ કરવું. (૨) પ્રણીતરસ પરિત્યાગ– અતિ સ્નિગ્ધ અને સરસ આહારનો ત્યાગ.
આગમસાર
(૩) આયંબિલ– મીઠું આદિ ષટ્સ તથા વિગય રહિત એક દ્રવ્યને અચિત્ત પાણીમાં પલાળી દિવસમાં એક વખત વાપરવું. (૪) આયામ સિકથભોજી– અતિ અલ્પ(એકાદ કણ) લઈ આયંબિલ કરવી. (૫) અરસાહાર– મસાલા વિનાનો આહાર કરવો. (૬) વિરસાહાર– ઘણા જુના અનાજનો બનાવેલો આહાર લેવો.(૭)અન્તાહાર–ભોજન કરી લીધાં પછી પાછળ વધેલો આહાર લેવો. (૮) પ્રાન્તાહાર– તુચ્છ ધાન્યથી બનાવેલો આહાર કરવો. (૯) રુક્ષાકાર– લૂખો–સૂકો આહાર કરવો.
કાયક્લેશ તપના નવ પ્રકાર :
(૧) સ્થાનસ્થિતિક– એક આસને સ્થિર ઊભા રહેવું. બેસવું નહીં.
(૨) ઉત્કટુકાસનિક– બન્ને પગ ઉપર બેસી મસ્તક પર અંજલી કરવી.
(૩) પ્રતિમા સ્થાયી– એક રાત્રિ આદિનો સમય નિશ્ચિત કરી કાઉસગ્ગ કરવો.
(૪) વીરાસનિક– ખુરશી ઉપર બેઠેલ વ્યક્તિની નીચેથી ખુરશી કાઢી લેવાથી જે સ્થિતિ થાય છે, તે આસને સ્થિર રહેવું. (૫) નૈષધિક– પલાંઠીવાળી બેસવું અને સમયની મર્યાદા કરવી. (૬) આતાપક– તડકા આદિની આતાપના લેવી. (૭) અપ્રાવૃતક– શરીરના ઉપરી ભાગથી ખુલ્લા શરીરે રહેવું.
(૮) અકંડૂયક– ચળ આવવા છતાં શરીરને ખણવું નહીં. (૯) અનિષ્ઠીવક– કફ, થૂંક આવ્યા છતાં થૂંકવું નહીં. (૧૦) સર્વગાત્ર પરિકર્મ અને વિભૂષા વિપ્રમુક્ત− દેહના તમામ સંસ્કાર તથા વિભૂષાદિથી મુક્ત રહેવું.
(૧૧) દંડાયતિક– દંડની સમાન લાંબા પગ કરી સૂવું.
(૧૨) લગંડશાયી– (૧) માથું અને પગની એડીને જમીન પર ટેકવી બાકીના શરીરને ઊંચું કરી સૂવું. (૨)પડખુંવાળી સૂઈ જવું અને કોણી પર ઊભા રાખેલા હાથની હથેળી પર માથું રાખીને, ઊભા રાખેલ એક પગના ઘુંટણ ઉપર બીજા પગની એડી મૂકવી. આ આસનમાં શિરે રાખેલા હાથની કોણી જમીન ઉપર રહે છે અને એક પગનો પંજો ભૂમિ ઉપર રહે છે. એક પડખું જમીન ઉપર રહે છે (૧૩) સમપાદપુતા– બંને પગ અને પૂઠાને ભૂમિ ઉપર ટેકવી બેસવું.(૧૪) ગોદોહિકા– ગાય દોહવાના આસને બેસવું. (૧૫) અપ્રતિશાયી– શયનનું ત્યાગ કરવું. ઊભા રહેવું અથવા કોઈ પણ આસને બેઠા રહેવું. (૬) પ્રતિસંલીનતા તપ : અંતર(કષાય)–બાહય(ઈન્દ્રિયોની) ચેષ્ઠાઓની સંવર.
ઈન્દ્રિયોની પ્રવૃતિ એટલે વિષય અને તેમાં રુચીઅરુચી તે વિકાર. ઈન્દ્રિયોને આત્મહિતકારી પ્રવૃતિઓમાં લગાડવી એ સાધના છે. શરીર એ સાધન છે, મોક્ષ સાધ્ય છે. શરીર અને ઈન્દ્રિયોનો સદઉપયોગ મોક્ષમાર્ગની પ્રવૃતિ છે. અનાયાસ અને લાચારીથી પ્રાપ્ત થતાં વિષયોમાં રાગદ્વેષ ન કરવો તે ઇન્દ્રિય નિગ્રહ છે. વિકાર નિકળી જતાં વિષય અર્થમાત્ર રહે છે.
શ્રાવકો માટે—વિષયો પ્રત્યે અનુત્સુકતા અને પ્રાપ્તમાં ઉદાસીન ભાવ એ ઇન્દ્રિય પ્રતિસંલીનતા છે. કષાય—ધર્મભાવમાં પ્રવૃતિ રાખવાથી કષાયનાં ઉદયને રોકી શકાય છે, અને ઉદયમાંને વિફલ કરી શકાય છે.
(૧) ઇન્દ્રિયોને પોતાના વિષયમાં જવા ન દેવી તેમજ સહજ પ્રાપ્ત વિષયોમાં રાગ–દ્વેષ ન કરવો તે ‘ઇન્દ્રિય પ્રતિસંલીનતા’ તપ છે.