________________
આગમચાર-પૂર્વાર્ધ
(૧) કથા પહેલી: અહંન્નક શ્રાવક ચંપાનગરીમાં અહિંન્નક વગેરે અનેક વ્યાપારીઓ રહેતા હતા. જેઓ જળમાર્ગે વ્યાપાર કરવા પરદેશ જતા. એકવાર પરસ્પર મંત્રણા. કરી અનેક વ્યાપારીઓએ અન્ય સેંકડો લોકોને સાથે લઈ વિદેશયાત્રા માટે પ્રસ્થાન ક્યું. જહાજ સમુદ્રમાં જવા રવાના થયા. સેંકડો યોજન સમુદ્ર પ્રવાસ ર્યા બાદ અચાનક દેવનો ઉપદ્રવ થયો. અહંન્નક શ્રાવકની ધર્મપરીક્ષા – એક વિકરાળ રૂપધારક પિશાચ આવ્યો. જહાજમાં બેઠેલા અહંન્નક શ્રાવકને સંબોધીને કહ્યું કે તું તારો ધર્મ, વ્રત–નિયમ છોડી દે નહિતર તારા વહાણને આકાશમાં અધ્ધર લઈ સમુદ્રમાં પટકી દઈશ- પછાડી દઈશ અહંન્નક શ્રાવકે તેને મનથી જ ઉત્તર આપ્યો કે મને કોઈપણ દેવ-દાનવ ધર્મથી ચલીત કરી શકે તેમ નથી. તમારી ઈચ્છા હોય તેમ કરો. આ પ્રકારે નિર્ભય થઈ ધર્મધ્યાનમાં લીન થઈ ગયા. બે-ત્રણ વખત ધમકી દીધા પછી દેવે જહાજને આકાશમાં ઊંચે ઉપાડી અને પુનઃ ધમકી આપી છતાં શ્રાવક અડોલ રહ્યા. જહાજના બીજા બધાજ પ્રવાસીઓ ભયભીત થઈ ગયા. અનેક માન્યતાઓ કરવા લાગ્યા. પરંતુ અન્નક શ્રાવકે સાગારી સંથારાના પચ્ચકખાણ કરી લીધા. આખરે દેવ થાક્યો. ધીરેથી જહાજ નીચે મૂક્યું અને મૂળ રૂપે પ્રગટ થઈ અહંન્નક શ્રાવકની પ્રશંસા કરી, ક્ષમા માંગી અને કુંડલની બે જોડી આપી સ્વસ્થાને ચાલ્યો ગયો. ત્યાંથી તે શ્રાવકો મિથિલા નગરીમાં ગયા. રાજા કુંભને એક કંડલની જોડી ભેંટણા સ્વરૂપે આપી વ્યાપાર કરવાની અનુજ્ઞા મેળવી. વ્યાપાર ર્યા પછી તેઓ પોતાની ચંપાનગરીમાં આવ્યા અને ત્યાંના રાજા ચન્દ્રધ્વજને બીજી કુંડલની જોડી ભેટ સ્વરૂપે આપી. આ એક સરખી કુંડલિની જોડીઓના કારણે ચંપાનગરીના રાજા ચન્દ્રધ્વજને સ્વરૂપવાન મલ્લિકુમારીની જાણ થાય છે.
(૨) કથા બીજી : ચોકખા પરિવ્રાજિકા મિથિલા નગરીમાં ચોખા નામની પરિવ્રાજિકા રહેતી હતી. તે દાનધર્મ, શૌચધર્મ, તીર્થસ્નાન આદિની પ્રરૂપણા કરતી હતી અને તેના દ્વારા જ સ્વર્ગગમનનું કથન કરતી. એકદા તેણી મલ્લિકુમારીના ભવનમાં આવી, યોગ્ય સ્થાનમાં પાણી છાંટી, ઘાસ બીછાવી તેના પર આસન પાથરી બેસી ગઈ. મલ્લિકુમારીને ધર્મનો ઉપદેશ દેવા લાગી. મલ્લિકુમારીએ ચોખા પરિવ્રાજિકાને પૂછ્યું કે તમારા ધર્મનું મૂળ શું છે? તેણે કહ્યું કે અમારો શુચિમૂલક ધર્મ છે. જલથી બધા પદાર્થને તથા સ્થાનને પવિત્ર કરી શકાય છે. આવી રીતે જીવ પણ પવિત્ર થઈ સ્વર્ગમાં જાય છે. મલ્લિકુમારીએ કહાં –લોહીથી રંગાયેલા કપડાને લોહીથી ધોવામાં આવે તો પવિત્ર થઈ શકે? તેવી જ રીતે પાપ સેવનથી ભારે બનેલ આત્મા ફરીને હિંસાદિ પાપોનું સેવન કરવાથી મુક્ત થાય? પવિત્ર થાય? ચોખા પરિવ્રાજિકા નિરુત્તર થઈ ગઈ. દાસીઓએ ચોખાની હાંસી કરતા તે નારાજ થઈ ચાલી જાય છે, મલ્લિકુમારીથી બદલાની ભાવનાથી તે બીજા રાજા માટે નિમીત બને છે. બે કથાઓ બોધદાયક હોવાથી અહીં લીધી છે, બાકીની ચાર કથાઓ સંસાર ભાવની હોવાથી નથી લીધી. મૂળ કથા: છએ રાજાઓને એક સાથે સંકલ્પ થયો અને તેઓએ પોતપોતાના દૂતને મિથિલાનગરીમાં મોકલ્યા. છએ દૂતો એક સાથે પહોંચ્યા. બધાને એક સાથે આવેલા જોઈ કુંભરાજા ક્રોધાવિષ્ટ થયા. બધાનું અપમાન કરી કાઢી મૂક્યા. છ એ રાજા મલ્લિકુમારી સાથે લગ્ન કરવાના ભાવથી સૈન્યસહિત મિથિલા નગરીમાં આવી પહોંચ્યા. મલ્લિકુમારી અવધિજ્ઞાન સહિત હતા. જ્ઞાન દ્વારા તેમણે પોતાના છએ મિત્રોની સ્થિતિ જોઈ લીધી હતી. ભવિષ્યમાં થવાની ઘટનાથી પણ તે અજાણ્યા નહોતા તેથી તેનો પ્રતિકાર કરવાની પૂર્વ તૈયારી પણ કરી લીધી હતી. મલ્લિએ પોતાના જેવી જ એક પ્રતિમાનું નિર્માણ કરાવ્યું હતું જે અંદરથી પોલી હતી. તેના મસ્તકમાં એક મોટું છિદ્ર મૂકવામાં આવ્યું હતું. આ પ્રતિમા જોયા પછી કોઈ કલ્પના નહોતા કરી શકતા કે પ્રત્યક્ષ મલ્લિકુમારી છે કે તેની મૂર્તિ છે. મલ્લિકુમારી જે ભોજનપાન કરતી તેનો એક કોળિયો મસ્તકના છિદ્રમાંથી પ્રતિમામાં નાખતી. જે ભોજન અંદર ગયા પછી સડી જતું અને અત્યંત દુર્ગધ ઉત્પન્ન થતી. પરંતુ ઢાંકણું ઢાંકવાથી તે દુર્ગધ દબાયેલી રહેતી. જયાં મૂર્તિ હતી તેની ચોપાસ જાલીગૃહ પણ બનાવડાવ્યું હતું. તે ગૃહમાં બેસી પ્રતિમાને સ્પષ્ટ જોઈ શકાતી. પણ તે ગૃહમાં બેઠેલા એક બીજાને જોઈ ન શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. આ તરફ છએ રાજા મલ્લિકુમારી સાથે પરણવાના સંકલ્પ સહિત મિથિલામાં આવી પહોંચ્યા. રાજા દ્વિધામાં પડ્યા. છએ રાજા પરસ્પર મળી ગયા. કુંભે તેમનો સામનો ર્યો પણ એકલા શું કરી શકે? આખરે કુંભ પરાજિત થઈ મહેલમાં ભરાઈ ગયા. ('કિકર્તવ્ય)મૂઢ' બની ગયા. રાજકુમારી મલ્લિ પિતાને પ્રણામ કરવા ગઈ. પિતાજી ઊંડી ચિંતામાં હોવાથી મલ્લિના આગમનનું ભાન ન રહયું. મલ્લિકુમારીએ ચિંતાનું કારણ પૂછયું. રાજાએ બધો વૃત્તાંત જણાવ્યો. 'પિતાજી! ચિંતાનો ત્યાગ કરો અને પ્રત્યેક રાજા પાસે ગુપ્ત રૂપે દૂતને મોકલી કહેવડાવી દો કે "મલ્લિકુમારી તમને જ આપવામાં આવશે. ગુપ્ત રીતે સંધ્યા સમયે રાજમહેલમાં આવી જજો." અને આ બધાને જાલીગૃહમાં અલગ અલગ મોકલી દેજો. કુંભરાજાએ તેમજ . છએ રાજા મલ્લિકુમારીને પરણવાની આશાથી ગર્ભગૃહમાં આવી પહોંચ્યા. સવાર થતાં જ બધાએ મલ્લિકુમારીની મૂર્તિ જોઈ માની લીધું કે આ જ મલ્લિકુમારી છે. તે તરફ અનિમેષ દૃષ્ટિએ જોવા લાગ્યા. મલ્લિ સાક્ષાત ત્યાં ગઈ અને મૂર્તિના મસ્તક ઉપરનું છિદ્ર ખુલ્લું ક્યું. ભયંકર બદબૂ ફેલાવા લાગી. દુર્ગધ અસહય બની. બધા ગભરાઈ ઉઠયા. બધાએ નાકે ડૂચા માર્યા. વિષય આસક્ત રાજાઓને પ્રતિબોધવાનો સમય હતો. નાક મોઢું બગાડવાનું કારણ પૂછતાં બધાનો એક જ જવાબ આવ્યો કે અસહ્ય બદબૂ, "દેવાનુપ્રિયો! આ મૂર્તિમાં દરરોજ એક એક કોળિયો નાખવાથી આવું અનિષ્ટ અને અમનોજ્ઞ પરિણામ આવ્યું તો આ ઔદારિક શરીરનું પરિણામ કેટલું અશુભ, અનિષ્ટ અને અમનોજ્ઞ હશે? આ શરીર તો મળ-મૂત્ર, લોહી આદિનું ભાજન છે. તેના પ્રત્યેક દ્વારમાંથી ગંદા પદાર્થો વહી રહ્યા છે. સડવું અને ગળવું તેનો સ્વભાવ છે. એના પરથી ચામડાની ચાદરને દૂર કરવામાં આવે તો