SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ સમાધિમરણ કોઈ ગાંડો માણસ અહીં તહીં ફરે અને શરીરની સંભાળ પણ લેતો નથી તેવું તેને થઈ જાય છે. શ્વાસોચ્છવાસ જોરથી ચાલે અને બધા જ રોમ પુલકિત થઈ જાય. સુંદરદાસજી કહે છે કે આવી નવ પ્રકારની ભક્તિ આ જગતમાં, ભગવાનના પ્રેમમાં મતવારો એટલે ગાંડો થઈને કરનાર આજે કોણ છે? કોઈ વીરલા જ હોઈ શકે. કેવળ નિર્વિકાર છતાં પરબ્રહ્મ પ્રેમમય પરાભક્તિને વશ છે.” શ્રીમદ્ રાજચંદ્ર (પત્રાંક ૨૦૧) પરબ્રહ્મ એવા પરમાત્મા તે કેવળ નિર્વિકાર હોવા છતાં પણ, પરમ પ્રેમથી પ્રભુની એકતાનપણે ભક્તિ કરનાર ભક્તને તે વશ છે. એના પર ઉપદેશામૃતમાં એક દ્રષ્ટાંત છે A. - ભક્તને આવ્યો પ્રેમ તો મારે શો તેમાં ભરવાડ અને નારદજીનું વ્રત–“એક ભરવાડ હતો. જંગલમાં ગાયો ચરાવે. એક દિવસ તેણે નારદજીને જતાં જોયા. તેમને સાદ કરી બોલાવીને પૂછ્યું કે ક્યાં જાઓ છો ? તો કહે, ભગવાન પાસે જાઉં છું. ભરવાડે કહ્યું : “પ્રભુને મારી આટલી વાત પૂછી લાવશો?” નારદજી–શી ? ભરવાડ–હું રોજ પ્રભુને હૂમરો (સવારનો નાસ્તો) ધરાવીને ખાઉં છું. તે તેમને પહોંચે છે કે
SR No.009115
Book TitleSamadhimaran
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages351
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy