SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦. બૃહદ્ આલોચના મહાપાપી છું. તેથી નિરંતર મરણભય વેદનાભય આદિથી ભયભીત છું. માટે હે નાથ! આવા ભયંકર દોષોથી મને મુક્ત કરો એવી આપ પ્રભુ પ્રત્યે મારી ભાવભીની પ્રાર્થના છે. નાથની સાક્ષીએ વારંવાર ધિક્કાર જે મેં જીવ વિરાળિયા, સેવ્યાં પાપ અઢાર; નાથ તુમારી સાખર્ચો, વારંવાર ચિક્કાર. અર્થ :- હે નાથ! આ જગતમાં ચોરાશીલાખ જીવાયોનિ છે. તેમાંથી જે જે જીવોની મેં વિરાધના કરી હોય અર્થાત્ તેમને મન વચન કાયાથી દુઃખ આપ્યું હોય કે હણ્યા હોય અથવા અઢાર પાપસ્થાનક સેવ્યા હોય, તે બધા પાપોને હે નાથ! આપની સાખર્સે એટલે સાક્ષીએ વારંવાર ચિક્કારું છું. અર્થાત્ તેનો તિરસ્કાર કરું છું. જેથી ફરી એવી પાપ પ્રવૃતિ મારાથી થાય નહીં. પહેલું પાપ પ્રાણાતિપાત : છકાયપણે મેં છકાય જીવની વિરાથના કરી; પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઇંદ્રિય, તેઇંદ્રિય, ચીરિન્દ્રિય, પંચેદ્રિય, સંજ્ઞી, અસંજ્ઞી, ગર્ભજ, ચોદે પ્રકારે સંમૂર્ણિમ આદિ ત્રણ સ્થાવર જીવોની વિરાથના કરી, કરાવી, અનુમોદી; મન, વચન, કાયાએ કરી, ભાવાર્થ – પ્રાણાતિપાત એટલે જીવોની હિંસા. હે પ્રભુ! મારા ભૂતકાળમાં જે અનંતકાળ વ્યતીત થયો તે સમયમાં હું એ કાયમાં એટલે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિકાયમાં તેમજ છઠ્ઠી ત્રસકાયમાં જન્મ લઈ મેં છએ કાયના જીવોની વિરાધના કરી છે. તેમને દુઃખ આપ્યું છે. તેની ક્ષમા ચાહું છું. પૃથ્વીકાય, અપકાય એટલે જલકાય, તેઉકાય એટલે અગ્નિકાય, વાયુકાય, વનસ્પતિકાય એ પાંચ સ્થાવર જીવો કહેવાય છે. એને એક સ્પર્શ ઇન્દ્રિયરૂપ માત્ર શરીર જ હોવાથી તે હાલી ચાલી શકતા નથી. બેઇન્દ્રિય, ત્રણઇન્દ્રિય, ચૌરેન્દ્રિય, એ ત્રણ વિકસેન્દ્રિય કહેવાય છે. એ જીવો હાલી ચાલી શકે છે. સંજ્ઞી એટલે મનવાળા જીવો. અસંજ્ઞી એટલે મન વગરના જીવો. સ્થાવર જીવો અસંજ્ઞી હોય છે. તેમને મન હોતું બૃહદ્ આલોચના નથી. ગર્ભજ એટલે જે ગર્ભથી ઉત્પન્ન થયા હોય તે જીવો. સંમૂર્ણિમ એટલે સ્ત્રીલીંગ, પુરુષલીંગના સંયોગવગર જે જીવો જન્મ લે છે તે સંમૂર્ણિમ જીવો કહેવાય છે. એકેન્દ્રિયથી માંડીને અસંજ્ઞી પંચેન્દ્રિય સુધીના જીવો સંમૂર્ણિમ જન્મવાળા હોય છે. જન્મની અપેક્ષાએ જોતાં પંચેન્દ્રિય જીવ ત્રણ પ્રકારના છે. (૧) ઔપપાતિક (૨) ગર્ભજ (૩) સંમૂર્ણિમ. દેવનારકીના જીવો ઔપપાતિક રીતે જન્મે છે. જન્મથી જુવાન હોય છે. મનુષ્ય અને તિર્યંચો ગર્ભજ તેમજ સંમૂર્ણિમ રીતે પણ જન્મનારા હોય છે. મનુષ્યના મળમૂત્રમાં, કફમાં એવા અશુચિસ્થાનોમાં જન્મનારા ચૌદ પ્રકારના સંમૂર્ણિમ મનુષ્યો પણ હોય છે. તે સર્વ જીવોની મેં મન વચન કાયાથી વિરાઘના એટલે દુઃખ આપ્યું હોય કે મારી નાખ્યા હોય અથવા દુ:ખ અપાવ્યું હોય, અથવા તેમને દુઃખ આપતા અનુમોદના એટલે સારું માન્યું હોય તે સર્વ મારા દોષ ક્ષમ્ય થાઓ એવી આપ પ્રભુ પાસે નમ્ર પ્રાર્થના છે. સંમૂર્છાિમ એટલે મન વગરના મનુષ્યોના ચૌદ પ્રકારો નીચે મુજબ છે : “માતાપિતાના સંયોગ વિના જે ઉત્પન્ન થાય છે તેને સંમૂર્છાિમ જીવ કહેવામાં આવે છે. આખા લોકાકાશમાં પીસ્તાલીસ લાખ યોજન પ્રમાણ ક્ષેત્રમાં અઢી દ્વીપ છે તેમાં એક લવણસમુદ્ર તથા એક કાલોદધિ સમુદ્ર આવેલો છે. એમ બે સમુદ્ર. તથા પંદર કર્મભૂમિ, તીસ અકર્મભૂમિ અને છપ્પન અંતર્દીપો આવેલા છે. તેમાં ગર્ભજ મનુષ્યો ઉત્પન્ન થાય છે. આ પંદર કર્મભૂમિ, ત્રીસ અકર્મભૂમિ અને છપ્પન અંતર્દીપો મળીને આ કુલ ૧૦૧ મનુષ્યોને જન્મવાના ક્ષેત્રો છે. તે મનુષ્યોના મળમૂત્રાદિમાં સંમૂર્છાિમ મનુષ્યો ઉત્પન્ન થાય છે. તેમની ઉત્પત્તિના સ્થાનો ચૌદ છે તે નીચે પ્રમાણે : (૧) વ્યાસુ-વિષ્ટામાં, (૨) પાસવોસુ–મૂત્રમાં, (૩) વેસુકફમાં, (૪) સંધાસુ–નાકના મેલમાં, (૫) વંતે સુ-વમન-ઊલટીમાં, (૬) ત્તેિ સુ-પિત્તમાં, (૭) પૂર્ણાસુ-રાઘ-રસી, દુર્ગધયુક્ત જ્યાં ઘાવ પડ્યો હોય તેમાંથી લોહી નીકળે તેમાં, (૮) સાસુ-શોણિત રક્તમાં, (૯) સુવાસુશુક્ર-વીર્યમાં, (૧૦) સુવા -સાસુ-શુક્રના સૂકાં થયેલાં પુદ્
SR No.009110
Book TitleAlochana
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages42
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Rajchandra
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy