SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯ ૫૦ બૃહદ્ આલોચના કલિયુગમાં મહાન આત્માઓના દર્શન દુર્લભ તનકર મનકર વચનકર, દેત ન કાહુ દુઃખ; કર્મ રોગ પાતિક ઝરે, દેખત વાકા મુખ. ૩૫ અર્થ :- જે મહાન આત્મા કોઈપણ પ્રકારે તનથી એટલે કાયાથી અથવા મનથી કે વચનથી કોઈ પણ જીવને કિંચિત્ માત્ર પણ દુઃખ આપતા નથી, વાકા એટલે તેમના મુખકમળના દર્શન માત્રથી જ આપણા પાતિક એટલે પાપના ફળમાં ઉત્પન્ન થયેલ કર્મરૂપી રોગ ઝરવા માંડે છે. આવા આત્મજ્ઞાની સપુરુષના પ્રત્યક્ષ દર્શન આ કાળમાં દુર્લભ થઈ પડ્યા છે. માટે પરમકૃપાળુદેવની વીતરાગ મુદ્રાને તથા તેમના વચનામૃતને પ્રત્યક્ષ તુલ્ય માની તેમની આજ્ઞા પ્રમાણે વર્તવાથી આ કાળમાં પણ કલ્યાણ થવા સંભવે છે, એમ પ.પૂ.પ્રભુશ્રીજીએ જણાવ્યું છે. ઉપરા ફરીથી આપણો મેળાપ ક્યારે થશે? (દોહા) પાન ખરંતા ઇમ કહે, સુન તરુવર વનરાય; અબકે વિછુરે કબ મિલે, દૂર પડેંગે જાય. ૧ અર્થ - વૃક્ષના પાન અને વનરાય એટલે વનના રાજા સમાન તરુવર એટલે શ્રેષ્ઠ વિશાળ વૃક્ષ સાથેના સંવાદથી આત્માર્થીને શરીર, કુટુંબ આદિ પ્રત્યે મોહ ન થાય અને જાગૃતિ પામે એવા હેતુથી નીચેની બે ગાથાઓમાં રૂપક અલંકારથી સમજાવવામાં આવ્યું છે. વૃક્ષ ઉપર પાન પાકીને પીળું પડી જઈ નીચે ખરતાં સમયે, જાણે તે વૃક્ષને કહે છે કે હે વનરાજ ! હું આ વૃક્ષ ઉપર જ જભ્યો, અહીં જ પોષણ પામ્યો, માટે તમારું જ સંતાન છું. પણ હમણા આપણો સંબંધ છૂટી રહ્યો છે. હું દૂર જઈને ક્યાંય પડીશ. પણ ફરીથી આપણો મેળાપ ક્યારે થશે? ૧૫ સંયોગ થયો માટે વિયોગ નિશ્ચિત તબ તરુવર ઉત્તર દીયો, સુનો પત્ર એક બાત; ઇસ ઘર એસી રીત છે, એક આવત એક જાત. ૨ અર્થ - પાનની વાત સાંભળીને વૃક્ષરાજે જવાબ આપ્યો કે હે પત્ર બૃહદ્ આલોચના એટલે પાન ! મારી એક વાત સાંભળ. આપણા ઘરની શરૂઆતથી જ એવી રીત છે કે એક પાન ખરે અને બીજું નવું પાન ત્યાં જન્મે છે. - ઉપરોક્ત રૂપક અલંકારથી આપણે એવો બોઘ લેવાનો છે કે આયુષ્ય પુરુ થયે એક બીજા સગાંસંબંધીઓથી આપણે અવશ્ય છૂટા પડવાનું છે. સંયોગ થયો માટે તેનો વિયોગ પણ અવશ્ય થશે એવો નિયમ છે. સર્વ સંબંધીઓ આયુષ્ય પ્રમાણે અહીંથી દેહ છોડી જુદી જુદી ગતિઓમાં જઈ પોતાના કર્માનુસાર નવો દેહ ઘારણ કરે છે; અને હમણાના કહેવાતા કુટુંબથી તે દૂર થઈ જાય છે. ફરીથી પૂર્વ અવસ્થારૂપે મેળાપ થવાનો નથી. એવી અનાદિની રીત છે. માટે હે ભવ્યો! દેહ, કુટુંબ, ઘનાદિમાં અહંભાવ મમત્વભાવનો ત્યાગ કરી આ દેહ છે ત્યાં સુધીમાં અવશ્ય આત્મસાર્થક કરી લેવું. મનુષ્યદેહ પડી ગયા પછી કંઈ થવાનું નથી. માટે પ્રમાદ તજી સદા જાગૃત રહેવા યોગ્ય છે. //રા વર્ષગાંઠનો દિવસ રાજી થવા માટે નહીં પણ ખેદ માટે વરસ દિનાકી ગાંઠકો, ઉત્સવ ગાય બજાય; મૂરખ નર સમજે નહીં; વરસ ગાંઠકો જાય. ૩ અર્થ:- પોતાના જીવનનું એક વર્ષ પૂરું થાય ત્યારે મનુષ્ય પોતાના સગાંવહાલાંને ભેગા કરી પાર્ટીઓ રાખી કે ગાવા બજાવાનું સંગીત રાખી ઉત્સવરૂપે તે વર્ષગાંઠને ઊજવે છે. એ પ્રમાણે ઊજવી ખૂબ રાજી થાય છે, પણ મહાપુરુષો કહે છે કે મૂર્ખ એવો તે નર સમજતો નથી કે મારા આ માનવ જીવનમાંથી એક વર્ષ ફરી ઓછું થઈ ગયું તો આ વર્ષગાંઠનો દિવસ રાજી થવા માટે નથી પણ ખેદ લાવી વૈરાગ્ય પામવા માટે છે. અને શેષ રહેલા જીવનનો સમય આત્માર્થે ગાળવા હવે નિર્ણય કરવા અર્થે છે. ૩. શ્વાસોચ્છવાસ નાશવંત પણ આત્મા અમર છે | (સોરઠો) પવન તણો વિશ્વાસ, કિણ કારણ તેં દ્રઢ કિયો? ઇનકી એહી રીત, આવે કે આવે નહીં. ૪
SR No.009110
Book TitleAlochana
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages42
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Rajchandra
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy